સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશાનિર્દેશ અને માર્ગદર્શન હેઠળ પંચાયતી રાજ અને રેવન્યુ સચિવ ગૌરવ સિંહ રાજાવતની પહેલ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.04
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશા નિર્દેશ અને માર્ગદર્શન હેઠળ પંચાયતી રાજ વિભાગના સચિવ શ્રી ગૌરવ સિંહ રાજાવતની પહેલથી આવતી કાલે દમણ જિલ્લામાં ‘સ્વચ્છતા દિવસ’ તરીકેઉજવવાનું આયોજન કરાયું છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સંઘપ્રદેશમાં આદતોને બદલવાના શરૂ થયેલા અભિયાનને વધુ વેગ મળે એ હેતુથી ગત તા. 13મી ફેબ્રુઆરીના રોજ પ્રદેશમાં યોજાયેલા સ્વચ્છતા દિવસ બાદ ફરી એકવાર આવતી કાલે ‘સ્વચ્છતા દિવસ’ ઉજવાય રહ્યો છે. જેમાં ગ્રામ પંચાયતના સરપંચો, જિલ્લા અને ગ્રામ પંચાયતના સભ્યો તથા કાઉન્સિલરોને પણ પોતાના વોર્ડની જવાબદારી સુપ્રત કરી વિવિધ પંચાયતો અને નગર પાલિકાના વોર્ડદીઠ સુપરવાઈઝરી અધિકારીઓની નિમણૂક પણ કરવામાં આવેલ છે.