Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

સેલવાસ દમણગંગા નદીમાં વધુ એક વ્‍યક્‍તિએ લગાવી મોતની છલાંગ

સમગ્ર પ્રદેશમાં એક જ ચર્ચા ચાલી રહી છે કે, સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા આવા બનાવો રોકવા માટેના અસરકારક પગલાં શા માટે નથી લેવાતા?

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.03 : સેલવાસ-નરોલી રોડ પર દમણગંગા નદીના પુલ પરથી એક વ્‍યક્‍તિએ કોઈક કારણોસર નદીમાં ઝંપલાવી દીધું હતું. તેની જાણ ફાયર અને પોલીસની ટીમને કરાતા તેઓ દ્વારા શોધખોળ આદરી હતી.
પ્રાપ્ત વિગત અનુસાર અનિલ દુબે (ઉ.વ.45) રહેવાસી સેલવાસ અને મુળ રહેવાસી ઉત્તર પ્રદેશ. જે સોમવારની રાત્રિના દસ વાગ્‍યાના સુમારે અથાલ દમણગંગા નદીના પુલ ઉપર વચ્‍ચોવચ ઉભો રહી એણે પહેરેલ જેકેટ અને ચપ્‍પલ કાઢી દીવાલ પર ચડી નદીમાં ઝંપલાવી દીધું હતું. આ વ્‍યક્‍તિને નદીમાં કુદતા જોઈ ત્‍યાંથી પસાર થતાં લોકોએ તાત્‍કાલિક દાનહ પોલીસ અને ફાયર વિભાગને ટેલીફોનિક જાણ કરી હતી. ફાયર અને પોલીસની ટીમ ઘટના સ્‍થળે ધસી આવી હતી અને નદીમા ઝંપલાવનાર વ્‍યક્‍તિની શોધખોળ શરૂ કરી દીધી હતી. પરંતુ આજે મંગળવારે પણ આખા દિવસ દરમ્‍યાન ફાયરની ટીમ અને તરવૈયાઓ દ્વારા શોધખોળ હાથ ધરેલ પણ મળી આવેલ નથી.
નદીમાં ઝંપલાવનાર અનિલ દુબે ઘણાં વર્ષોથી સેલવાસમાં જ રહેતો હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. જેની શરીરે પહેરેલ જેકેટના ખિસ્‍સામાંથી મળી આવેલ આધારકાર્ડના આધારે ઓળખ થઈ હતી. એમણે કયા કારણોસર આ પગલુ ભર્યું એ હજી સુધી જાણીશકાયું નથી.
અત્રે યાદ રહે કે, અગાઉ કેટલીય વખત સેલવાસ-નરોલી રોડનો આ દમણગંગા પુલ સુસાઇડ પોઇન્‍ટ તરીકે કુખ્‍યાત થઈ રહ્યો છે, આ અગાઉ પણ અનેક વખત આ પુલ ઉપરથી અનેક લોકોએ મોતની છલાંગ લગાવી જીવન ટૂંકાવ્‍યા હોવાની તેમજ કેટલાકના જીવ ઉગરી ગયા હોવાના બનાવો સામે આવી ચૂક્‍યા છે. ત્‍યારે ફરી એક વખત વધુ એક બનાવ બનતાં સમગ્ર પ્રદેશમાં એક જ ચર્ચા ચાલી રહી છે કે, સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા આવા બનાવો રોકવા માટેના અસરકારક પગલાં શા માટે નથી લેવાતા?
આ દમણગંગા નદીના પુલ પરથી આત્‍મહત્‍યાના વારંવાર કિસ્‍સાઓ બનતા વિવિધ સંસ્‍થાઓ પણ પ્રશાસનના અધિકારીઓને પુલની બન્ને બાજુએ જાળીઓ લગાવવા માટે વારંવાર રજૂઆત કરી ચુક્‍યા છે, પરંતુ આ બાબતે તેઓ અજાણ હોય એમ પ્રશાસન દ્વારા કોઈકની જીંદગી બચે એ માટેના આજદિન સુધી કોઈ જ પ્રકારના પગલાં ભરવામાં આવ્‍યા નથી તે સૂચક છે.

Related posts

વાપી ગ્રીન એન્‍વાયરોમેન્‍ટ લીમીટેડ (સી.ઈ.ટી.પી ) વાપીને રપ – વર્ષ પૂરા થયા જે અંતર્ગત કેબીનેટ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈની ઉપસ્‍થિતિમાં કર્મચારીઓને પ્રોત્‍સાહન અને મોમેન્‍ટો વિતરણ સમારોહમાં વી.જી.ઈ.એલ ડાયરેકટર અને વી.આઈ.એના માજી પ્રમુખ શ્રી યોગેશભાઈ કાબરીયા વીઆઈ એ સેક્રેટરી અને વાપી ભાજપા પ્રમુખ શ્રી સતિષ પટેલ, વીઆઈએ માજી પ્રમુખ શ્રી પ્રકાશ ભદ્વા, શ્રી રાજુલભાઈ શાહ, વી.જી.ઈ.એલ સીઈઓ જતીન મહેતા હાજર રહી સ્‍ટાફ અને કર્મચારીને પ્રોત્‍સાહીત કર્યા હતા.

vartmanpravah

સ્‍વયં અને સમાજ માટે યોગઃ વલસાડના અબ્રામા ખાતે યોગ દિન પૂર્વે યોગાભ્‍યાસ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વાપીમાં ઈમ્‍પેક્‍ટ ફી યોજનાના અમલમાં ભારે ઉદાસિનતા: અત્‍યાર સુધી રેગ્‍યુલાઈઝેશનની એકમાત્ર અરજી મંજૂર

vartmanpravah

નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે કપરાડાના સુથારપાડા ખાતે રૂ.3.72 કરોડના ખર્ચે નવનિર્મિત સામુહિક આરોગ્‍ય કેન્‍દ્રનું લોકાર્પણ

vartmanpravah

વલસાડમાં સોનલ બીજની ઉજવણી પ્રસંગે આયોજિત ભજન, સંતવાણીની રમઝટમાં રૂપિયાની નોટોનો વરસાદ

vartmanpravah

તા.10 થી 17 ફેબ્રુઆરી દરમિયાન કૃમિનાશક સપ્‍તાહની ઉજવણી કરવામાં આવશે

vartmanpravah

Leave a Comment