રસ્તાની હાલત ખરાબ હોવાથી મરામત માટે બંધ રખાયો : ટ્રાફિક માટે સર્વિસ રોડ પર ડાઈવર્ઝન અપાયું
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.28: વલસાડ ધરમપુર ચોકડી પાસે વાંકી નદી ઉપર પુલ ઉપર હાઈવે આજથી અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. સુરતથી મુંબઈ તરફ જતા હાઈવે પુલ સહિત રોડની હાલત ખરાબ હોવાથી મરામત માટે હાઈવે ઓથોરિટીએ હાઈવે બંધ કરીને ડાઈવર્ઝન અપાયું છે.
ધરમપુર ચોકડી પાસે વાંકી નદી ઉપરનો પુલ વાળો રસ્તો અતિશય જર્જરિત અને ખરાબ થઈ ગયો હોવાથી વારંવાર અકસ્માતો સર્જાતા હતા તેથી આજ મુંબઈ તરફ જતો હાઈવે બંધ કરી દેવાયો છે. આવતીકાલથી આ રોડની મરામત કરવાની હોવાથી હાઈવે ઓથોરિટીએ નિર્ણય લીધો છે. હાઈવે ઉપર ટ્રાફિક જામ ના થાય તે માટે સર્વિસ રોડ ઉપર ડાઈવર્ઝન અપાયુ છે તેમજ ઓથોરિટીએ ડાઈવર્ઝન સહિત વાહન ‘‘ધીમે હાંકો” ના સાઈન બોર્ડ લગાવી દીધા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ સાથે હાઈવે ઉપર અમુક જગ્યાએ રોડ પણ ખરાબ છે તેની મરામતની કામગીરી પણ ત્વરીત હાથ ધરવી હતી.