January 16, 2026
Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

દાનહની શ્રીમતી દેવકીબા કોલેજના વનસ્‍પતિ વિભાગના વિદ્યાર્થીઓએ કર્યું હર્બલ હોળી રંગ ક્રોમેટિકાનું ઉત્‍પાદન

  • બે દિવસ લાયન્‍સ એજ્‍યુકેશન કેમ્‍પસ અને ધ એડીફિસ મોલમા હર્બલ હોળી કલરનો સ્‍ટોલ લગાવવામા આવેલ

  • પુરી રીતે નેચરલ ડ્રાઈ ઓર્ગેનિક, ઇકો ફ્રેન્‍ડલી અને સ્‍ક્રીન ફ્રેન્‍ડલી છે ક્રોમેટિકા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.17
હોળીના તહેવારને જોતા સેલવાસની શ્રીમતી દેવકીબા મોહનસિંહજી ચૌહાણ કોલેજ ઓફ કોમર્સ અને સાયન્‍સના વનસ્‍પતિ વિજ્ઞાનના વિદ્યાર્થીઓએ એમના શિક્ષકોના માર્ગદર્શનમા નેચરલ ડ્રાઈ ઓર્ગેનિક હોળી કલર બનાવી હતી.
આ પ્રોડક્‍ટનુ નામ ક્રોમેટિકા રાખવામા આવેલ આ કલર ઇકો અને સ્‍ક્રીન ફ્રેન્‍ડલી કલર છે,આ રંગથી રમવામા કોઈને કોઈપણ પ્રકારની કોઈ સાઈડ ઇફેક્‍ટ નહિ થશે. આ રંગથી બાલ અને સ્‍કીન અને આંખને કોઈ નુકસાન થશે નહિ,આને પુરી રીતે પ્રાકળતિક ચીજોથી બનાવવામા આવેલ છે. આવનાર સમયમાં આ સ્‍કિલ વિદ્યાર્થીઓ માટે શાનદાર કેરિયરમા સહાયક સિદ્ધ થશે. જેનાથી વિદ્યાર્થી પોતે રોજગાર રૂપે પણ અપનાવી શકશે.
આ પ્રોડક્‍ટ લોન્‍ચ કરવાનો ઉદેશ્‍ય લોકામાં પ્રાકૃતિક હોળીનો રંગ આસાનીથી મળી શકે. આ રંગથી પર્યાવરણને કોઈ નુકસાન નહિ પહોંચશે કોલેજનાવનસ્‍પતિ વિજ્ઞાનની સ્‍નાતક શાખાના એનું નિર્માણ કર્યું છે. બે દિવસ લાયન્‍સ એજ્‍યુકેશન કેમ્‍પસ અને ધ એડીફિસ મોલમા હર્બલ હોળી કલરનો સ્‍ટોલ લગાવવામા આવ્‍યો હતો.
લાયન્‍સ ક્‍લબ ઓફ સિલ્‍વાસા ચેરીટેબલ ટ્રસ્‍ટના ચેરમેન શ્રી ફતેહસિંહજી ચૌહાણ અને દરેક સભ્‍ય હંમેશા એવા કાર્યો માટે વિદ્યાર્થીઓને પ્રોત્‍સાહિત કરતા રહે છે. એમની આ પ્રેરણાથી વિદ્યાર્થીઓનું મનોબળ વધે છે.

Related posts

ખેલો ઇન્‍ડિયા રાઇઝિંગ ટેલેન્‍ટ આઇડેન્‍ટિફિકેશન હેઠળ યુવાનો માટે  દમણમાં રમત-ગમત પ્રતિભા મૂલ્‍યાંકન કાર્યક્રમ સંપન્નઃ પ્રદેશના 1022 યુવાનોએ લીધેલો ભાગ

vartmanpravah

પૂર્વ પ્રધાનમંત્રી ભારત રત્‍ન સ્‍વ. અટલ બિહારી વાજપેયીના જન્‍મ દિવસે દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપે આપેલી શ્રધ્‍ધાંજલિ

vartmanpravah

ઊર્જા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે ધરાસણા ખાતે ડીજીવીસીએલ પેટા વિભાગીય કચેરીનું લોકાર્પણ કરાયું

vartmanpravah

ચીખલી પોલીસે ચોરીના 49 જેટલા મોબાઈલ સાથે બે જેટલા યુવકોની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

vartmanpravah

ચાલવા નીકળેલ પરિયાનો યુવક ગુમ

vartmanpravah

વલસાડ જિલ્લામાં આદર્શ આચારસંહિતાના અમલ સાથે 1763 પ્રચારાત્‍મક સામગ્રીઓ દૂર કરાઈ

vartmanpravah

Leave a Comment