October 14, 2025
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

દાનહ શિક્ષણ વિભાગ દ્વારા ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ લાગુ કરાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.23

દાદરા નગર હવેલી અને દમણ-દીવ શિક્ષણ નિયામકની કચેરી દ્વારા અપાયેલ અખબારી યાદી મુજબ રાઈટ ઓફ ચિલ્‍ડ્રન ટુ ફ્રી એન્‍ડ કમ્‍પલસરી એજ્‍યુકેશન એક્‍ટ 12(1)જોગવાઈ હેઠળ બિન-અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમા ધોરણ એકમા 25 ટકા જેટલા નબળા અને વંચિત જૂથના બાળકોને વિના મુલ્‍યે પ્રવેશ આપવો ફરજીયાત છે,
આથી આર્થિક રીતે નબળા વર્ગ જે કુટુંબોની આવક એક લાખ કે તેથી ઓછી હોય તેવા કુટુંબો શારીરિક રીતે અક્ષમ બાળકો 40 ટકા કરતા વધુ અક્ષમતાનું પ્રમાણપત્ર ધરાવતા બાળકો, અનુસૂચિત જનજાતિ, અનુસુચિત જાતિ એસસી વર્ગના અને ઓબીસી જે દાનહના પ્રશાસનના જાહેરનામામાં સૂચિત કરવામા આવેલું છે. એવા બાળકો પ્રવેશ માટે પાત્ર ગણવામા આવશે.
ઉપરોક્‍ત ઉલ્લેખ કરેલ વર્ગના બાળકો કે જેઓ એ છ વર્ષ પુર્ણ કરેલ હોય, તેમની ઉંમર મર્યાદા માટેસંદર્ભ તારીખ 30મી સપ્‍ટેમ્‍બર 2022 રહેશે. શાળાના નામની યાદી અને પ્રવેશની અનામત જગ્‍યા, ધ્‍યાનમાં લઇ જરૂરી આધાર પુરાવાઓ સાથે પ્રવેશ અરજી શિક્ષણ વિભાગ, દાદરા નગર હવેલી, સેલવાસ અને સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા મરાઠી મીડીયમ, ખાનવેલ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી, દમણ અને દીવ ખાતે 21મી ફેબ્રુઆરી 2022સુધીમાં જાહેર રજા સિવાય ઓફિસ સમય દરમ્‍યાન જમા કરાવવાની રહેશે.
ખાનગી શાળામાં પ્રવેશ માટે અરજીપત્રકનો નિયત નમુનો અને ખાનગી શાળાની યાદી અને અનામત જગ્‍યા દર્શાવતા પત્રકને અધિકળત વેબસાઈટ https://ddd.gov.in પરથી ડાઉનલોડ કરી શકાશે. દાદરા નગર હવેલી અને દમણ દીવમાં કાયમી રહેઠાણ અંગેનુ પ્રમાણપત્ર ધરાવતા અરજદારોને પ્રથમ પસંદગી આપવામા આવશે.

Related posts

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે પરીક્ષા રદ કરતા વલસાડ યુવા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન

vartmanpravah

લવાછા દમણગંગા નદીમાં પૂજા કરવા પહેલા નદીમાં નહાવા પડેલ યુવાનનું ડૂબી જતા મોત

vartmanpravah

દાનહઃ પ્રાથમિક શાળાના શિક્ષકની નોકરીમાંથી છૂટા કરાયેલા ધર્મેશભાઈ ભોયાએ ગામડાઓમાં ભરાતા હાટ-બજારમાં કપડાંનું વેચાણ કરી આત્‍મનિર્ભરતાનું પુરૂં પાડેલું શ્રેષ્‍ઠ દૃષ્‍ટાંત

vartmanpravah

ચીખલી તાલુકામાં કમોસમી વરસાદ શેરડી કાપતા મજૂરો માટે મુસીબતઃ નાના બાળકો સાથે કાદવ કીચડમાં રહેવા મજબૂર

vartmanpravah

વાપી સલવાવ શ્રી બાપા સિતારામ આશ્રમમાં નિઃશુલ્‍ક દવાખાનાનો પ્રારંભ કરવામાં આવ્‍યો

vartmanpravah

શહીદ દિવસ નિમિત્તે ધરમપુર આર.એસ.એસ. આયોજિત રક્તદાન શિબિરમાં ૧૫૬ યુનિટ રક્તા એકત્રિત થયું

vartmanpravah

Leave a Comment