June 30, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

અતુલ કંપનીના એબોક્‍સી પ્‍લાન્‍ટના ત્રીજા માળે સેફટી બેલ્‍ટથી યુવાન કર્મચારીએ ફાંસો ખાઈ આપઘાત કર્યો

વલસાડ નાના સુરવાડાના 29 વર્ષિય પ્રફુલ્લ ભગવાન માંગેલાના આપઘાતથી પરિવાર અને કંપની કર્મચારીઓમાં આઘાત

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.18: અતુલ કંપનીમાં ફરજ બજાવતા યુવાન કર્મચારીએ કોઈ અગમ્‍ય કારણોસર પ્‍લાન્‍ટના ત્રીજા માળે સેફટી બેલ્‍ટથી ગળે ફાંસો ખાઈ આપઘાત કરી દેતા કંપની વર્તુળ અને પરિવારમાં આઘાતની લાગણી ફેલાઈ જવા પામી હતી.
વલસાડના નાના સુરવાડા ગામે રહેતો 29 વર્ષિય પ્રફુલ્લ ભગવાનભાઈ માંગેલા નામનો યુવાન બુધવારે રાબેતા મુજબ અતુલ કંપનીમાં ફરજ ઉપર ગયો હતો. નોર્થ સાઈટમાં કંપનીના એબોક્‍સી પ્‍લાન્‍ટના ત્રીજા માળે પ્રફુલ્લ ફરજ ઉપર હતો તેદરમિયાન સેફટી બેલ્‍ટ બાંધીને આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ અન્‍ય કર્મચારીઓને થતા મેનેજરને બનાવની તાત્‍કાલિક જાણ કરી હતી. મેનેજરે રૂરલ પોલીસમાં બનાવની જાણ કરતા પોલીસ અતુલ કંપનીમાં પહોંચી હતી. મૃતકની લાશ ઉતારી પી.એમ. માટે મોકલી વધુ આગળની તપાસ હાથ ધરી હતી. સાથી કર્મચારી પ્રફુલ્લની અણધારી વિદાયને લઈ કંપની અને પરિવારમાં ઘેરા આઘાતની લાગણી પ્રસરી જવા પામી હતી.

Related posts

ચીવલ મરીમાતા મંદિરે ગરબા મહોત્‍સવ યોજાયો

vartmanpravah

વાપી છીરી ગ્રામ પંચાયતના મહિલા સરપંચ દોઢ વર્ષથી પંચાયતમાં ફરક્‍યા સુધ્‍ધા નથી

vartmanpravah

26-વલસાડ બેઠક પર ઉમેદવારી પત્ર ભરવાના થયા શ્રીગણેશ : ભાજપ દ્વારા 4 ઉમેદવારી પત્ર ભરાયા

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં આજે દાનહના 704 લાભાર્થીઓને આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણમંત્રી મનસુખભાઈ માંડવિયા ગૃહ પ્રવેશ કરાવશે

vartmanpravah

કપરાડામાં મિલેટ ફેસ્‍ટીવલ દિવસની ઉજવણી, ખેડૂતોને વધુમાં વધુ યોજનાનો લાભ લેવા અનુરોધ કરાયો

vartmanpravah

સેલવાસમાં ભગવાન જગન્નાથની બે સ્‍થળોએ રથયાત્રા યોજાઈ

vartmanpravah

Leave a Comment