July 19, 2026
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

‘જાકો રાખે સાંઇયા માર શકે ના કોઈ’ દમણગંગા નદીમાં આત્‍મહત્‍યાનો પ્રયાસ કરનાર પરણીતાને યુવાને બચાવી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.12
સેલવાસની દમણગંગા નદી બ્રિજ પરથી પરિણીતાએ કૂદી આત્‍મહત્‍યાનો પ્રયાસ કર્યો હતો. જેને ત્‍યાંથીપસાર થતા યુવાને બચાવી લેતા એનો જીવ બચ્‍યો છે.હાલમા આ પરિણીતાને સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરવામા આવી છે.
સેલવાસના પ્રમુખ વિહાર સોસાયટીમાં રહેતી પરિણીતા સુરેખા સાહેબ રાવ મૂળ રહેવાસી ધુલીયા મહારાષ્‍ટ્ર જે સાંજે ચાર વાગ્‍યાના સુમારે દમણગંગા નદી બ્રીજ પરથી નદીમાં કુદી પડી હતી અને ડુબવા લાગી હતી, તે સમયે પૂરણ શુક્‍લા નામનો યુવાન બાઈક પર પસાર થઈ રહ્યો હતો. તેણે મહિલાને ડૂબતી જોતા તાત્‍કાલિક બ્રિજની નીચે ઉતરી નદીમાં કુદી મહિલાને ડુબતી હતી એને નદી કિનારે લાવી બચાવી લીધી હતી . આ ઘટનાની જાણ થતા પોલીસની ટીમ પહોંચી ગઈ હતી અને 108એમ્‍બ્‍યુલન્‍સને બોલાવી મહિલાને સારવાર માટે વિનોબાભાવે સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરવામા આવી હતી.
પોલીસે સુરેખાના પતિ સાહેબ રાવને જાણ કરતાએ નોકરી પર હતો. ત્‍યાંથી તાત્‍કાલિક હોસ્‍પિટલ પર આવી પહોંચ્‍યો હતો. આ ઘટનામાં એ કહેવત ચરિતાર્થ થઈ છે કે ‘જાકો રાખે સાંઈયા માર શકે ના કોઈ’ હાલમાં મહિલા હોસ્‍પિટલમાં સારવાર હેઠળ છે.

Related posts

સેલવાસ-દમણના બજારમાં દિવાળીની ખરીદી માટે ઉમટેલી ભીડ

vartmanpravah

ચીખલી તાલુકા પંચાયતમાં અઢી વર્ષ માટે ભાજપ દ્વારા નામો જાહેર કરતા પ્રમુખ-ઉપ પ્રમુખ માટે ટીડીઓ સમક્ષ ઉમેદવારી પત્રકો રજૂ કરાયા

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના આદેશથી દમણ જિલ્લામાં રોજગાર મેળાના આયોજન માટે જિલ્લા પ્રશાસને શરૂ કરેલી તૈયારી

vartmanpravah

ચણોદ કોલોની સ્‍થિત સેન્‍ટ મેરી સ્‍કૂલમાં કબડ્ડી સ્‍પર્ધાનું કરાયેલું આયોજન

vartmanpravah

ભારત રત્‍ન ડો. આંબેડકરના પૌત્ર ભીમરાવના અધ્‍યક્ષ સ્‍થાને મુંબઈમાં ત્રિસુત્ર શતાબ્‍દી મહોત્‍સવ સમારોહ યોજાયો

vartmanpravah

કપરાડાની ક્‍વોરીમાં ઉપરથી પથ્‍થર પડતા યુવકનું કરુણ મોત

vartmanpravah

Leave a Comment