October 2, 2023
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ભારતના વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મદિવસના અવસરે રોટરી ક્લબ દાનહના સહયોગથી આદિત્‍ય એનજીઓ અને નરોલી પંચાયત દ્વારા યોજાઈ નિઃશુલ્‍ક ચિકિત્‍સા શિબિર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.17: દાદરા નગર હવેલીના નરોલી પંચાયત ખાતે રોટરી ક્‍લબ ઓફ દાદરા નગર હવેલી, આદિત્‍ય એનજીઓ અને નરોલી પંચાયતના સહયોગ દ્વારા દુનિયાના લોકપ્રિય નેતા અને ભારત દેશના યશસ્‍વી વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મદિવસના અવસરે નિઃશુલ્‍ક મેગા ચિકિત્‍સા શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમનો શુભારંભ દીપ પ્રાગટય કરી કરવામાં આવ્‍યો હતો. પ્રધાનમંત્રીના જન્‍મદિવસની ઉજવણી કેક કાપી કરવામાં આવી હતી. નરોલી પંચાયત હોલમાં ભાજપા મંડળ પ્રમુખ શ્રી યોગેશસિંહ સોલંકી દ્વારા ચાર યુવા અને ચાર મહિલાઓને રોજગારપત્ર આપી નોકરી લગાવવાનું વચન પૂર્ણ કર્યું હતું. આ મેડિકલ કેમ્‍પમાં શુગર ચેકઅપ, આંખની તપાસ બાદ જેઓને મોતિયા બિંદ હોય તેઓને રોટરી આઈ ઈન્‍સ્‍ટિટયૂટ નવસારી ખાતે મફત ઓપરેશન કરવામાં આવશે અને જેઓના નંબરઆવ્‍યા હોય તેઓને મફત ચશ્‍માનું પણ વિતરણ કરવામાં આવ્‍યું હતું. આ શિબિરમાં હાર્ટના ડો. સાગર સોલંકી, ચામડીના રોગના ડો. હરસિદ્ધિ રાઠોડ, નાના બાળકોમાં કુપોષણ અન્‍ય બીમારી માટે ડો.મિત્તલ પટેલ, ન્‍યુરોસર્જન ડો.જીગર શાહ, મનોચિકિત્‍સક ડો.ધવલ પટેલ, દાંતના ડો.અમિત માથુર સહિત ડોક્‍ટરો અને એમની ટીમે સેવા આપી હતી. આ શિબિરનો 3000 થી વધુ લોકોએ ભાગ લીધો હતો.
આ અવસરે આદિત્‍ય એનજીઓના પ્રમુખ શ્રીમતી જુલી સોલંકી, સરપંચ શ્રીમતી રિનાબેન પટેલ, સભ્‍ય શ્રી યોગેશસિંહ સોલંકી, રોટરી ક્‍લબ દાનહના પ્રમુખ શ્રી મિલન પટેલ, શ્રી વિરલસિંહ રાજપૂત, શ્રી યશવંતસિંહ પરમાર સહિત એમની ટીમ, વલસાડથી ખાસ પધારેલ ભીડ ભંજન મહાદેવ મંદિરના સંચાલક શિવજી મહારાજ સહિત મોટી સંખ્‍યામાં લાભાર્થીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

એન્‍જિનિયર્સ એસોસિએશન ઓફ વાપી દ્વારા સંગીતમય અંતાક્ષરીનું કરવામાં આવેલું આયોજન

vartmanpravah

નવસારી વેજલપોર ખાતે મરાઠી પ્રાથમિક શાળામાં બેંક ઓફ બરોડા દ્વારા ચિત્રકલા સ્‍પધાનું કરવામાં આવેલું આયોજન

vartmanpravah

વાપી-ગાંધીનગર-મહેસાણા વધુ બે ટ્રેન સેવા અગામી ડિસેમ્‍બર તા.24 – જાન્‍યુઆરી તા.04 થી કાર્યરત થશે

vartmanpravah

ચીખલીમાં વૈકલ્‍પિક એસ.ટી. બસ સ્‍ટેન્‍ડમાં અપૂરતી જગ્‍યા અને સલામતીની વ્‍યવસ્‍થાના અભાવ વચ્‍ચે મુસાફરોની ભીડમાં વધી રહેલી ચોરીની ઘટનાઓ

vartmanpravah

દીવ ન.પા.ના નવનિર્વાચિત પ્રમુખ હેમલતાબેન સોલંકીના સન્‍માન સમારંભમાં નરોલીમાં શિક્ષણ સંગઠન અને સેવાનો સર્જાયેલો ત્રિવેણી સંગમ

vartmanpravah

ક્રિમિનલ માનહાનીના કેસમાં જિલ્લા અને સત્ર ન્‍યાયાધિશ પી.કે.શર્માએ આપેલો આદેશ

vartmanpravah

Leave a Comment