January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

અતુલ કંપનીના એબોક્‍સી પ્‍લાન્‍ટના ત્રીજા માળે સેફટી બેલ્‍ટથી યુવાન કર્મચારીએ ફાંસો ખાઈ આપઘાત કર્યો

વલસાડ નાના સુરવાડાના 29 વર્ષિય પ્રફુલ્લ ભગવાન માંગેલાના આપઘાતથી પરિવાર અને કંપની કર્મચારીઓમાં આઘાત

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.18: અતુલ કંપનીમાં ફરજ બજાવતા યુવાન કર્મચારીએ કોઈ અગમ્‍ય કારણોસર પ્‍લાન્‍ટના ત્રીજા માળે સેફટી બેલ્‍ટથી ગળે ફાંસો ખાઈ આપઘાત કરી દેતા કંપની વર્તુળ અને પરિવારમાં આઘાતની લાગણી ફેલાઈ જવા પામી હતી.
વલસાડના નાના સુરવાડા ગામે રહેતો 29 વર્ષિય પ્રફુલ્લ ભગવાનભાઈ માંગેલા નામનો યુવાન બુધવારે રાબેતા મુજબ અતુલ કંપનીમાં ફરજ ઉપર ગયો હતો. નોર્થ સાઈટમાં કંપનીના એબોક્‍સી પ્‍લાન્‍ટના ત્રીજા માળે પ્રફુલ્લ ફરજ ઉપર હતો તેદરમિયાન સેફટી બેલ્‍ટ બાંધીને આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ અન્‍ય કર્મચારીઓને થતા મેનેજરને બનાવની તાત્‍કાલિક જાણ કરી હતી. મેનેજરે રૂરલ પોલીસમાં બનાવની જાણ કરતા પોલીસ અતુલ કંપનીમાં પહોંચી હતી. મૃતકની લાશ ઉતારી પી.એમ. માટે મોકલી વધુ આગળની તપાસ હાથ ધરી હતી. સાથી કર્મચારી પ્રફુલ્લની અણધારી વિદાયને લઈ કંપની અને પરિવારમાં ઘેરા આઘાતની લાગણી પ્રસરી જવા પામી હતી.

Related posts

સરીગામ બાયપાસ માર્ગનું મંત્રી કનુભાઈ દેસાઈએ કરેલું ખાતમુહૂર્ત

vartmanpravah

વાપી છરવાડા રમઝાનવાડી સોફાની દુકાનમાં ભીષણ આગ લાગતા લાખોનો સામાન બળીને ખાખ

vartmanpravah

સેલવાસના પ્રવેશદ્વાર પીપરિયા બ્રિજના વાપી તરફના છેડે ખડકાયેલા કચરાના ડુંગરની સેલવાસ ન.પા.ના અધ્‍યક્ષ રજની શેટ્ટીએ વલસાડ જિલ્લા કલેક્‍ટરને કરેલી ફરિયાદ

vartmanpravah

વલસાડમાં મેજીસ્‍ટ્રેટ દ્વારા બહાર પડાયેલ જાહેરનામામાં ગણેશજીની મૂર્તિની 9 ફૂટ ઊંચાઈ અંગે ગણેશ મંડળોનો વિરોધ

vartmanpravah

ગણતરીના કલાકોમાં પલસાણા ચોરીનો ભેદ ઉકેલતી એસ.ઓ.જી.

vartmanpravah

પાણી પૂરવઠા રાજ્યમંત્રીશ્રી જીતુભાઇ ચૌધરીએ વલસાડના પૂર અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી

vartmanpravah

Leave a Comment