Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડ

વલસાડ જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક સપ્‍તાહની ઉજવણી 

વલસાડ તા.૧૧: રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ એ ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા રાષ્ટ્રીય પોષણ દિવસની મહત્‍વની વ્‍યુહરચનાઓમાંની એક છે. કૃમિ એ એનિમિયા અને પોષણની ઉણપનું કારણ બનવા ઉપરાંત માનસિક અને શારીરિક વિકાસ પણ અવરોધાય છે. ૧ થી ૧૯ વર્ષની વય જુથનાં બાળકોને કૃમિની સમસ્‍યા વધારે રહેતી હોઇ કૃમિનાં કારણે થતાં કુપોષણ અને એનિમિયાનું પ્રમાણ ઘટાડવાનાં હેતુથી રાષ્ટ્રીય કૃમિનાશક સપ્‍તાહની ઉજવણી ફેબ્રુઆરી અને ઓગસ્‍ટ એમ વર્ષમાં ૨ વખત કરવામાં આવે છે. જેમાં બાળકોને સામુહિક રીતે ૧ થી ૨ વર્ષનાં બાળકોને આલ્‍બેન્‍ડાઝોલ ટેબલેટ ૨૦૦ મી.ગ્રા. તથા ૨ થી ૧૯ વર્ષના બાળકોને ૪૦૦ મી.ગ્રા. આલ્‍બેન્‍ડાઝોલ ટેબલેટ આપવામાં આવે છે.

વલસાડ જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક સપ્‍તાહની ઉજવણી અંતર્ગત જિલ્લા વિકારા અધિકારી, મનીષ ગુરવાનીએ વલસાડ તાલુકાની વાઘલધરા, જેસીયા અને વાસણ પ્રામિક શાળાઓની મુલાકાત લઇ કામગીરીનું નિરીક્ષણ કરવાની સાથે જરૂરી માર્ગદર્શન પુરૂ પાડયું હતું. આ સાથે મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારી ડો.અનિલ પટેલ, તાલુકા હેલ્‍થ ઓફિસર અને પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રનાં મેડીકલ ઓફિસરો પણ હાજર રહ્‍યા હતાં. પારડી તાલુકાના સુખેશ પ્રાથમક શાળા ખાતે પારડી તાલુકા પંચાયત પ્રમુખ તથા સરપંચ દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક સપ્‍તાહ ઉજવણીનું ઉદ્‌ઘાટન કરવામાં આવ્‍યું હતું.

આ સપ્‍તાહ દ૨મ્‍યાન જિલ્લાનાં ૧ વર્ષથી ૧૯ વર્ષ સુધીનાં તમામ આંગણવાડી, શાળાઓ તથા શાળાએ ન જતાં બાળકોનાં ઘરે જઇ આલ્‍બેન્‍ડાઝોલ ટેબલેટ પીવડાવવામાં આવશે, એમ જિલ્લા વિકાસ અધિકારી તથા મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારી દ્વારા જણાવાયું છે.

Related posts

અમદાવાદના ગોઝારા અકસ્‍માતની ઘટનાબાદ વલસાડ જિલ્લા પોલીસ દ્વારા કોમ્‍બિંગ હાથ ધરી વાહનચાલકો સામે કાર્યવાહી કરે તે જરૂરી

vartmanpravah

સેલવાસમાં દમણગંગા નદીમાં ન્‍હાવા ગયેલા બે યુવાનોમાંથી એક યુવાન તણાયો

vartmanpravah

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર, માધ્‍યમિક અને ઉચ્‍ચતરમાધ્‍યમિક શાળા સલવાવ દ્વારા રંગે ચંગે ‘‘રાષ્‍ટ્રીય વિજ્ઞાન દિવસ”ની ઉજવણી કરાઈ

vartmanpravah

ધી લેડી વિલ્‍સન મ્‍યુઝિયમ ધરમપુર ખાતે વિશ્વ મહાસાગરો દિવસની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

રાષ્‍ટ્રીય મીડિયાના અહેવાલ મુજબ દમણ-દીવ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર તરીકે કેતનભાઈ પટેલની કરાયેલી પસંદગી

vartmanpravah

દમણ : શ્રી રાજમાન રાજ રાજેશ્વરી મેલડી માતાના મંદિરે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્‍સવનું સમાપન

vartmanpravah

Leave a Comment