October 21, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુર જાગીરી પંચાયતમાં તલાટી દ્વારા 2021માં જન્‍મ-મરણ નોંધણી ઓનલાઈન ન કરાતા ગ્રામજનો મુશ્‍કેલીમાં

ભોગ બનનાર ગ્રામજનો પર 7 હજારનું આર્થિક સંકટઃ પ્રાંતમાં લેખિત રજૂઆત

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.16: આજરોજ તા.16/10/2024 ના દિને પ્રાંત અધિકારી શ્રી ધરમપુરને નડગધરી-જાગીરી ગ્રુપ ગામ પંચાયતમાં 2021 માં જન્‍મ અને મરણની ઓફલાઈન નોંધણી થયેલ પરંતુ તલાટી કમ મંત્રીરાયસીંગ ઝીણાભાઈ પટેલ દ્વારા ઓનલાઇન નોંધણી કરેલ ન હોય જેનું નિરાકરણ કરવા બાબતે રજૂઆત કરવામાં આવી હતી.
નડગધરી-જાગીરી ગામે જન્‍મની 31 નોંધણી અને મરણની 30 નોંધણી ગામના લોકો દ્વારા સમયસર કરેલ હોય પરંતુ તલાટી શ્રી રાયસીંગભાઈ પટેલ દ્વારા ઓનલાઇન નોંધણી કરેલ ન હોવાને કારણે ગરીબ આદિવાસી લોકોએ જન્‍મ કે મરણનો દાખલો કઢાવડાવવા માટે આશરે 7000 થી વધુનો ખર્ચ થતો હોય છે. આદિવાસી પરિવારો માંડ મજૂરી કરીને જીવે છે ત્‍યારે આ આશરે 7000 થી વધારે રકમ કયાંથી લાવે તલાટી કમ મંત્રીના ભૂલના કારણે આ ગરીબ પરિવારે ખર્ચ ભોગવવા પડે એમ હોય જે બાબતે આજરોજ નડગધરી ગામના આગેવાન દિનેશભાઈ અને ગામના આગેવાનો સાથે નિરાકરણ બાબતે પ્રાંત અધિકારી શ્રી ધરમપુરને યોગ્‍ય નિરાકરણ બાબતે રજુઆત કરવામાં આવી હતી.

Related posts

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ એક મહિનામાં બીજી વખત લક્ષદ્વીપની મુલાકાતેઃ શ્રમેવ જયતેનો ચરિતાર્થ મંત્ર

vartmanpravah

સેલવાસ-ડોકમરડી ફલાયઓવર બ્રિજ નજીક રીંગ રોડ પર ટ્રકની ટક્કર વાગતા સાયકલ સવારનું ઘટના સ્‍થળ પર જ થયેલું મોત

vartmanpravah

વાપી નાનીતંબાડીના મહિલા સરપંચ લાંચ પ્રકરણમાં સસ્‍પેન્‍ડ કરાયા : એસીબી 5 હજારની લાંચ લેતા ઝડપ્‍યા હતા

vartmanpravah

દાનહના મસાટ ખાતે સરપંચ રંજીતભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં ચૌપાલ(ચોતરા) બેઠક યોજાઈ

vartmanpravah

ડાંગ, ધરમપુર વિસ્‍તારમાં પાર, તાપી, નર્મદા રિવર લિંક પ્રોજેક્‍ટનો ભભુકેલો વિરોધ

vartmanpravah

વલસાડ જિલ્લામાં કોરોના રફતાર અટકી : સોમવારે 141 પોઝિટિવ કેસ નોંધાયા

vartmanpravah

Leave a Comment