(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.05
દાદરા નગર હવેલી અને દમણ દીવના પ્રસાશક શ્રી પ્રફુલભાઈ પટેલના નેતળત્વમાં જિલ્લા પંચાયત સીઈઓ અને પ્રમુખના માર્ગદર્શનમા 20 પંચાયતના જી.પં.સભ્યો સરપંચ અને હોટલ બાર અને રેસ્ટોરન્ટ એસોસિએશનના સભ્યો સાથે રાત્રી ચૌપાલ અને બાયો-ડીગ્રેડેબલ વિશે ચર્ચા વિચારણા કરવામા આવી હતી.
પ્રશાસન દ્વારા દાનહ અને દમણ-દીવ જીલ્લા અને ગ્રામપંચાયત ઘન અને પ્રવાહી કચરો હેન્ડલિંગ અને મેનેજમેન્ટ પેટા કાયદા 2021 મુસદ્દો સૂચિત કરવામા આવ્યો હતો. જેની વિસ્તળત માહિતી સીઈઓ શ્રી અપૂર્વ શર્મા દ્વારા ઉપસ્થિત દરેકને માહિતી આપવામા આવી હતી.
પ્રદેશની દરેકપંચાયતોમાં 26મી જાન્યુઆરી સુધી મિશન મોડમાં સફાઈ અભિયાન હાથ ધરવામા આવે એ અંગે તમામ ગ્રામજનોને સ્વચ્છ અને સફાઈ અભિયાનમા જોડાઈ સ્વચ્છતા અભિયાનમાં ભાગીદાર બનવા જિલ્લા પંચાયત દ્વારા આહ્વાન કરવામા આવ્યુ છે.