March 3, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ નેશનલ હાઈવે ધરમપુર ચોકડી પાસે વાંકી નદીના પુલ ઉપરનો હાઈવે બંધ કરાયો

રસ્‍તાની હાલત ખરાબ હોવાથી મરામત માટે બંધ રખાયો : ટ્રાફિક માટે સર્વિસ રોડ પર ડાઈવર્ઝન અપાયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.28: વલસાડ ધરમપુર ચોકડી પાસે વાંકી નદી ઉપર પુલ ઉપર હાઈવે આજથી અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્‍યો છે. સુરતથી મુંબઈ તરફ જતા હાઈવે પુલ સહિત રોડની હાલત ખરાબ હોવાથી મરામત માટે હાઈવે ઓથોરિટીએ હાઈવે બંધ કરીને ડાઈવર્ઝન અપાયું છે.
ધરમપુર ચોકડી પાસે વાંકી નદી ઉપરનો પુલ વાળો રસ્‍તો અતિશય જર્જરિત અને ખરાબ થઈ ગયો હોવાથી વારંવાર અકસ્‍માતો સર્જાતા હતા તેથી આજ મુંબઈ તરફ જતો હાઈવે બંધ કરી દેવાયો છે. આવતીકાલથી આ રોડની મરામત કરવાની હોવાથી હાઈવે ઓથોરિટીએ નિર્ણય લીધો છે. હાઈવે ઉપર ટ્રાફિક જામ ના થાય તે માટે સર્વિસ રોડ ઉપર ડાઈવર્ઝન અપાયુ છે તેમજ ઓથોરિટીએ ડાઈવર્ઝન સહિત વાહન ‘‘ધીમે હાંકો” ના સાઈન બોર્ડ લગાવી દીધા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ સાથે હાઈવે ઉપર અમુક જગ્‍યાએ રોડ પણ ખરાબ છે તેની મરામતની કામગીરી પણ ત્‍વરીત હાથ ધરવી હતી.

Related posts

સેલવાસ બાવીસા ફળિયા બરમદેવ મંદિરનો પાટોત્‍સવ 4થી એપ્રિલે

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ-દમણ-દીવ અને લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં હિંમતનગરના ધારાસભ્‍ય વી.ડી.ઝાલાનો અભિવાદન સમારોહયોજાયો

vartmanpravah

ડેહલીમાં નિર્માણ થઈ રહેલી સોની સ્ટીલ એપ્લાયન્સ કંપનીના રસ્તાનો વિવાદ ફરી વકર્યો

vartmanpravah

ચીખલી તાલુકાના માંડવખડક, ગોડથલ ગામે બંધ થયેલી બસ સેવા પુનઃ શરૂ કરવાઅનેકવાર રજૂઆત છતાં કોઈ પરિણામ ન આવતા સ્‍થાનિકોમાં રોષ

vartmanpravah

વલસાડ મોગરાવાડી અક્ષરધામ બંગલામાં ધોળા દિવસે ચોરી : સોનાનું મંગલસુત્ર અને રોકડા ચોરાઈ ગયા

vartmanpravah

આટિયાવાડ કુલોદય ઈન્‍ડસ્‍ટ્રીઝના રસ્‍તાના સમારકામ માટે પીડબ્‍લ્‍યુડીના કાર્યપાલક ઈજનેરને રજૂઆત કરતા મંડળ ભાજપ પ્રમુખ તિમિર પટેલ

vartmanpravah

Leave a Comment