Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારી

તા.૩૧ માર્ચના રોજ તિજોરી કચેરીઓ તથા બેંકો ખુલ્લી રહેશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) નવસારીઃ તI.28

નાણાંકીય વર્ષના અંતિમ દિવસે તમામ સરકારી બીલો/ચેકોનું પેમેન્ટ થઇ જાય તે ખૂબ જ જરૂરી છે અને તે માટે સરકારી કામ કરતી બેંકો/તિજોરી કચેરીઓના તમામ બીલો/ચેકોનું પેમેન્ટ થઇ જાય ત્યાં સુધી ખુલ્લી રાખવી જરૂરી છે. જે અન્વયે નવસારી જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી અમિત પ્રકાશ યાદવે મળેલી સત્તાની રૂએ આગામી તા.૩૧/૦૩/૨૦૨૨ ના રોજ નવસારી જિલ્લાની જિલ્લા/પેટા તિજારી કચેરીઓ તેમજ નવસારી જિલ્લામાં આવેલી ભારતીય સ્ટેટ બેંકની તમામ શાખાઓ ચાલું નાણાંકીય વર્ષ ૨૦૨૧-૨૨ ની કામગીરી સમયસર પૂર્ણ થાય અને સરકારી નાણાંકીય લેવડ-દેવડના કામકાજ અર્થે સરકારી બીલો તથા ચેકોનું સંપૂર્ણ પેમેન્ટ થઇ જાય ત્યાં સુધી એટલે કે રાત્રિના ૧૨-૦૦ કલાક સુધી ખુલ્લી રાખવા હુકમ કરવામાં આવ્યો છે. આ હુકમનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Related posts

દાદરા ગામના ઉદ્યોગપતિ ગુમ થતાં ફરિયાદ

vartmanpravah

ચીખલી તાલુકા કોંગ્રેસ દ્વારા રૂમલા ખાતે ધારાસભ્‍ય અનંત પટેલની આગેવાનીમાં ‘સંકલ્‍પ સત્‍યાગ્રહ સંમેલન’ યોજાયું

vartmanpravah

વાપીથી વલવાડા વચ્‍ચે હાઈવે ઉપર બે કરુણ અકસ્‍માત: બાઈક ચાલક યુવાનનું અને રોડ ક્રોસ કરતી યુવતીનું મોત

vartmanpravah

પારડી હાઈવે ઉપર શનિવારે રાત્રે એક ટેમ્‍પો આઠ કાર સહિત 9 વાહનો ભટકાયા : કોઈ જાનહાની નહીં

vartmanpravah

ચીખલીના નોગામા ગામે ઘરો નજીક તળાવના ખોદકામથી ચોમાસામાં જાનહાની ન થાય તે માટે પાળો બનાવવા કરાયેલી માંગ

vartmanpravah

વાપી દમણગંગા નદી કિનારે ગણેશ વિસર્જનમાં પર્યાવરણની જાળવણી કરવા 300 છોડનું વિતરણ કરાયું

vartmanpravah

Leave a Comment