Vartman Pravah
Breaking Newsગુજરાતદમણદીવદેશસેલવાસ

દાનહ અને દમણ-દીવના વિદ્યુત વિભાગ/નિગમનું ખાનગીકરણ : માર્કેટ વેલ્‍યુના અંદાજ સામે પ્રશ્નાર્થ

  • વિદ્યુત વિભાગ/નિગમની માર્કેટ વેલ્‍યુ ગ્રાહકો, ટર્નઓવર, નફા વગેરેના પરિમાણના આધારે નક્કી કરવાની જગ્‍યાએ પ્રદેશમાં પાથરવામાં આવેલા કેબલ,થાંભલા, ઓવરહેડ લાઈન, ડીપી વગેરે અસ્‍ક્‍યામતોના આધારે થયેલું મૂલ્‍યાંકન

  • ટોરેન્‍ટ પાવર માટે સોનાની ટંકશાળ પૂરવાર થનારો સોદો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.12
કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના વિદ્યુત વિભાગ/ નિગમના ખાનગીકરણની પ્રક્રિયા દરમિયાન માર્કેટ વેલ્‍યુ નક્કી કરવા માટેના માપદંડોમાં ભારત સરકારના ઊર્જા મંત્રાલયે આપેલા દિશા-નિર્દેશોના કારણે ક્ષતિ રહી ગઈ હોવાનું સામે આવી રહ્યું છે. દાદરા નગર હવેલી અને દમણ-દીવના વિદ્યુત વિભાગ/નિગમનું માર્કેટ વેલ્‍યુ રૂા.5000 કરોડ કરતા વધુ હોવા છતાં તેને મર્યાદિત કરી ફક્‍ત રૂા.360 કરોડના આજુબાજુ દર્શાવેલ હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્‍ત માહિતી પ્રમાણે દાદરા નગર હવેલી અને દમણ-દીવના વિદ્યુત વિભાગ/નિગમના ખાનગીકરણની પ્રક્રિયા દરમિયાન માર્કેટ વેલ્‍યુ બિઝનેસ અને ગ્રાહકોના આધાર ઉપર નક્કી કરવાની જગ્‍યાએ જમીનમાં પાથરવામાં આવેલા કેબલો, થાંભલા, લટકતા તાર, ડીપી વગેરેના આધારે મૂલ્‍યાંકન કરાયું હોવાનું જાણવા મળે છે. આ બાબતે હજુ સુધી સત્તાવાર માહિતી સાંપડી નથી પરંતુ જ્ઞાત સાધનોના જણાવ્‍યા પ્રમાણે ભારત સરકારના ઊર્જા મંત્રાલયે આપેલા દિશા-નિર્દેશનું પાલન વિભાગ અને નિગમે કર્યુ હતું.
દાદરા નગર હવેલી અનેદમણ-દીવમાં લગભગ 90 ટકા કરતા વધુ ગ્રાહકો ઔદ્યોગિક અને વાણિજ્‍યક છે. જ્‍યારે માત્ર 10 ટકા ગ્રાહકો જ ડોમેસ્‍ટિક કે એગ્રીકલ્‍ચરના હોવાની પણ માહિતી મળી છે. 90 ટકા ગ્રાહકો ઔદ્યોગિક અને વાણિજ્‍યક વપરાશકર્તા હોવાથી આ નફાકારક ધંધો અને સોદો હોવાનું સમજાય છે. ટોરેન્‍ટ પાવરે ફક્‍ત રૂા.555 કરોડની બોલી લગાવી 51 ટકા હિસ્‍સો ખરીદી લીધો છે.
ટોરેન્‍ટ પાવર માટે તો દાદરા નગર હવેલી અને દમણ-દીવના વિદ્યુત વિભાગ/નિગમનો 51 ટકા હિસ્‍સો ખરીદવા મળેલી સફળતા સોનાની ટંકશાળ પૂરવાર થવાની છે. કારણ કે, હાલમાં જ વિભાગ દ્વારા રૂા.150 કરોડ કરતા વધુનો નફો રળવામાં આવે છે. પ્રદેશના વિદ્યુત વિભાગ/નિગમે અદ્યતનીકરણના પણ અનેક પગલાં ભર્યા હોવાથી ટોરેન્‍ટ પાવર માટે બીજે ખર્ચો કરવાની પણ હાલ તુરંત કોઈ જરૂરીયાત નથી. તેથી આવતા પાંચ વર્ષ સુધી ટોરેન્‍ટ પાવર પોતાના વિદ્યુતદરમાં વૃદ્ધિ નહી કરે તેની ખાતરી લઈ લેવી પણ ખુબ જરૂરી છે.

Related posts

ચીખલીના સરૈયામાં હાઈવા અને ટેમ્‍પો વચ્‍ચે સર્જાયેલા અકસ્‍માતમાં બેના મોત

vartmanpravah

બી.આર.ઍસ. કોલેજ થવા-ભરૂચ ખાતે ઍન.ઍસ.ઍસ.ઍકમ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ મહાયજ્ઞમા સંસ્થાના મંત્રી શ્રી માનસિંહભાઈ માંગરોલા, પ્રમુખશ્રી યોગેશભાઈ જોશી, તમામ વિભાગના આચાર્યશ્રીઓ, તમામ કર્મચારીગણ તેમજ ઍન.ઍસ.ઍસ. પ્રોગ્રામ ઓફિસર ડૉ. અજયભાઈ પટેલ દ્વારા ૫૦૦ વૃક્ષો રોપવામાં આવ્યા હતા.

vartmanpravah

ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુએ આજે નવી દિલ્હીમાં ‘Modi@20: Dreams Meet Delivery’ પુસ્તકનું વિમોચન કર્યું

vartmanpravah

વાપી બલીઠાથી નવા રેલવે ફાટક સુધી શિરોવેદના જેવી ટ્રાફિક સમસ્‍યા

vartmanpravah

‘વર્તમાન પ્રવાહ’નો પડઘો: ગણદેવીમાં રાજ્‍ય ધોરી માર્ગ દેસાડ અને જલારામ મંદિર ચાર રસ્‍તા પાસે ચેતવણી બોર્ડ લગાવાયું

vartmanpravah

પોર્ટુગીઝ આક્રમણનું સ્‍વરૂપ અને તત્ત્વજ્ઞાન

vartmanpravah

Leave a Comment