April 18, 2026
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

છેલ્લા પાંચ વર્ષમાં સામાજિક, આર્થિક, રાજકીય, શૈક્ષણિક અને સાંસ્‍કૃતિક ક્ષેત્રે સંઘપ્રદેશની મહિલાઓએ ભરેલી ઊંચી ઉડાન

  • મંગળવારે નાની દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરીયમમાં ‘આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસ’ના ઉપક્રમે યોજાનારા કાર્યક્રમમાં મુખ્‍ય અતિથિ તરીકે ઉત્તર પ્રદેશના રાજ્‍યપાલ આનંદીબેન પટેલની રહેનારી ઉપસ્‍થિતિ

  • સંઘપ્રદેશના પ્રશાસક તરીકે પ્રફુલભાઈ પટેલના આગમન બાદ દાદરા નગર હવેલી અને દમણ-દીવ ની મહિલાઓએ દરેક ક્ષેત્રે સાધેલી ઉત્તરોત્તર પ્રગતિ


(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.06
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસન ‘આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસ’ની ભવ્‍ય ઉજવણી માટે તડામાર તૈયારી કરી રહ્યું છે. તા.8મી માર્ચ, ર0રરના રોજ ઉત્તર પ્રદેશના રાજ્‍યપાલ શ્રીમતીઆનંદીબેન પટેલ નાની દમણ સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરીયમમાં આયોજીત સમારંભના મુખ્‍ય અતિથિ તરીકે ઉપસ્‍થિત રહેવાના છે.
અત્રે નોંધનીય છે કે, સંઘપ્રદેશના પ્રશાસક તરીકે શ્રી પ્રફુલભાઈ પટેલના આગમન બાદ દાદરા નગર હવેલી અને દમણ-દીવની મહિલાઓ દરેક ક્ષેત્રે આગળ વધી છે. પ્રશાસનના પ્રયાસથી સ્‍થાનિક સ્‍વરાજ્‍યની સંસ્‍થાઓમાં પ0 ટકા ભાગીદારી પણ સુનિヘતિ થઈ છે. જેના કારણે આજે દાદરા નગર હવેલી અને દમણ-દીવની ગ્રામ પંચાયતો, જિલ્લા પંચાયતો અને નગર પાલિકાઓમાં મહિલા નેતૃત્‍વ અને મહિલાઓની સીધી ભાગીદારી જોવા મળે છે.
સંઘપ્રદેશમાં મહિલાઓને આત્‍મનિર્ભર બનાવવા માટે પણ પ્રશાસન દ્વારા અનેક પ્રયાસો થયા છે. પ્રદેશમાં મહિલાઓ સુરક્ષિત અને સલામત રહી શકે એ માટે પણ પ્રશાસન દ્વારા તબક્કાવાર પહેલો કરવામાં આવી છે.
મંગળવારે યોજાનારા ‘આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસે’ સંઘપ્રદેશની મહિલાઓએ કરેલી ઉત્તરોત્તર પ્રગતિની ઝાંખી પણ જોવા મળશે.

Related posts

પારડીની પરિણિતાના ચારિત્ર્ય પર શંકા રાખી મારઝૂડ કરતા બેકાર પતિની શાન ઠેકાણી લાવતી અભયમ ટીમ

vartmanpravah

દાનહમાં કોંગ્રેસ મજબૂત ઉમેદવાર ઉભો રાખશેઃ દાનહ કોંગ્રેસ કમીટિના કાર્યવાહક પ્રમુખ મહેશ શર્મા

vartmanpravah

મજીગામ ગામે બીમારીથી કંટાળી ગયેલા વૃધ્‍ધે ઘરના ધાબા ઉપરથી પડતું મૂકી જીવન ટૂંકાવ્‍યું

vartmanpravah

પોલીસ દ્વારા વલસાડ, ઉમરગામ, વાપીમાં સંવેદનશીલ વિસ્‍તારોમાં સઘન કોમ્‍બીંગ ચલાવાયું

vartmanpravah

સાયલી ગામના રસ્‍તાના અધુરા કામથી લોકો પરેશાન

vartmanpravah

-સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશમાં અને શિક્ષણ નિર્દેશક જતિન ગોયલના માર્ગદર્શન હેઠળ દાનહ સમગ્ર શિક્ષા દ્વારા ‘સમાવેશી શિક્ષણ’ અંતર્ગત ‘પર્યાવરણ નિર્માણ કાર્યક્રમ’ યોજાયો

vartmanpravah

Leave a Comment