December 1, 2025
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

‘જાકો રાખે સાંઇયા માર શકે ના કોઈ’ દમણગંગા નદીમાં આત્‍મહત્‍યાનો પ્રયાસ કરનાર પરણીતાને યુવાને બચાવી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.12
સેલવાસની દમણગંગા નદી બ્રિજ પરથી પરિણીતાએ કૂદી આત્‍મહત્‍યાનો પ્રયાસ કર્યો હતો. જેને ત્‍યાંથીપસાર થતા યુવાને બચાવી લેતા એનો જીવ બચ્‍યો છે.હાલમા આ પરિણીતાને સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરવામા આવી છે.
સેલવાસના પ્રમુખ વિહાર સોસાયટીમાં રહેતી પરિણીતા સુરેખા સાહેબ રાવ મૂળ રહેવાસી ધુલીયા મહારાષ્‍ટ્ર જે સાંજે ચાર વાગ્‍યાના સુમારે દમણગંગા નદી બ્રીજ પરથી નદીમાં કુદી પડી હતી અને ડુબવા લાગી હતી, તે સમયે પૂરણ શુક્‍લા નામનો યુવાન બાઈક પર પસાર થઈ રહ્યો હતો. તેણે મહિલાને ડૂબતી જોતા તાત્‍કાલિક બ્રિજની નીચે ઉતરી નદીમાં કુદી મહિલાને ડુબતી હતી એને નદી કિનારે લાવી બચાવી લીધી હતી . આ ઘટનાની જાણ થતા પોલીસની ટીમ પહોંચી ગઈ હતી અને 108એમ્‍બ્‍યુલન્‍સને બોલાવી મહિલાને સારવાર માટે વિનોબાભાવે સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરવામા આવી હતી.
પોલીસે સુરેખાના પતિ સાહેબ રાવને જાણ કરતાએ નોકરી પર હતો. ત્‍યાંથી તાત્‍કાલિક હોસ્‍પિટલ પર આવી પહોંચ્‍યો હતો. આ ઘટનામાં એ કહેવત ચરિતાર્થ થઈ છે કે ‘જાકો રાખે સાંઈયા માર શકે ના કોઈ’ હાલમાં મહિલા હોસ્‍પિટલમાં સારવાર હેઠળ છે.

Related posts

વલસાડ જિલ્લા કલેક્‍ટર આયુષ ઓકના માર્ગદર્શન હેઠળ વાપી જીઆઈડીસીની હૂબર કંપનીમાં મોકડ્રીલ યોજાઈ

vartmanpravah

સ્‍વચ્‍છતા હી સેવા કેમ્‍પેઈન હેઠળ વલસાડના અતુલ ફાઉન્‍ડેશન દ્વારા 90 ગામ સાથે એમઓયુ કરાયા

vartmanpravah

ચીખલીના રાનવેરી કલ્લાથી મળી આવેલ મૃત દીપડીના સાદકપોર નર્સરી ખાતે અગ્નિ સંસ્‍કાર કરાયા

vartmanpravah

ડૉ. મનસુખ માંડવિયા 5-7 મે, 2022, ગુજરાતના કેવડિયા ખાતે ત્રણ દિવસીય “સ્વસ્થ ચિંતન શિબિર” ની અધ્યક્ષતા કરશે: રાજ્યના આરોગ્ય અને તબીબી શિક્ષણ મંત્રીઓ ભાગ લેશે

vartmanpravah

G20 ની 12 ઈવેન્‍ટ ગુજરાતમાં થશે : નાણામંત્રી કનુભાઈ દેસાઈ

vartmanpravah

તા.૨૧ મીએ વાંસદા ખાતે ૨૮ મો આદિજાતિ મહોત્સવ યોજાશે

vartmanpravah

Leave a Comment