Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુર જાગીરી પંચાયતમાં તલાટી દ્વારા 2021માં જન્‍મ-મરણ નોંધણી ઓનલાઈન ન કરાતા ગ્રામજનો મુશ્‍કેલીમાં

ભોગ બનનાર ગ્રામજનો પર 7 હજારનું આર્થિક સંકટઃ પ્રાંતમાં લેખિત રજૂઆત

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.16: આજરોજ તા.16/10/2024 ના દિને પ્રાંત અધિકારી શ્રી ધરમપુરને નડગધરી-જાગીરી ગ્રુપ ગામ પંચાયતમાં 2021 માં જન્‍મ અને મરણની ઓફલાઈન નોંધણી થયેલ પરંતુ તલાટી કમ મંત્રીરાયસીંગ ઝીણાભાઈ પટેલ દ્વારા ઓનલાઇન નોંધણી કરેલ ન હોય જેનું નિરાકરણ કરવા બાબતે રજૂઆત કરવામાં આવી હતી.
નડગધરી-જાગીરી ગામે જન્‍મની 31 નોંધણી અને મરણની 30 નોંધણી ગામના લોકો દ્વારા સમયસર કરેલ હોય પરંતુ તલાટી શ્રી રાયસીંગભાઈ પટેલ દ્વારા ઓનલાઇન નોંધણી કરેલ ન હોવાને કારણે ગરીબ આદિવાસી લોકોએ જન્‍મ કે મરણનો દાખલો કઢાવડાવવા માટે આશરે 7000 થી વધુનો ખર્ચ થતો હોય છે. આદિવાસી પરિવારો માંડ મજૂરી કરીને જીવે છે ત્‍યારે આ આશરે 7000 થી વધારે રકમ કયાંથી લાવે તલાટી કમ મંત્રીના ભૂલના કારણે આ ગરીબ પરિવારે ખર્ચ ભોગવવા પડે એમ હોય જે બાબતે આજરોજ નડગધરી ગામના આગેવાન દિનેશભાઈ અને ગામના આગેવાનો સાથે નિરાકરણ બાબતે પ્રાંત અધિકારી શ્રી ધરમપુરને યોગ્‍ય નિરાકરણ બાબતે રજુઆત કરવામાં આવી હતી.

Related posts

નાની દમણના ટેક્ષી સ્‍ટેન્‍ડના પાછળના ભાગમાં એકાદ સપ્તાહથી ફરતો કપિરાજ આખરે પાંજરે પુરાયો

vartmanpravah

ટુકવાડામાં પાંજરામાં રાખેલ મારણ કરવા જતા ખુંખાર દિપડો પાંજરે પુરાયો

vartmanpravah

ગોવાના રાજ્‍યપાલ પી.એસ. શ્રીધરન પિલ્લઈએ સંઘપ્રદેશ થ્રીડી અને લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલભાઈ પટેલનું કરેલું ભવ્‍ય સ્‍વાગત: દિલ્‍હીના ઉપ રાજ્‍યપાલ વિનય કુમાર સક્‍સેના પણ ઉપસ્‍થિત રહ્યા

vartmanpravah

દમણ માછી સમાજ દ્વારા આયોજીત શ્રીમદ્‌ દેવી ભાગવત કથાની હવન આહુતિ સાથે કરાયેલી પૂર્ણાહુતિ

vartmanpravah

દાનહ સાંસદ કલાબેન ડેલકરે પ્રદેશના અતિ બિસ્‍માર રસ્‍તાઓનો લોકસભામા ઉઠાવેલો મુદ્દો

vartmanpravah

આમધરામાં ગ્રામસભામાં સરપંચ અને ડે.સરપંચ ગેરહાજર રહેતા રોષે ભરાયેલા લોકોએ હોબાળો કરતા ગ્રામસભા રદ્‌ કરવાની પડેલી ફરજ

vartmanpravah

Leave a Comment