April 25, 2024
Vartman Pravah
Breaking Newsનવસારી

ચીખલી વન વિભાગની તાબાના ગામોમાં ખેર સાગના વળક્ષો કાપવાના તુમારને મંજૂરી નહી મળતા ખેડૂતો અને કોન્ટ્રાક્ટરોમાં રોષ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી, તા.24
ચીખલી વન વિભાગની તાબાના ગામોમાં સિઝન શરૂ થયાને બે માસ જેટલો સમય વીતવા છતાં ખેર સાગના વળક્ષો કાપવાના તુમારને મંજૂરી નહી મળતા ખેડૂતો અને કોન્ટ્રાક્ટરોમાં રોષ ફેલાઈ જવા પામ્‍યો છે. મંજૂરી માટે તુમારો એસીએફ કચેરીએથી વલસાડ ડિવિઝન કચેરીમાં યેનકેન પ્રકારે મોકલવામાં જ નહીસ આવતા હોવાની ફરિયાદ ઉઠવા પામી છે
સાગ અને ખેરના વળક્ષો કાપવા માટે સંબંધિત ખેડૂતો સાથે કોન્‍ટ્રાકટર દ્વારા તુમાર તૈયાર કરવામાં આવતા હોય છે. રેંજ કચેરીએ તુમાર રજૂ થયા બાદ જરૂરી સર્વે સ્‍ટાફ દ્વારા કરાતું હોય છે. પરંતુ ચાલુ સિઝને ઓક્‍ટોબર માસમાં સિઝન શરૂ થયાને બે માસ જેટલો સમય વીતવા છતાં એક પણ તુમારને મંજૂરી મળી નથી અને 100થી વધુ તુમારો પેન્‍ડિંગ હોવાનું જાણવા મળેલ છે.
હાલે નજીકના સમયમાં આંબા કલમો ઉપર ફૂટ આવવાની હોય તે પૂર્વ ઝાડો કપાઈ તેવું ખેડૂતો ઇચ્‍છતા હોય છે. કલમો ઉપર ફૂટ આવી ગયા બાદ ઝાડો કાપવા ના સમયે નુકશાન થતું હોય છે.
આ અંગે ભાજપના હોદ્દેદારો, વેપારીઓ અને ખેડૂતોદ્વારા કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલને પણ રજૂઆત કરવામાં આવી હતી. જેમાં એસીએફ પોતે સ્‍થળ પર જોવા આવી કોઈ જોગવાઈ ન હોવા છતાં કોન્‍ટ્રાક્‍ટરે ફરજિયાત હાજર રહેવાનું જણાવી કોન્‍ટ્રાકટર હાજર ન હોય તો તુમાર જોવા વિના જ નીકળી જતા હોવાની અને કોઈ ને કોઈ ખામી કાઢી તુમારો મંજૂરી માટે વલસાડ ડિવિઝન કચેરીએ મોકલવામાં જ આવતા ન હોવાનું હોદ્દેદારો અને કોન્‍ટ્રાકટરો દ્વારા જણાવાયું હતું.
ગત વર્ષના પણ 30 થી 40 અને ચાલુ સીઝનના 100 જેટલા તુમારો પેન્‍ડિંગ હોવાથી વળક્ષો કાપવાની મંજૂરી ન મળતા ખેડૂતો અને કોન્‍ટ્રાક્‍ટરોમાં એસીએફની હેરાનગતિ કરવાની નિટીરીતિ સામે રોષ ફેલાઈ જવા પામ્‍યો છે.
બોક્ષ
એસીએફ એમ.એમ.રાઠવાના જણાવ્‍યાનુંસાર મારી પાસે તુમારો આવ્‍યા જ નથી. ચીખલી રેંજ કચેરીએ તુમારો મોકલવા સૂચના આપી છે. તુમારો મારી પાસે આવે તો હું જોઉં ને.

Related posts

વલસાડ જિલ્લાના ખેડૂતો બાગાયત વિભાગની સહાય યોજનાઓના લાભ મેળવવા I-KHEDUT પોર્ટલ ઉપર ૩૧ મે સુધી અરજી કરી શકાશે

vartmanpravah

કલેક્‍ટર ભાનુ પ્રભાની ઉપસ્‍થિતિમાં દાદરા નગર હવેલી પ્રશાસન દ્વારા ‘વિશ્વ દિવ્‍યાંગ દિવસ’ની કરાયેલી ઉજવણી

vartmanpravah

ભગવાન શ્રીકળષ્‍ણ વિશે આપત્તિજનક પોસ્‍ટ કરનારા ધરમપુર તાલુકાના તુંબી ગામના દંપતિ સામે કાર્યવાહી કરવા માંગ

vartmanpravah

સલવાવની સ્‍વામિનારાયણ સ્‍કૂલમાં વી.એચ.પી. દ્વારા 59 મા સ્‍થાપના દિનની ઉજવણી કરાઈ

vartmanpravah

તા.11થી 26 ઓગસ્‍ટ સુધી સંઘપ્રદેશના આરોગ્‍ય વિભાગ દ્વારા શાળા અને આંગણવાડીના બાળકો માટે શરૂ થનારૂં વિરાટ આરોગ્‍ય સ્‍ક્રીનિંગ અભિયાન

vartmanpravah

ભાજપની ત્રણ રાજ્‍યમાં પ્રચંડ જીતને વંકાલ ગામે કિસાન મોરચા દ્વારા ફટાકડા ફોડી વધાવવામાં આવી

vartmanpravah

Leave a Comment