October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી સલવાવ ઘનશ્‍યામ વિદ્યામંદિરના બાળકોએ જી.કે. આઈકયુ 2024 ની પરીક્ષા આપી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.06: વિકાસ વર્તુળ ટ્રસ્‍ટ, ભાવનગર આયોજિત સામાન્‍યજ્ઞાન બુધ્‍ધી કસોટી (ઞ્‍ધ્‍-ત્‍મ્‍) -2024 માં શ્રી સ્‍વામિનારાયણ શિક્ષણ સેવા કેન્‍દ્ર, સલવાવ સંચાલિત શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર સલવાવના ધો.5 થી 8 ના 58 બાળકોએ તા.5/10/2024 ને શનિવારના રોજ વાપી સલવાવ સેન્‍ટર પર પરીક્ષા આપી હતી.
વિકાસ વર્તુળ ટ્રસ્‍ટ, ભાવનગર દ્વારા રાજ્‍યવ્‍યાપી સામાન્‍ય જ્ઞાન બુધ્‍ધી કસોટી- (ઞ્‍ધ્‍-ત્‍મ્‍)2024 ની પરીક્ષાનું આયોજન થયું હતું. જેમાં મેં. ટ્રસ્‍ટી. પૂ. કપીલ સ્‍વામીના દિશાસૂચન, ડાયરેક્‍ટર ડો. શૈલેશ લુહાર તથા ડાયરેક્‍ટર શ્રી હિતેન ઉપાધ્‍યાય અને આચાર્યશ્રી ચંદ્રવદન પટેલના માર્ગદર્શન હેઠળ આ પરીક્ષામાં શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર સલવાવના ધો.5 થી 8 ના 58 બાળકોએ ભાગ લીધો હતો. આજના આ સ્‍પર્ધાત્‍મક યુગમાં બાળકોમાં પાઠ્‍યપુસ્‍તક શિક્ષણ ઉપરાંત બાહ્ય સામાન્‍ય જ્ઞાનમાં વધારો થાય અને પ્રાથમિક કક્ષાથી જ ભવિષ્‍યમાં આવનાર વિવિધ એન્‍ટ્રન્‍સ ટેસ્‍ટ, સિવિલ સર્વિસ પરીક્ષાઓ માટે સજ્જતા કેળવે તે ઉદેશ્‍યથી આ પરીક્ષાનું આયોજન થતું હોય છે. આ પરીક્ષામાં ગણિત, વિજ્ઞાન, તર્કશાષા,અર્થશાષા,, બેન્‍કિંગ, કોમ્‍પ્‍યુટર જેવા વિષયો આવરી લેવામાં આવે છે. આ પરીક્ષા જાગૃત વાલીઓએ સહકાર આપી પોતાના બાળકોને આ પરીક્ષા માટે પ્રોત્‍સાહિત કર્યા તે બાબત પણ નોંધનીય બની રહી હતી. સમગ્ર પરીક્ષા શંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી.

Related posts

સલવાવની શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજના વિદ્યાર્થીઓની સિધ્‍ધિ

vartmanpravah

‘જનજાતિય ગૌરવ દિવસ’ પખવાડા અંતર્ગત જનનાયક ભગવાન બિરસા મુંડાની જન્‍મ જયંતિના અવસરે સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવની શાળાઓમાં વિવિધ કાર્યક્રમો યોજાયાઃ સ્‍થાનિક આદિવાસી ઉપલબ્‍ધિકર્તાઓએ વિદ્યાર્થીઓને જણાવી તેમની સફળતાની વાતો

vartmanpravah

પારડીના પરિયા ખાતે આવેલ એમએમટીઈ કંપનીમાં લાગી આગ

vartmanpravah

કપરાડાના શિંગડુંગરી ગામ માટે જીંદગી જીવવાનો અભિશાપ છે, જીંદગી જીવવી હોય તો હલેસા મારવા પડશે

vartmanpravah

વાપી, સેલવાસ, દમણના શીખ અને સિંધી સમાજ દ્વારા ગુરુનાનક સાહેબના પ્રકાશ પર્વની ઉજવણીકરી

vartmanpravah

વાપી બલીઠા ડેપોમાં કાદવમાં બે બસો ફસાઈ: ઉચ્‍ચ અધિકારીઓને મુસાફરો-સ્‍ટાફની હાલાકી દેખાતી નથી

vartmanpravah

Leave a Comment