August 31, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ નેશનલ હાઈવે ધરમપુર ચોકડી પાસે વાંકી નદીના પુલ ઉપરનો હાઈવે બંધ કરાયો

રસ્‍તાની હાલત ખરાબ હોવાથી મરામત માટે બંધ રખાયો : ટ્રાફિક માટે સર્વિસ રોડ પર ડાઈવર્ઝન અપાયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.28: વલસાડ ધરમપુર ચોકડી પાસે વાંકી નદી ઉપર પુલ ઉપર હાઈવે આજથી અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્‍યો છે. સુરતથી મુંબઈ તરફ જતા હાઈવે પુલ સહિત રોડની હાલત ખરાબ હોવાથી મરામત માટે હાઈવે ઓથોરિટીએ હાઈવે બંધ કરીને ડાઈવર્ઝન અપાયું છે.
ધરમપુર ચોકડી પાસે વાંકી નદી ઉપરનો પુલ વાળો રસ્‍તો અતિશય જર્જરિત અને ખરાબ થઈ ગયો હોવાથી વારંવાર અકસ્‍માતો સર્જાતા હતા તેથી આજ મુંબઈ તરફ જતો હાઈવે બંધ કરી દેવાયો છે. આવતીકાલથી આ રોડની મરામત કરવાની હોવાથી હાઈવે ઓથોરિટીએ નિર્ણય લીધો છે. હાઈવે ઉપર ટ્રાફિક જામ ના થાય તે માટે સર્વિસ રોડ ઉપર ડાઈવર્ઝન અપાયુ છે તેમજ ઓથોરિટીએ ડાઈવર્ઝન સહિત વાહન ‘‘ધીમે હાંકો” ના સાઈન બોર્ડ લગાવી દીધા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ સાથે હાઈવે ઉપર અમુક જગ્‍યાએ રોડ પણ ખરાબ છે તેની મરામતની કામગીરી પણ ત્‍વરીત હાથ ધરવી હતી.

Related posts

દાનહમાં વિશ્વ હિન્‍દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા શૌર્ય દિવસ નિમિત્તે યોજાયેલી બાઈક રેલી

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિવસના અવસરે દીવઃ સાઉદવાડી ગ્રામ પંચાયત વિસ્‍તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાઓના લાભાર્થીઓને કરાવાયો ગૃહ પ્રવેશ

vartmanpravah

દીવમાં ચેસ સ્‍પર્ધા-2022નું સફળતાપૂર્વક સમાપન

vartmanpravah

વાપી નોટિફાઈડ બોર્ડની મિટિંગ યોજાઈઃ ટ્રાફિક નિયંત્રિત કરવા માટે પે એન્‍ડ પાર્ક કાર્યરત કરાશે

vartmanpravah

કેન્‍દ્રિય રાજ્‍ય મંત્રી(આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય) કૌશલ કિશોરની ઉપસ્‍થિતિમાં દાનહ જિ.પં. અને સેલવાસ ન.પા. દ્વારા આયોજીત લાભાર્થી સંમેલન સંપન્નઃ લાભાર્થીઓને ચેક અને કિટનું કરાયેલું વિતરણ

vartmanpravah

પ્રદેશ ભાજપ યુવા મોર્ચાના અધ્‍યક્ષ ગૌરાંગભાઈ પટેલે પ્રશાસક પ્રફુલભાઈ પટેલના જન્‍મ દિનની બાળકો સાથે કેક કાપી કરેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment