July 16, 2026
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

દાનહ શિક્ષણ વિભાગ દ્વારા ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ લાગુ કરાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.23

દાદરા નગર હવેલી અને દમણ-દીવ શિક્ષણ નિયામકની કચેરી દ્વારા અપાયેલ અખબારી યાદી મુજબ રાઈટ ઓફ ચિલ્‍ડ્રન ટુ ફ્રી એન્‍ડ કમ્‍પલસરી એજ્‍યુકેશન એક્‍ટ 12(1)જોગવાઈ હેઠળ બિન-અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમા ધોરણ એકમા 25 ટકા જેટલા નબળા અને વંચિત જૂથના બાળકોને વિના મુલ્‍યે પ્રવેશ આપવો ફરજીયાત છે,
આથી આર્થિક રીતે નબળા વર્ગ જે કુટુંબોની આવક એક લાખ કે તેથી ઓછી હોય તેવા કુટુંબો શારીરિક રીતે અક્ષમ બાળકો 40 ટકા કરતા વધુ અક્ષમતાનું પ્રમાણપત્ર ધરાવતા બાળકો, અનુસૂચિત જનજાતિ, અનુસુચિત જાતિ એસસી વર્ગના અને ઓબીસી જે દાનહના પ્રશાસનના જાહેરનામામાં સૂચિત કરવામા આવેલું છે. એવા બાળકો પ્રવેશ માટે પાત્ર ગણવામા આવશે.
ઉપરોક્‍ત ઉલ્લેખ કરેલ વર્ગના બાળકો કે જેઓ એ છ વર્ષ પુર્ણ કરેલ હોય, તેમની ઉંમર મર્યાદા માટેસંદર્ભ તારીખ 30મી સપ્‍ટેમ્‍બર 2022 રહેશે. શાળાના નામની યાદી અને પ્રવેશની અનામત જગ્‍યા, ધ્‍યાનમાં લઇ જરૂરી આધાર પુરાવાઓ સાથે પ્રવેશ અરજી શિક્ષણ વિભાગ, દાદરા નગર હવેલી, સેલવાસ અને સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા મરાઠી મીડીયમ, ખાનવેલ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી, દમણ અને દીવ ખાતે 21મી ફેબ્રુઆરી 2022સુધીમાં જાહેર રજા સિવાય ઓફિસ સમય દરમ્‍યાન જમા કરાવવાની રહેશે.
ખાનગી શાળામાં પ્રવેશ માટે અરજીપત્રકનો નિયત નમુનો અને ખાનગી શાળાની યાદી અને અનામત જગ્‍યા દર્શાવતા પત્રકને અધિકળત વેબસાઈટ https://ddd.gov.in પરથી ડાઉનલોડ કરી શકાશે. દાદરા નગર હવેલી અને દમણ દીવમાં કાયમી રહેઠાણ અંગેનુ પ્રમાણપત્ર ધરાવતા અરજદારોને પ્રથમ પસંદગી આપવામા આવશે.

Related posts

હર ઘર તિરંગા અભિયાનઃ વલસાડ જિલ્લામાં 1.65 લાખ ઘર પર તિરંગો લહેરાશે

vartmanpravah

નાશિકના કાળીદાસ હોલ ખાતે વલસાડના જાદુગર ડી.લાલ (ધીમંત મસરાણી)ને જાદુ ભૂષણ નેશનલ એવોર્ડથી સન્‍માનકરાયું

vartmanpravah

મોકલસર ના કચ્‍છવાહ પરિવાર અને શક્‍તિ ગ્રૂપ દ્વારા વાપીમાં ચણોદ સ્‍થિત રાજસ્‍થાન ભવનમાં વિશાળ રક્‍તદાન શિબિરનું કરવામાં આવેલું આયોજન

vartmanpravah

મોટી દમણના ભામટી ખાતે સ્‍ટેટ ડેઝિગ્નેટેડ એજન્‍સી દ્વારા ઊર્જા સંરક્ષણના સંદર્ભમાં કરાયેલી બેઠક

vartmanpravah

જિ.પં. અધ્‍યક્ષ દામજીભાઈ કુરાડા અને ઉપ પ્રમુખ વંદનાબેન પટેલના નેતૃત્‍વમાં દાનહ જિ.પં.ની ટીમે ઉમરગામના ફણસા-કનાડુ ખાતે પોલ્‍ટ્રીફાર્મની કરેલી એક્‍સપોઝર મુલાકાતઃ આ પહેલને સંઘપ્રદેશમાં પણ આગળ વધારવાનો વિચાર

vartmanpravah

સ્‍ટેજ ફીઅર દૂર કરવા માટે વલસાડમાં નવરંગ મેગા ટેલેન્‍ટ શો યોજાયોઃ 110 લોકોએ પ્રતિભાના દર્શન કરાવ્‍યા

vartmanpravah

Leave a Comment