Vartman Pravah
Breaking Newsદમણ

દમણ ભેંસલોર કોળીવાડ ખાતે દુણેઠા પંચાયત દ્વારા દિવસની ચૌપાલ યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક)
દમણ, તા.0પ
આજરોજ નાની દમણના ભેંસલોર-કોળીવાડ ખાતે ગોતરેજ માતાના મંદિરમાં દુણેઠા પંચાયત દ્વારા દિવસની ચૌપાલનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં પ્રશાસન દ્વારા સોલિડ વેસ્‍ટ (હેન્‍ડલીંગ એન્‍ડ મેનેજમેન્‍ટ) બાયલોઝ 2021 ની જાણકારી આપવામાં આવી. આ ચૌપાલમાં સરપંચ શ્રીમતી સવિતાબેન ભરતભાઈ તથા પંચાયત સેક્રેટરી શ્રીમતી અમિતા પટેલ સહિત ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા.
આ ચૌપાલ દરમ્‍યાન ગામના લોકોને ઉત્‍પન્ન કચરાની વિવિધ શ્રેણીઓ જેવી કે બાયો ડિગ્રેડેબલ વેસ્‍ટ, નોન બાયોડિગ્રેડેબલ વેસ્‍ટ, પ્‍લાસ્‍ટિક વેસ્‍ટ, જોખમી કચરો, બાયો મેડિકલ વેસ્‍ટ, કન્‍સ્‍ટ્રક્‍શન અને ડિમોલિશન વેસ્‍ટ અંગે જાણકારી આપવામા આવી હતી. પંચાયત ક્ષેત્રમાં સ્‍વચ્‍છતા અંગે દેખભાળ માટે પંચાયત દ્વારા બનાવવામા આવેલ વોટ્‍સએપ ગ્રુપ અંગે પણ જાણકારી આપવામા આવી હતી. જેમાં સરપંચ, ચૂંટાયેલા સભ્‍ય અને પંચાયત સચિવ સામેલ છે.
ઉપરાંત ગ્રામજનોને સૂચનાત્‍મક પેમ્‍ફલેટ પણ વિતરણ કરવામા આવ્‍યા હતા. જેમા બાયો ડિગ્રેડેબલ અને રિસાયકલ કચરો, બાયો મેડિકલ કચરા અંગે જાણકારી હતી. ગામના લોકોને સ્‍વચ્‍છતાની સુવિધાઓનો ઉપયોગ કરવા સાથે સ્‍વચ્‍છતાનું પાલન કરવા માટે આગ્રહ કરવામા આવ્‍યો હતો. સામાન્‍ય જનતાને સ્‍વચ્‍છતા સુવિધાઓનોઉપયોગ કરવાની સાથે સ્‍વચ્‍છતાનું પાલન કરવા માટે પણ સંવેદનશીલ બનાવવામાં આવી હતી.
આ રાત્રિ ચૌપાલમાં પંચાયતના સરપંચ અને પંચાયત સચિવ અને સામાન્‍ય જનતાને સૂચિત કરવામા આવી હતી કે, તા.26મી જાન્‍યુઆરી આ પ્રકારની સાપ્તાહિક આવી રાત્રિ ચૌપાલનું આયોજન કરવામા આવે કે જેથી જનતાને સોલિડ વેસ્‍ટ હેન્‍ડલિંગ અને મેનેજમેન્‍ટ ઉપનિયમ 2021અંગે જાગળત કરી શકાય અને ઉપનિયમ અને સ્‍વચ્‍છતાને જનભાગીદારી આંદોલન બનાવી શકાય.

Related posts

દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રી પદેથી વિવેક દાઢકરની છુટ્ટીઃ અંદામાન અને નિકોબાર દ્વીપ સમૂહની સોંપેલી જવાબદારી

vartmanpravah

ધરમપુર વ્‍યાસઆશ્રમ ખાતે દિપકસિંહ દેસાઈનો નિવૃત્તિ સન્‍માન સમારંભ યોજાયો

vartmanpravah

દમણના સેશન જજ શ્રીધર એમ. ભોસલેનો શકવર્તી ચુકાદો દમણનાબહુચર્ચિત સલીમ મેમણ હત્‍યા પ્રકરણમાં છને આજીવન કારાવાસની સજાઃ ઉપેન્‍દ્ર રાય અને હનીફ અજમેરીને મળેલો શંકાનો લાભ

vartmanpravah

જાયન્ટસ ગ્રુપ ઓફ વલસાડ દ્વારા વિદ્યાર્થીઓને શૈક્ષિણક કીટ વિતરણ

vartmanpravah

દાનહના આદિવાસી વિકાસ સંગઠન સંચાલિત ‘આદિવાસી ભવન’ હવે ‘એકલવ્‍ય ભવન’ તરીકે ઓળખાશે

vartmanpravah

ધરમપુરમાં સ્‍વામી વિવેકાનંદજીની ૧૬૦મી જન્‍મજયંતી નિમિત્તે પુષ્‍પાંજલિ કાર્યક્રમ યોજાયો: કોવિડની ગાઈડલાઈનને અનુસરી યુવા સંમેલન અને યુવા સેમિનાર આ વર્ષે પણ મોકૂફ રખાયા

vartmanpravah

Leave a Comment