(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દીવ, તા.14
દીવ વણાંકબારાના ગોમતી માતા બીચ ખાતે આશરે પાંચ સાડા પાંચની આસપાસ બોટફસાઈ હોવાની જાણકારી મળતાં લોકોમાં ડર વ્યાપી ગયો હતો, અને ગોમતી માતા બીચ પર પહોંચ્યા હતા.
કોટડાની એક ફિશિગ બોટનું એન્જીન મધદરિયે અચાનક બંધ થઈ જતાં દરિયામાં રહેલ બીજી ફિશિગ બોટના સહારે બોટને કિનારે લઈ જવાનો પ્રયાસ કરતા હતા, ત્યારે થોડે દૂર જઈને બંને વચ્ચે બાંધવામાં આવેલ દોરડું તૂટી જતા એન્જિન બંધ વાળી બોટ ફસાઈ હતી.
જેની અંગેની જાણકારી દીવ જિલ્લાના કલેકટર શ્રીમતી સલોની રાય, પોલીસ અધિક્ષક શ્રી અનુજ કુમાર, ડેપ્યુટી કલેક્ટર શ્રી હરમિન્દર સિહ, સીઈઓ શ્રી વૈભવભાઈ રીખારી, ફિશરીઝ ઓફિસર શ્રી સુકર અંજાણી વગેરેને થતા ગોમતી માતા બીચ ખાતે દોડી આવ્યા હતા અને ફસાઈ ગયેલ બોટના માછીમારોને બચાવવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા.
દીવ જિલ્લાના કલેકટર શ્રીમતી સલોની રાયે પોરબંદર કોસ્ટગાર્ડનો સંપર્ક કર્યો હતો. આ કોસ્ટગાર્ડની મદદથી બોટમાં ફસાયેલા સાત ખલાસીઓનું રેસ્કયુ કરી હેલીકોપ્ટરની મદદથી આબાદ બચાવ કરવામાં આવ્યો હતો અને હેલીકોપ્ટર દ્વારા માછીમારોને કિનારે પહોંચાડવામાં આવ્યા હતા.
કિનારે પહોંચતા માછીમારોના પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો અને દીવ પ્રશાસનનો આભાર વ્યક્ત કર્યો હતો. 108ની મદદ દીવ સરકારી હોસ્પિટલ પહોંચાડવામાંઆવ્યા ત્યાં આ સાતેય માછીમારોને સારવાર આપવામાં આવી હતી.
ગોમતી માતા બીચ પર બચાવ કાર્ય અને સાતેય માછીમારોને સુરક્ષિત કિનારા પર પહોંચાડવા બદલ કલેકટર શ્રીમતી સલોની રાય અને પોલીસ અધિક્ષક શ્રી અનુજ કુમારે પોરબંદર કોસ્ટગાર્ડનો આભાર માન્યો હતો. રેસ્કયુ સમયે ડિસ્ટ્રીકટ પંચાયત પ્રમુખ અમળતાબેન અમળતલાલ, વણાંકબારા સરપંચ મિનાક્ષીબેન જીવન, જિલ્લા પંચાયત સભ્ય લક્ષ્મીબેન મોહનભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. માછીમારોને બચાવવા ફાયર બ્રિગેડ, પોલીસકર્મીઓ વગેરે ઘટના સ્થળે પહોંચ્યા હતા.
Previous post