January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના મજીગામમાં શ્રીજી નવરાત્રી મહોત્‍સવમાં મીડિયાકર્મીઓએ આરતીમાં ભાગ લઈ ગરબાની રમઝટને માણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.08: મજીગામના રાજુમામાં દ્વારા છેલ્લા ઘણા વર્ષથી ચીખલીમાં શ્રીજી નવરાત્રી મહોત્‍સવ સફળતાપૂર્વક યોજવામાં આવી રહ્યો છે. હાલે મજીગામના વેલકમ પાર્ટી પ્‍લોટમાં વિશાળ લીલાછમ મેદાનમાં સુર સાગર ઓરકેસ્‍ટ્રા સાથે સુપ્રસિધ્‍ધ ગાયક મુકેશ પાલણના કંઠના જાદુ સાથે હજ્‍જારોની સંખ્‍યામાં યુવાધન મોડી રાત સુધી ગરબાની રમઝટ માણી રહ્યું છે. આ દરમ્‍યાન મીડિયા કર્મી અને જિલ્લા ભાજપ કિસાન મોરચાના હોદ્દેદાર દિપકભાઈ સોલંકી ઉપરાંત જ્‍યોતિન્‍દ્રભાઈ છોવાલા, ચીખલી તાલુકા પ્રેસ કલબના પ્રમુખ ધર્મેશભાઈ પટેલ તથા મયુરભાઈ દેસાઈ, રુષ્‍યંત શર્મા, સ્‍નેહલ પટેલ, તરંગ નાયક સહિતના મીડિયા કર્મીઓએ આદ્યશક્‍તિ માઁ અંબાની આરતીમાં ભાગ લઈ માતાજીની પૂજા-અર્ચના કરી દર્શન કર્યા હતા. આ દરમ્‍યાન મુખ્‍ય આયોજક મજીગામના રાજુમામા તથા ભાજપના બક્ષીપંચ મોરચામાં જિલ્લાના ઉપપ્રમુખ સંજયભાઈ સમરોલી ઉપરાંત દિગ્નેશભાઈ, દિપક કાકુ, જીગાભાઈ, અશોકભાઈ, મીરા ફાર્મના મુકેશભાઈ સહિતના સાથીઓ દ્વારા મીડિયાકર્મીઓનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું.
આ દરમ્‍યાન પત્રકાર દીપકભાઈ સોલંકીએ વર્ષોથી શ્રી જીનવરાત્રીના સફળ આયોજન માટે રાજુમામા સહિત અને સુપ્રસિધ્‍ધ ગાયક મુકેશભાઈ સહિતની ટીમને અભિનંદન પાઠવ્‍યા હતા.

Related posts

સમગ્ર દમણ રામમય બન્‍યુ : ભગવાન રામની શોભાયાત્રામાં ઉમટેલો માનવ મહેરામણ: ઠેર ઠેર ભગવાન રામની શોભાયાત્રાનું કરાયેલું સન્‍માન : રામરાજ્‍યના જયઘોષની આહલેખ

vartmanpravah

ભારત સરકારના નીતિ આયોગના સભ્‍ય ડો. વી.કે.પોલ અને તેમની ટીમ દાનહના વિકાસથી પણ પ્રભાવિત

vartmanpravah

દાનહ શિક્ષણ વિભાગ દ્વારા પૂર્વ પ્રાથમિક શિક્ષકો માટે આયોજીત તાલીમનું મસાટ હાઈસ્‍કૂલ ખાતે સમાપન

vartmanpravah

પ્રશાસક પ્રફુલભાઈ પટેલની પ્રેરણાથી દમણઃ વરકુંડ ગ્રા.પં.ના સરપંચ કિરીટ મીટના અને જિ.પં. સભ્‍ય સદાનંદ મીટનાએ વરકુંડ સરકારી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને કરાવેલું તિથિ ભોજન

vartmanpravah

દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં વીજ દરના વધારા-ઘટાડાના સંદર્ભમાં જેઈઆરસીની જન સુનાવણી 

vartmanpravah

મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલના નેતૃત્‍વમાં રાજ્‍યના ઊર્જામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા રાજ્‍યના વીજ ગ્રાહકોને વધુ સારી વીજ સેવાઓ મળે તે માટે રાજ્‍ય સરકારનો મહત્‍વપૂર્ણ નિર્ણય

vartmanpravah

Leave a Comment