Vartman Pravah
ગુજરાતનવસારી

નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે ‘વિશ્વ નાળિયેરી દિવસ’ની કરાયેલી ઉજવણી

જન્મથી મૃત્યુ સુધી ઉપયોગમાં આવતું નાળિયેરી કલ્પવૃક્ષ સમાન છેઃ નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડા+.ઝેડ. પી.પટેલ(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
નવસારી, તા.૦૧
ઍ.આઇ.સી.આર.પી., અસ્પી બાગાયત-વ-વનીય મહાવિદ્યાલય અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નવસારી કૃષિ યુનિવર્સિટી નવસારીના સંયુકત ઉપક્રમે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારી ખાતે કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો. ઝેડ. પી.પટેલે વિશ્વ નાળિયેરી દિવસે કલ્પવૃક્ષને પૂજન કરી કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો.
આ પ્રસંગે નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો. ઝેડ. પી.પટેલે જણાવ્યું હતું કે, માણસના જન્મથી માંડી લગ્ન અને મરણ સુધી સાથે રહેતા નાળિયેરને શ્રીફળ ઍટલે લક્ષ્મીજીનું ફળ શુકનવંતુ મનાય છે. નાળિયેરી ‘કલ્પવૃક્ષ’ સમાન છે કારણ કે નાળિયેરીના બધા જ ભાગો જેવા કે મૂળ, થડ, પાન, પુષ્પવિન્યાસ, ફળ તથા ફળના વિવિધ ભાગોનો ઉપયોગ મનુષ્યના જીવનમાં તેમજ ઉદ્યોગમાં થાય છે. અગાઉના સમયમાં લોકો નાળિયેરમાંથી પણિયારું, નાળિયેરીના પાનથી ઘરની છત, કરસાટા તેમજ કાથાની દોરી જેવી બનાવી વિવિધ ઉપયોગો કરતાં હતાં. દક્ષિણ ભારતના લોકોનું જીવન નાળિયેરી આધારિત છે. ત્યાં બહોળા પ્રમાણમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. કુલપતિશ્રીઍ વિશ્વ નાળિયેરી દિવસ અવસરે સૌને નાળિયેરીનો ઉછેર કરી, પગભર બનવા અનુરોધ કર્યો હતો.
નવસારી કૃષિ યુનિવર્સિટીના પ્રાદેશિક બાગાયત સંશોધન કેન્દ્રના ડો. સુનીલ ચૌધરીઍ નાળિયેરનું મહત્વ સમજાવી દરેક રાજયોમાં તેની જુદી જુદી બનાવટ તથા ઉપયોગિતા વિશે માહિતગાર કરાયા હતાં. સેમિનારમાં ઉપસ્થિત ખેડૂત બહેનોને પણ નાળિયેરનો ઉછેર કરીને આવક વધારવા જણાવ્યું હતું. કૃષિ યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામક ડો. સી.કે.ટીંબડીયાઍ જણાવ્યું હતું કે, નાળિયેરીનો પાક સખત પથ્થરના પડવાળી જમીન સિવાય લગભગ દરેક પ્ર

કારની જમીનમાં ઉગાડી શકાય છે. આ પાક માટે દરિયાકાંઠાની ફળદ્રુપ અને સારા નિતારવાળી, રેતાળ, ગોરાડુ, કાંપવાળી જમીન વધુ અનુકૂળ આવે છે. જિલ્લામાં વધુને વધુ લોકો નાળિયેરીનો ઉછેર કરવા સાથે નાળિયેરીનું મહત્વ સમજાવ્યું હતુંં. વ્યારા ખાતે નાળિયેરીમાંથી શ્રીગણેશજીની મૂર્તિ બનાવવામાં આવે છે તેમ જણાવ્યું હતું.
આ પ્રસંગે નવસારી કૃષિ યુનિવર્સિટીના ડો.પી.પી.ભાલેરાવે જણાવ્યું હતું કે, ૨ જી સપ્ટેમ્બરે નાળિયેરી દિવસની ઉજવણી કરવામાં આવે છે. ખેડૂતોઍ પોતાની વધારાની આવક માટે નાળિયેરનો ઉછેર કરવા જણાવી નાળિયેરની મહત્તા વિશે સવિસ્તાર માહિતી આપી હતી.
આ પ્રસંગે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારાના શ્રીમતી આરતીબેન સોનીઍ નાળિયેરીના રેસામાંથી વિવિધ બનાવટો તથા નવસારી કૃષિ યુનિવર્સિટીના ડો. જીલેન મયાણીઍ નાળિયેરીમાં મૂલ્યવર્ધન વિશે માર્ગદર્શન આપ્યું હતું. આ અવસરે નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રી તથા મહાનુભાવોના હસ્તે તમામ ઉપસ્થિત બહેનોને નાળિયેરી ઉછેર માટે આપવામાં આવી હતી. તેમજ કૃષિ યુનિવર્સિટીના ફાર્મમાં કામ કરતાં શ્રમિકોના બાળકો માટે નોટબુક વિતરણ કરવામાં આવી હતી.
આ પ્રસંગે નવસારી કૃષિ યુનિવર્સિટીના ડો. પી.કે.શ્રીવાસ્તવ, ડો. સુમિત સાલુંકે સહિત મહિલા ખેડૂતો ઉપસ્થિત રહ્ના હતાં.

Related posts

વલસાડ જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરવાનીએ છેવાડાના કપરાડા તાલુકાની મુલાકાત લીધી

vartmanpravah

વલસાડ જિલ્લાના સરકારી શિક્ષકો-આચાર્યો માટે ધરમપુરમાં ‘‘સમર્થ શિક્ષણ સંમેલન” યોજાયું

vartmanpravah

વાપીમાં બોર્ડર ડિસ્‍ટ્રીક્‍ટ સંકલન માટે વલસાડ-મહારાષ્‍ટ્ર-સંઘ પ્રદેશની મેગા પોલીસ કોન્‍ફરન્‍સ યોજાઈ

vartmanpravah

પારડીમાં કલા-સંગીતના સથવારે નવરંગ ટેલેન્‍ટ ફેસ્‍ટીવલમાં ‘‘એક ભારત, શ્રેષ્ઠ ભારત” ના દર્શન થયા

vartmanpravah

કેન્‍દ્ર શાસિત પ્રદેશમાં આયોજીત એજ્‍યુકેશન ઈનોવેશન ફેર જીલ્લા કલેકટર એક દિવસ વધુ રાખવા જણાવ્‍યું : વિદ્યાર્થીઓને લાભ લેવા આગ્રહ કર્યો

vartmanpravah

ઉમરગામના અચ્‍છારી ખાતે વયોવૃદ્ધ 73 વર્ષની મહિલાની જમીન હડપી લેવા સુરતના ગુંડાઓને અપાયેલી સોપારી

vartmanpravah

Leave a Comment