(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા. રરઃ સેલવાસ નગરપાલિકાના વોર્ડ નંબર 13ના સભ્યએ બાવીસા ફળીયા પંચમુખી હનુમાન મંદિર રીંગ રોડ ચાર રસ્તા પર વારંવાર અકસ્માત થતા હોવાને કારણે બમ્પર બનાવવા અથવા બેરીકેટ કે ડ્રમ મુકવા બાબતે પોલીસ અધિક્ષકને લેખિત રજૂઆત કરવામા આવી છે. જેમાં જણાવ્યા અનુસાર બાવીસા ફળિયા પંચમુખી હનુમાન મંદિરની બાજુમાંથી રીંગ રોડ પસાર થાય છે મંદિરની બાજુમાં ચાર રસ્તા પડે છે જેના કારણે ચારે બાજુથી વાહન એક સાથે આવી જવાથી વારંવાર અકસ્માત થતા રહે છે. છેલ્લા બે દિવસ અગાઉ 32વર્ષનો કમલેશ પટેલ નામનો યુવાન એક્સીડન્ટ થવાને કારણે મરણ પામેલ છે તેમજ વારંવાર એક્સિડન્ટ આ સ્થળ પર થતા રહેછે. પાલિકા સભ્ય મીનાબેન પટેલે પોલીસ અધિક્ષકને આ જગ્યા પર બમ્પર અથવા બેરીકેટ કે ડ્રમ મૂકી એક્સિડન્ટ થતા રોકી શકાય એ માટે ઘટતુ કરવા જણાવ્યું હતું.