February 13, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

પારડીના ચિવલમાં યોજાનાર કથિત ધર્માન્‍તરણ કાર્યક્રમ બંધ કરાવવા વી.એચ.પી.એ આવેદનપત્ર પાઠવ્‍યું

જ્‍યાં હિંદુઓ સિવાય કોઈરહેતુ નથી ત્‍યાં ઈસાઈ મિશનરીઓ લોકોને પ્રલોભન આપી ધર્માન્‍તરણનું કામ કરી રહી છે : વી.એચ.પી.

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.17
વિશ્વ હિંદુ પરિષદ વલસાડ જિલ્લા દ્વારા આજે ગુરૂવારે કલેક્‍ટરમાં આવેદનપત્ર પાઠવીને માંગણી કરી હતી કે આગામી તા.19 માર્ચે નાનાપોંઢા નજીક આવેલ પારડી તાલુકાના ચિવલ ગામે ખ્રિસ્‍તી મિશનરી દ્વારા યોજાનાર કાર્યક્રમ બંધ કરાવવામાં આવે. મિશનરીઓ દ્વારા ગામડાઓમાં ધર્માન્‍તરણ કરવાની કથિત પ્રવૃત્તિઓ કરવા જ સેવાના નામે યુથ સંમેલન જેવા નામો આપી કાર્યક્રમો રાખવામાં આવે છે.
આગામી તા.19 માર્ચના રોજ નાનાપોંઢા નજીકના પારડી તાલુકાના ચિવલમાં સવારે 9 થી રાત્રે 7 વાગ્‍યા સુધીમાં યુથ સેમિનાર યોજાનાર છે તેવી જાહેર થયેલ પત્રિકાના નામો એફ.એમ. બી.બી. જેવા લખાણો અને આયોજકો ખ્રિસ્‍તી મિશનરી વાળા જ હોય છે તેવો આક્ષેપ કરીને આજે વલસાડ કલેક્‍ટરમાં વી.એચ.પી.ના કાર્યકરોએ કલેક્‍ટરને આવેદનપત્ર પાઠવીને માંગણી કરી હતી કે આગામી યોજાનાર આ યુથ સેમિનાર ધર્માન્‍તરણ માટેનો જ મામલો છે. ગામડાની ભોળી પ્રજાને પ્રલોભન-લાલચો આપીને વટાળ પ્રવૃત્તિઓ થતી હોય છે તેથી આ કાર્યક્રમો અટકાવવાની વી.એચ.પી.એ આજે લેખિત માંગણી કરી હતી તેમજ વધુમાં જણાવેલ કે જ્‍યાં કાર્યક્રમ થઈરહ્યો છે ત્‍યાં ક્રિヘયિનની વસ્‍તી નથી. માત્ર હિંદુઓ જ વસવાટ કરી રહ્યા છે તેવી આવેદનપત્ર થકી માંગણી વી.એચ.પી.એ. કરી હતી.

Related posts

ચીખલીના હરણગામમાં પુરગ્રસ્‍ત228 પરિવારો માટે પાકા મકાનોનું નિર્માણ કરાશેઃ કેબિનેટ મંત્રીના હસ્‍તે ભૂમિપૂજન કરાયું

vartmanpravah

વલસાડ જિલ્લાની 800 ઉપરાંત બોટ હવામાન વિભાગની આગાહી બાદ જખૌ તથા મહારાષ્‍ટ્રના બંદરોએ લાંગરી દેવાઈ

vartmanpravah

સેલવાસના એવરેસ્‍ટ ગાર્ડન બંગલાના પ્‍લોટ પરથી પાઇપની ચોરીમાં સંડોવાયેલ ત્રણ આરોપીની પોલીસે કરેલી ધરપકડ

vartmanpravah

દિવાળી તહેવારના માહોલ ટાણે સેલવાસના બજારમાં વેચાતી મિઠાઈઓ સહિતની ખાદ્ય સામગ્રીની ગુણવત્તાની ચકાસણી કરવા કૌશિલ શાહની કલેક્‍ટરને રજૂઆત

vartmanpravah

સેલવાસના કેટલાક નામાંકિત બિલ્‍ડરોની સોસાયટી દ્વારા ડોકમરડી ખાડીમાં છોડાતું ગંદું પાણી

vartmanpravah

ચીખલીના કુકેરી અને સુરખાઈમાં આરોગ્‍ય વિભાગના સબ સેન્‍ટરોના જર્જરિત મકાનથી ખુદ તાલુકા આરોગ્‍ય અધિકારી જ અજાણ!

vartmanpravah

Leave a Comment