April 19, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

પારડીના ચિવલમાં યોજાનાર કથિત ધર્માન્‍તરણ કાર્યક્રમ બંધ કરાવવા વી.એચ.પી.એ આવેદનપત્ર પાઠવ્‍યું

જ્‍યાં હિંદુઓ સિવાય કોઈરહેતુ નથી ત્‍યાં ઈસાઈ મિશનરીઓ લોકોને પ્રલોભન આપી ધર્માન્‍તરણનું કામ કરી રહી છે : વી.એચ.પી.

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.17
વિશ્વ હિંદુ પરિષદ વલસાડ જિલ્લા દ્વારા આજે ગુરૂવારે કલેક્‍ટરમાં આવેદનપત્ર પાઠવીને માંગણી કરી હતી કે આગામી તા.19 માર્ચે નાનાપોંઢા નજીક આવેલ પારડી તાલુકાના ચિવલ ગામે ખ્રિસ્‍તી મિશનરી દ્વારા યોજાનાર કાર્યક્રમ બંધ કરાવવામાં આવે. મિશનરીઓ દ્વારા ગામડાઓમાં ધર્માન્‍તરણ કરવાની કથિત પ્રવૃત્તિઓ કરવા જ સેવાના નામે યુથ સંમેલન જેવા નામો આપી કાર્યક્રમો રાખવામાં આવે છે.
આગામી તા.19 માર્ચના રોજ નાનાપોંઢા નજીકના પારડી તાલુકાના ચિવલમાં સવારે 9 થી રાત્રે 7 વાગ્‍યા સુધીમાં યુથ સેમિનાર યોજાનાર છે તેવી જાહેર થયેલ પત્રિકાના નામો એફ.એમ. બી.બી. જેવા લખાણો અને આયોજકો ખ્રિસ્‍તી મિશનરી વાળા જ હોય છે તેવો આક્ષેપ કરીને આજે વલસાડ કલેક્‍ટરમાં વી.એચ.પી.ના કાર્યકરોએ કલેક્‍ટરને આવેદનપત્ર પાઠવીને માંગણી કરી હતી કે આગામી યોજાનાર આ યુથ સેમિનાર ધર્માન્‍તરણ માટેનો જ મામલો છે. ગામડાની ભોળી પ્રજાને પ્રલોભન-લાલચો આપીને વટાળ પ્રવૃત્તિઓ થતી હોય છે તેથી આ કાર્યક્રમો અટકાવવાની વી.એચ.પી.એ આજે લેખિત માંગણી કરી હતી તેમજ વધુમાં જણાવેલ કે જ્‍યાં કાર્યક્રમ થઈરહ્યો છે ત્‍યાં ક્રિヘયિનની વસ્‍તી નથી. માત્ર હિંદુઓ જ વસવાટ કરી રહ્યા છે તેવી આવેદનપત્ર થકી માંગણી વી.એચ.પી.એ. કરી હતી.

Related posts

દાનહકલેક્‍ટર ગૌરવસિંહ રાજાવતના માર્ગદર્શન મુજબ સામરવરણી અને મસાટ પટેલાદના ઔદ્યોગિક વસાહત ઉપર ગેરકાયદે તાણી બાંધેલ દુકાન અને ઢાબા હટાવાયા

vartmanpravah

નવી દિલ્‍હી ખાતે રાષ્‍ટ્રીય સ્‍તરના ઈન્‍સ્‍પાયર એવોર્ડ સ્‍પર્ધામાં દમણઃ કચીગામની સરકારી માધ્‍યમિક શાળાની વિદ્યાર્થીની કુ. નેહા સિંહે અભેદ્ય કોંક્રિટ સાયન્‍સ પ્રોજેક્‍ટની કરેલી રજૂઆત

vartmanpravah

નાનાપોંઢા મહેતા ટયુબ કંપનીમાં કોપરની ચોરીનો ભેદ ઉકેલાયો: પોલીસે 7 આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી લીધા

vartmanpravah

દાદરા નગર હવેલીમા 6ઇંચથી વધુ વરસાદ વરસ્‍યો

vartmanpravah

લવાછા પિપરીયા પુલ ઉપરટિફિન આપવા જઈ રહેલ સાયકલ સવારનું અકસ્‍માતમાં મોત

vartmanpravah

આજે સેલવાસમાં ‘વિભાજનની ભયાનકતા સ્‍મરણ દિવસ’ના ઉપક્રમે મૌન રેલીનું આયોજન પેટાઃ સાંજે પાંચ વાગ્‍યે સેલવાસ કલેક્‍ટરાલયથી કિલવણી નાકા થઈ કલા કેન્‍દ્ર ખાતે મૌન રેલી પહોંચશે (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા. 13 14મી ઓગસ્‍ટ, 2022ના રોજ સમગ્ર ભારતભરમાં ‘વિભાજનની ભયાનકતા સ્‍મરણ દિવસ’ (પાર્ટીશન હોરરર્સ રેમમ્‍બ્રેસ ડે) મનાવવામાં આવશે. જેના ઉપલક્ષમાં દાદરા નગર હવેલીના સેલવાસમાં પણ જિલ્લા પ્રશાસન દ્વારા ‘વિભાજનની ભયાનકતા સ્‍મરણ દિવસ’ મનાવવામાં આવશે. ભારતનીઆઝાદીની પૂર્વ સંધ્‍યાએ 14મી ઓગસ્‍ટ, 1947ના રોજ પાકિસ્‍તાનનું સર્જન થતાં ત્‍યાં રહેતા હજારો બિન મુસ્‍લિમોને હિજરત કરવાની ફરજ પડી હતી, અને તેમને વિસ્‍થાપિત થવા પડયું હતું. આ કાળા દિવસને યાદ કરી તેમાં શહિદ થયેલા પરિવારની સ્‍મરાંજલિ માટે ભારત સરકાર દ્વારા ‘વિભાજનની ભયાનકતા સ્‍મરણ દિવસ’ મનાવવાનો પ્રારંભ આઝાદીના અમૃત વર્ષથી કરાયો છે. આવતી કાલે સેલવાસ ખાતે સાંજે 5:00 વાગ્‍યે એક મૌન યાત્રા નિકળશે. જે સેલવાસ કલેક્‍ટરાલયથી કિલવણી નાકા થઈ કલા કેન્‍દ્ર ખાતે પહોંચશે. જ્‍યાં 14 થી 16 ઓગસ્‍ટ દરમિયાન ‘વિભાજનની ભયાનકતા’ પ્રદર્શિત કરતું પ્રદર્શન લોકો માટે 3 દિવસ સુધી ખુલ્લુ રહેશે. સેલવાસના રેસિડેન્‍ટ ડેપ્‍યુટી કલેક્‍ટર સુશ્રી ચાર્મી પારેખે આમજનતાને આવતી કાલે સફેદ અથવા હલકા રંગના વષા પરિધાન કરે તથા ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને આગેવાનો આ અભિયાનમાં સામેલ થઈ મૌન યાત્રામાં ભાગ લેવા આહ્‌વાન કર્યું છે.

vartmanpravah

Leave a Comment