January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ નેશનલ હાઈવે ધરમપુર ચોકડી પાસે વાંકી નદીના પુલ ઉપરનો હાઈવે બંધ કરાયો

રસ્‍તાની હાલત ખરાબ હોવાથી મરામત માટે બંધ રખાયો : ટ્રાફિક માટે સર્વિસ રોડ પર ડાઈવર્ઝન અપાયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.28: વલસાડ ધરમપુર ચોકડી પાસે વાંકી નદી ઉપર પુલ ઉપર હાઈવે આજથી અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્‍યો છે. સુરતથી મુંબઈ તરફ જતા હાઈવે પુલ સહિત રોડની હાલત ખરાબ હોવાથી મરામત માટે હાઈવે ઓથોરિટીએ હાઈવે બંધ કરીને ડાઈવર્ઝન અપાયું છે.
ધરમપુર ચોકડી પાસે વાંકી નદી ઉપરનો પુલ વાળો રસ્‍તો અતિશય જર્જરિત અને ખરાબ થઈ ગયો હોવાથી વારંવાર અકસ્‍માતો સર્જાતા હતા તેથી આજ મુંબઈ તરફ જતો હાઈવે બંધ કરી દેવાયો છે. આવતીકાલથી આ રોડની મરામત કરવાની હોવાથી હાઈવે ઓથોરિટીએ નિર્ણય લીધો છે. હાઈવે ઉપર ટ્રાફિક જામ ના થાય તે માટે સર્વિસ રોડ ઉપર ડાઈવર્ઝન અપાયુ છે તેમજ ઓથોરિટીએ ડાઈવર્ઝન સહિત વાહન ‘‘ધીમે હાંકો” ના સાઈન બોર્ડ લગાવી દીધા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ સાથે હાઈવે ઉપર અમુક જગ્‍યાએ રોડ પણ ખરાબ છે તેની મરામતની કામગીરી પણ ત્‍વરીત હાથ ધરવી હતી.

Related posts

લોકસભાની વલસાડ-ડાંગ બેઠક માટે કોંગ્રેસે ધારાસભ્ય અનંતભાઈ પટેલને ઉમેદવાર જાહેર કર્યા

vartmanpravah

ખાનવેલ સબ ડિવિઝનલ મેજિસ્‍ટ્રેટે મોર્રમ અને અન્‍ય ખનીજોના ખનન પર લગાવ્‍યો પ્રતિબંધ

vartmanpravah

વલસાડ જિલ્લા કાનૂની સેવા સમિતિ દ્વારા બાળકોના જાતિય સતામણી અંગે કાયદાકીય તાલીમ યોજાયો

vartmanpravah

વાપી એલજી હરિયા સ્‍કૂલમાં આંતર સ્‍કૂલ બાસ્‍કેટ બોલ ટુર્નામેન્‍ટ યોજાઈ

vartmanpravah

વલસાડ જિલ્લામાં અનંત ચૌદશે ઠેર ઠેર ભવ્‍ય વિસર્જન યાત્રાઓ યોજાઈ : હજારો ભાવિકો જોડાયા

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની કૃપાદૃષ્‍ટિ અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલની રચનાત્‍મક પરિવર્તનલક્ષી દીર્ઘદૃષ્‍ટિનું પરિણામ : સેલવાસના જૂના સચિવાલય બિલ્‍ડીંગ ખાતે ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી કેમ્‍પસનો આરંભ

vartmanpravah

Leave a Comment