April 27, 2024
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

દમણ રાજ્‍ય કાનૂની સેવા પ્રાધિકરણ દ્વારા આપવામાં આવતી મફત કાનૂની સેવાઓ બાબતે થઈ રહેલોપ્રચાર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.12
દમણ રાજય કાનૂની સેવા પ્રાધિકરણ દ્વારા નીચે મુજબની મફત કાનૂની સેવાઓ આપવામાં આવે છે. જેનો ઘરે ઘરે જઈ પ્રચાર કરવામાં આવ્‍યો હતો
જેમાં મફત કાનૂની સેવાઓમાં મફન કાનૂની સહાય સલાહ કચેરી, રિમાંડ વખતે મફત વકીલની સહાય, મધ્‍યસ્‍થતા, પેનલ વકીલની સહાયતા, રાષ્‍ટ્રીય લોક અદાલત, કાયમી લોક અદાલત, લીગલ એઈડ ક્‍લિનીક, (દરેક ગ્રામ પંચાયતનો કચેરીમાં ઉપલબ્‍ધ), કાનૂની સ્‍વયંસેવકો (દરેક ગ્રામ પંચાયતોની કચેરીમાં ઉપલબ્‍ધ) છે. આ કાનૂની સેવાઓસ્ત્રીઓ અને બાળકો, અનુ. જાતિ/ અનુ. જનજાતી સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત જાતિના લોકો, ઔદ્યોગિક મજૂરો, મોટી આપત્તિઓ, હિંસા, પૂર, ધરતીકંપ, દુકાળ, ઔદ્યોગિક આપત્તિઓના લોકો, વરિષ્‍ઠ નાગરિકો, વિકલાંગો, રૂા. 1,00,000/-થી ઓછી આવક ધરાવતા ગરીબ લોકો, બેરોજગાર અને ગેરકાનૂની માનવ વેપારના શિકાર લોકો, માનસિક બિમાર અને માનસિક અશક્‍તગ્રસ્‍ત વ્‍યક્‍તિઓ, એસિડ હુમલાના પીડિતો મેળવવા પાત્રતા ધરાવે છે. જેમાં રાષ્‍ટ્રીય વિધિક સેવા પ્રાધિકરણ યોજનાઓમાં હેરફેરનો ભોગને જાતિય શોષણ યોજના ર01પ, અસંગઠીત ક્ષેત્રના શ્રમિકો માટે કાનૂની સેવાયોજના ર0ર1પ, બાળકો માટે બાળ મૈત્રીપૂર્ણ કાનૂની સેવા અને તેમના રક્ષણની યોજના ર01પ, માનસિક બીમાર અને માનસિક વિકલાંગ વ્‍યકિત માટે કાનૂની સેવા યોજના ર01પ, ગરીબી નાબૂદી અસરકારક અમલીકરણ યોજના ર01પ, આદિવાસી અધિકારના રક્ષણ અને અમલની યોજના 2015, કેફી દવાઓના દુરપયોગ અને દવાની આડ અસરથી પીડિત માટે કાનૂની સેવા યોજના ર01પ, તેજાબ દ્વારા હુમલાના ભોગ બનનાર માટે કાનૂની સેવા ર016, વરિષ્‍ઠ નાગરિકને કાનૂની સેવા ર016, આપત્તિ ભોગ બનનારને કાનૂની સેવા યોજનાનો સમાવેશ થાય છે.
ઉપરોક્‍ત તમામ સેવાઓનો લાભ લેવા માટે જિલ્લા વિધિક સેવા પ્રાધિકરણની કચેરી, સિવિલકોર્ટ, દમણ અથવા ફોન નંબર 0260-2230087નો દમણ જિલ્લા કાનૂની સેવા પ્રાધિકરણનો સંપર્ક સાધવા જણાવાયું છે.

Related posts

‘તોક્‍તે’ વાવાઝોડા બાદ દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા શરૂ કરાયેલા વર્મી કમ્‍પોસ્‍ટ પ્‍લાન્‍ટનું આજે એક વર્ષ પૂર્ણ

vartmanpravah

તોફાની વાવાઝોડું સાથે વરસાદના પગલે ચીખલી તાલુકામાં આંબા પર લાગેલી મંજરી(મોર) ખરી પડવાની શકયતા

vartmanpravah

મોટી દમણ-પટલારાના ભીખી માતાજી અને હરી હરેશ્વર મહાદેવ મંદિરના પાટોત્‍સવની ભવ્‍ય ઉજવણી સંપન્ન

vartmanpravah

દાનહ અને દમણ-દીવ માટે 26 જાન્‍યુ.એ ગૌરવની ઘડીનું થનારૂં સર્જન : સંઘપ્રદેશના ઈતિહાસમાં પહેલી વખત દિલ્‍હીના રાજપથ ઉપર પ્રજાસત્તાક દિવસે યોજાતી પરેડમાં દમણ-દીવના ટેબ્‍લોને મળેલું સ્‍થાન 

vartmanpravah

વાપી નજીકના પંડોરમાં અનોખો અનાવિલ સમાજનો સ્‍નેહ મિલન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દમણવાડા ગ્રા.પં.ના 61મા સ્‍થાપના દિવસની આનંદ ઉમંગ અને ઉત્‍સાહથી ઉજવણી: પૂર્વ સરપંચો અને સદ્‌ગત સરપંચોના પરિવારનું મોમેન્‍ટો અને શાલથી કરાયેલું સન્‍માન

vartmanpravah

Leave a Comment