Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

સેલવાસ દમણગંગા નદીમાં વધુ એક વ્‍યક્‍તિએ લગાવી મોતની છલાંગ

સમગ્ર પ્રદેશમાં એક જ ચર્ચા ચાલી રહી છે કે, સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા આવા બનાવો રોકવા માટેના અસરકારક પગલાં શા માટે નથી લેવાતા?

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.03 : સેલવાસ-નરોલી રોડ પર દમણગંગા નદીના પુલ પરથી એક વ્‍યક્‍તિએ કોઈક કારણોસર નદીમાં ઝંપલાવી દીધું હતું. તેની જાણ ફાયર અને પોલીસની ટીમને કરાતા તેઓ દ્વારા શોધખોળ આદરી હતી.
પ્રાપ્ત વિગત અનુસાર અનિલ દુબે (ઉ.વ.45) રહેવાસી સેલવાસ અને મુળ રહેવાસી ઉત્તર પ્રદેશ. જે સોમવારની રાત્રિના દસ વાગ્‍યાના સુમારે અથાલ દમણગંગા નદીના પુલ ઉપર વચ્‍ચોવચ ઉભો રહી એણે પહેરેલ જેકેટ અને ચપ્‍પલ કાઢી દીવાલ પર ચડી નદીમાં ઝંપલાવી દીધું હતું. આ વ્‍યક્‍તિને નદીમાં કુદતા જોઈ ત્‍યાંથી પસાર થતાં લોકોએ તાત્‍કાલિક દાનહ પોલીસ અને ફાયર વિભાગને ટેલીફોનિક જાણ કરી હતી. ફાયર અને પોલીસની ટીમ ઘટના સ્‍થળે ધસી આવી હતી અને નદીમા ઝંપલાવનાર વ્‍યક્‍તિની શોધખોળ શરૂ કરી દીધી હતી. પરંતુ આજે મંગળવારે પણ આખા દિવસ દરમ્‍યાન ફાયરની ટીમ અને તરવૈયાઓ દ્વારા શોધખોળ હાથ ધરેલ પણ મળી આવેલ નથી.
નદીમાં ઝંપલાવનાર અનિલ દુબે ઘણાં વર્ષોથી સેલવાસમાં જ રહેતો હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. જેની શરીરે પહેરેલ જેકેટના ખિસ્‍સામાંથી મળી આવેલ આધારકાર્ડના આધારે ઓળખ થઈ હતી. એમણે કયા કારણોસર આ પગલુ ભર્યું એ હજી સુધી જાણીશકાયું નથી.
અત્રે યાદ રહે કે, અગાઉ કેટલીય વખત સેલવાસ-નરોલી રોડનો આ દમણગંગા પુલ સુસાઇડ પોઇન્‍ટ તરીકે કુખ્‍યાત થઈ રહ્યો છે, આ અગાઉ પણ અનેક વખત આ પુલ ઉપરથી અનેક લોકોએ મોતની છલાંગ લગાવી જીવન ટૂંકાવ્‍યા હોવાની તેમજ કેટલાકના જીવ ઉગરી ગયા હોવાના બનાવો સામે આવી ચૂક્‍યા છે. ત્‍યારે ફરી એક વખત વધુ એક બનાવ બનતાં સમગ્ર પ્રદેશમાં એક જ ચર્ચા ચાલી રહી છે કે, સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા આવા બનાવો રોકવા માટેના અસરકારક પગલાં શા માટે નથી લેવાતા?
આ દમણગંગા નદીના પુલ પરથી આત્‍મહત્‍યાના વારંવાર કિસ્‍સાઓ બનતા વિવિધ સંસ્‍થાઓ પણ પ્રશાસનના અધિકારીઓને પુલની બન્ને બાજુએ જાળીઓ લગાવવા માટે વારંવાર રજૂઆત કરી ચુક્‍યા છે, પરંતુ આ બાબતે તેઓ અજાણ હોય એમ પ્રશાસન દ્વારા કોઈકની જીંદગી બચે એ માટેના આજદિન સુધી કોઈ જ પ્રકારના પગલાં ભરવામાં આવ્‍યા નથી તે સૂચક છે.

Related posts

વાપી જેસીઆઈએ 30મા સ્‍થાપના દિવસની મેગા સેલિબ્રેશન સાથે કરી

vartmanpravah

દીવ જિલ્લા ભાજપે રાષ્‍ટ્રીય સફાઈ કર્મચારી આયોગના પ્રમુખ એમ. વેંકટેશનની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

ચીખલી તાલુકાના વંકાલ તેમજ મોગરાવાડી ગામોમાંથી બે સાપને પકડી સુરક્ષિત જંગલમાં છોડાયા

vartmanpravah

દમણમાં ‘પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના’ની નોંધણી શરૂઃ ન.પા. પ્રમુખ અસ્‍પી દમણિયાએ પરંપરાગત કારીગરોને લાભ લેવા કરેલું આહ્‌વાન

vartmanpravah

પારડીના ડુમલાવ ગામમાં ખુંખાર દિપડાના રાત્રે આંટાફેરાથી ગામમાં ભયનો માહોલ

vartmanpravah

દાનહ જિલ્લા પંચાયત ખાતે રાત્રી ચૌપાલ અને બાયો ડિગ્રેડેબલ અંગે બેઠક યોજાઈ

vartmanpravah

Leave a Comment