(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
નવસારી, તા.10: “આઝાદી કા અમૃત મહોત્સવ” ની ભવ્યાતિભવ્ય ઉજવણીના ભાગરૂપે માન.આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ૭૫ મીટરની રાષ્ટ્ર ધ્વજ યાત્રા નીકળી. નવસારી જિલ્લાની શાળાઓ, કોલેજના NCC NSS ના વિદ્યાર્થીઓ અને સામાજિક સંસ્થાઓ મળી ૫૦૦૦ થી વધુ નગરજનોએ વી.એસ.પટેલ કોલેજ બીલીમોરાથી વિશાળકાય તિરંગા યાત્રા કાઢી હતી. હર ઘર તિરંગા યાત્રા શહેરમાં પ્રવેશતા ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. તિરંગા યાત્રામાં તમામ ઉર્જાવાન વિદ્યાર્થીઓ તેમજ નગરજનનો અપાર ઉત્સાહ અને ઉમંગ થકી સમગ્ર તિરંગા યાત્રા આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.