March 3, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

અતુલ કંપનીના એબોક્‍સી પ્‍લાન્‍ટના ત્રીજા માળે સેફટી બેલ્‍ટથી યુવાન કર્મચારીએ ફાંસો ખાઈ આપઘાત કર્યો

વલસાડ નાના સુરવાડાના 29 વર્ષિય પ્રફુલ્લ ભગવાન માંગેલાના આપઘાતથી પરિવાર અને કંપની કર્મચારીઓમાં આઘાત

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.18: અતુલ કંપનીમાં ફરજ બજાવતા યુવાન કર્મચારીએ કોઈ અગમ્‍ય કારણોસર પ્‍લાન્‍ટના ત્રીજા માળે સેફટી બેલ્‍ટથી ગળે ફાંસો ખાઈ આપઘાત કરી દેતા કંપની વર્તુળ અને પરિવારમાં આઘાતની લાગણી ફેલાઈ જવા પામી હતી.
વલસાડના નાના સુરવાડા ગામે રહેતો 29 વર્ષિય પ્રફુલ્લ ભગવાનભાઈ માંગેલા નામનો યુવાન બુધવારે રાબેતા મુજબ અતુલ કંપનીમાં ફરજ ઉપર ગયો હતો. નોર્થ સાઈટમાં કંપનીના એબોક્‍સી પ્‍લાન્‍ટના ત્રીજા માળે પ્રફુલ્લ ફરજ ઉપર હતો તેદરમિયાન સેફટી બેલ્‍ટ બાંધીને આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ અન્‍ય કર્મચારીઓને થતા મેનેજરને બનાવની તાત્‍કાલિક જાણ કરી હતી. મેનેજરે રૂરલ પોલીસમાં બનાવની જાણ કરતા પોલીસ અતુલ કંપનીમાં પહોંચી હતી. મૃતકની લાશ ઉતારી પી.એમ. માટે મોકલી વધુ આગળની તપાસ હાથ ધરી હતી. સાથી કર્મચારી પ્રફુલ્લની અણધારી વિદાયને લઈ કંપની અને પરિવારમાં ઘેરા આઘાતની લાગણી પ્રસરી જવા પામી હતી.

Related posts

નાની દમણના મરવડ ખાતે હોસ્‍પિટલના નિર્માણમાં કાર્યરત કામદારો સાથે જિલ્લા કલેક્‍ટર અને સંયુક્‍ત શ્રમ સચિવે આરોગેલો શ્રમયોગી પ્રસાદ

vartmanpravah

નાની દમણ કોલેજ રોડ ઉપર થયેલ મારામારીના ગુનાના આરોપીઓને તા. ૨૧ સપ્ટે. સુધીના પોલીસ રિમાન્ડ

vartmanpravah

ભારતના વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મદિવસના અવસરે રોટરી ક્લબ દાનહના સહયોગથી આદિત્‍ય એનજીઓ અને નરોલી પંચાયત દ્વારા યોજાઈ નિઃશુલ્‍ક ચિકિત્‍સા શિબિર

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દેશના ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહને વેસ્‍ટર્ન ઝોનલ કાઉન્‍સિલની બેઠકમાં હાજર રહેવા આપેલું વિધિવત આમંત્રણ

vartmanpravah

દૂધની પંચાયતમાં મહેસૂલ વિભાગ દ્વારા શિબિર યોજાશે

vartmanpravah

તા.૩૧ માર્ચના રોજ તિજોરી કચેરીઓ તથા બેંકો ખુલ્લી રહેશે

vartmanpravah

Leave a Comment