(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.18
દાનહમાં એકપણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નથી તેમજ હાલમાં પ્રદેશમાં એકપણ કેસ પોઝિટીવ નથી. અત્યાર સુધીમાં 5916 કેસ રીકવર થઇ ચુકયા છે, ત્રણ વ્યક્તિના મોત થયેલ છે.
પ્રદેશમા આરટીપીસીઆરના 194 નમૂનાઓ લેવામા આવ્યા હતા અનેરેપિડ એન્ટિજન 239 નમૂના લેવામાં આવ્યા હતા.
દાનહ આરોગ્ય વિભાગ દ્વારા પીએચસી-સીએચસી સેન્ટર પર અને સબ સેન્ટરમાં કોવીશીલ્ડ વેક્સીનનું રસીકરણ કરવામાં આવ્યું હતું. જેમાં આજે 2747 લોકોને વેક્સીન આપવામા આવ્યા છે. પ્રદેશમા પ્રથમ ડોઝ 391446 અને બીજો ડોઝ 209028 વ્યક્તિઓને આપવામા આવ્યો છે કુલ 600474 લોકોને વેક્સીન આપવામા આવી છે.
–