April 25, 2024
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

‘જાકો રાખે સાંઇયા માર શકે ના કોઈ’ દમણગંગા નદીમાં આત્‍મહત્‍યાનો પ્રયાસ કરનાર પરણીતાને યુવાને બચાવી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.12
સેલવાસની દમણગંગા નદી બ્રિજ પરથી પરિણીતાએ કૂદી આત્‍મહત્‍યાનો પ્રયાસ કર્યો હતો. જેને ત્‍યાંથીપસાર થતા યુવાને બચાવી લેતા એનો જીવ બચ્‍યો છે.હાલમા આ પરિણીતાને સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરવામા આવી છે.
સેલવાસના પ્રમુખ વિહાર સોસાયટીમાં રહેતી પરિણીતા સુરેખા સાહેબ રાવ મૂળ રહેવાસી ધુલીયા મહારાષ્‍ટ્ર જે સાંજે ચાર વાગ્‍યાના સુમારે દમણગંગા નદી બ્રીજ પરથી નદીમાં કુદી પડી હતી અને ડુબવા લાગી હતી, તે સમયે પૂરણ શુક્‍લા નામનો યુવાન બાઈક પર પસાર થઈ રહ્યો હતો. તેણે મહિલાને ડૂબતી જોતા તાત્‍કાલિક બ્રિજની નીચે ઉતરી નદીમાં કુદી મહિલાને ડુબતી હતી એને નદી કિનારે લાવી બચાવી લીધી હતી . આ ઘટનાની જાણ થતા પોલીસની ટીમ પહોંચી ગઈ હતી અને 108એમ્‍બ્‍યુલન્‍સને બોલાવી મહિલાને સારવાર માટે વિનોબાભાવે સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરવામા આવી હતી.
પોલીસે સુરેખાના પતિ સાહેબ રાવને જાણ કરતાએ નોકરી પર હતો. ત્‍યાંથી તાત્‍કાલિક હોસ્‍પિટલ પર આવી પહોંચ્‍યો હતો. આ ઘટનામાં એ કહેવત ચરિતાર્થ થઈ છે કે ‘જાકો રાખે સાંઈયા માર શકે ના કોઈ’ હાલમાં મહિલા હોસ્‍પિટલમાં સારવાર હેઠળ છે.

Related posts

જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુર ખાતે આઈકોનિક વીકની ઉજવણી સંપન્ન

vartmanpravah

સ્‍વતંત્રતાની 75મી સાલગીરાહ (અમૃત મહોત્‍સવ) સેંટ જોસેફ કરવડ શાળામાં રંગે-ચંગે ઉજવાયો

vartmanpravah

દીવ ન.પા. દ્વારા ‘પ્રધાનમંત્રી આવાસ’ યોજના તથા ‘સૂર્યોદય આવાસ’ યોજના હેઠળ બનેલા ફલેટોની લાભાર્થીઓની ફાળવણી માટે કરાયેલો ડ્રો

vartmanpravah

દમણવાડા ગ્રામ પંચાયતની ગ્રામસભામાં ભારતની આઝાદીના અમૃત મહોત્‍સવના વર્ષ દરમિયાન દેશના સર્વોચ્‍ચ પદ ઉપરઆદિવાસી રાષ્‍ટ્રપતિની પસંદગી કરવા બદલ પ્રધાનમંત્રી અને એનડીએનો માનેલો આભાર

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી 27મી એપ્રિલે દમણમાં ચૂંટણી સભાને સંબોધશે

vartmanpravah

દાનહઃ અથાલ નજીક ટ્રિપલ અકસ્‍માતમાં 14 ઈજાગ્રસ્‍ત: ગાય વચ્‍ચે આવી જતા ટ્રકના ચાલકે બ્રેક મારતા પાછળ કન્‍ટેનર અને બસને થયો અકસ્‍માત

vartmanpravah

Leave a Comment