February 5, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુર જાગીરી પંચાયતમાં તલાટી દ્વારા 2021માં જન્‍મ-મરણ નોંધણી ઓનલાઈન ન કરાતા ગ્રામજનો મુશ્‍કેલીમાં

ભોગ બનનાર ગ્રામજનો પર 7 હજારનું આર્થિક સંકટઃ પ્રાંતમાં લેખિત રજૂઆત

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.16: આજરોજ તા.16/10/2024 ના દિને પ્રાંત અધિકારી શ્રી ધરમપુરને નડગધરી-જાગીરી ગ્રુપ ગામ પંચાયતમાં 2021 માં જન્‍મ અને મરણની ઓફલાઈન નોંધણી થયેલ પરંતુ તલાટી કમ મંત્રીરાયસીંગ ઝીણાભાઈ પટેલ દ્વારા ઓનલાઇન નોંધણી કરેલ ન હોય જેનું નિરાકરણ કરવા બાબતે રજૂઆત કરવામાં આવી હતી.
નડગધરી-જાગીરી ગામે જન્‍મની 31 નોંધણી અને મરણની 30 નોંધણી ગામના લોકો દ્વારા સમયસર કરેલ હોય પરંતુ તલાટી શ્રી રાયસીંગભાઈ પટેલ દ્વારા ઓનલાઇન નોંધણી કરેલ ન હોવાને કારણે ગરીબ આદિવાસી લોકોએ જન્‍મ કે મરણનો દાખલો કઢાવડાવવા માટે આશરે 7000 થી વધુનો ખર્ચ થતો હોય છે. આદિવાસી પરિવારો માંડ મજૂરી કરીને જીવે છે ત્‍યારે આ આશરે 7000 થી વધારે રકમ કયાંથી લાવે તલાટી કમ મંત્રીના ભૂલના કારણે આ ગરીબ પરિવારે ખર્ચ ભોગવવા પડે એમ હોય જે બાબતે આજરોજ નડગધરી ગામના આગેવાન દિનેશભાઈ અને ગામના આગેવાનો સાથે નિરાકરણ બાબતે પ્રાંત અધિકારી શ્રી ધરમપુરને યોગ્‍ય નિરાકરણ બાબતે રજુઆત કરવામાં આવી હતી.

Related posts

વાપી ગોલ્‍ડ કોઈન સર્કલથી ઝંડાચોકનો રોડ વરસાદમાં ચન્‍દ્રલોકની ધરતી જેવો બની ગયો

vartmanpravah

પ્રધાનમંત્રીએ અગ્રણી વિજ્ઞાન સંસ્થાઓ સાથેની વાતચીત અંગે ટ્વીટ્સ કર્યા

vartmanpravah

પારડીમાં નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં ૧૩માં ગરીબ કલ્યાણ મેળામાં ૩૫૧૬૩ લાભાર્થીને ૮૧ કરોડની સહાય ચૂકવાઈ

vartmanpravah

સંઘપ્રદેશની કન્‍યાઓ ડ્રાઈવીંગની તાલીમ લઈ સ્‍વનિર્ભર બનશે : પ્રશાસનનો નવતર પ્રયોગ

vartmanpravah

પ્રાદેશિક કમિશનર, ડૉ.ડી.ડી. કાપડિયા આઈએએસની અધ્‍યક્ષતામાં વાપી વીઆઈએ અને નગરપાલિકાની સંયુક્‍ત મિટિંગ યોજાઈઃ પાલિકા એસટીપી ટ્રીટેડ પાણીની ચર્ચા કરાઈ

vartmanpravah

ભિલાડ ખાતે તાજેતરમાં યોજાયેલ આંતરરાષ્‍ટ્રીય આદિવાસી દિવસની ઉજવણીમાં આદિવાસીઓની જોવા મળેલી પાંખી હાજરી

vartmanpravah

Leave a Comment