મહારાષ્ટ્ર સરકારના કેબિનેટ મંત્રી આદિત્ય ઠાકરે અને શિવસેનાના પ્રવક્તા સંજય રાઉત ખાસ ઉપસ્થિત રહ્યા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.22
દાદરા નગર હવેલીના પૂર્વ સાંસદ શ્રી મોહનભાઈ એસ.ડેલકરની પ્રથમ પુણ્યતિથિ નિમિતે સાયલી ડેલકર ફાર્મ ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યું હતું. આજના દિવસને ડેલકર પરિવાર અને તેમના સમર્થકો બલિદાન દિવસ તરીકે ઉજવ્યો હતો.
આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં મહારાષ્ટ્ર સરકારના કેબિનેટ મંત્રી શ્રી આદિત્ય ઠાકરે અને શિવસેનાના પ્રવક્તા શ્રી સંજયભાઈ રાઉત પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સ્વ.મોહનભાઈને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. સ્વ.શ્રી મોહનભાઈ ડેલકરના ધર્મપત્ની અને દાનહ લોકસભા બેઠકના સાંસદ કલાબેન ડેલકરે પ્રદેશની જનતાને સંબોધન કર્યું હતું.