September 1, 2026
Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

દાનહની શ્રીમતી દેવકીબા કોલેજના વનસ્‍પતિ વિભાગના વિદ્યાર્થીઓએ કર્યું હર્બલ હોળી રંગ ક્રોમેટિકાનું ઉત્‍પાદન

  • બે દિવસ લાયન્‍સ એજ્‍યુકેશન કેમ્‍પસ અને ધ એડીફિસ મોલમા હર્બલ હોળી કલરનો સ્‍ટોલ લગાવવામા આવેલ

  • પુરી રીતે નેચરલ ડ્રાઈ ઓર્ગેનિક, ઇકો ફ્રેન્‍ડલી અને સ્‍ક્રીન ફ્રેન્‍ડલી છે ક્રોમેટિકા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.17
હોળીના તહેવારને જોતા સેલવાસની શ્રીમતી દેવકીબા મોહનસિંહજી ચૌહાણ કોલેજ ઓફ કોમર્સ અને સાયન્‍સના વનસ્‍પતિ વિજ્ઞાનના વિદ્યાર્થીઓએ એમના શિક્ષકોના માર્ગદર્શનમા નેચરલ ડ્રાઈ ઓર્ગેનિક હોળી કલર બનાવી હતી.
આ પ્રોડક્‍ટનુ નામ ક્રોમેટિકા રાખવામા આવેલ આ કલર ઇકો અને સ્‍ક્રીન ફ્રેન્‍ડલી કલર છે,આ રંગથી રમવામા કોઈને કોઈપણ પ્રકારની કોઈ સાઈડ ઇફેક્‍ટ નહિ થશે. આ રંગથી બાલ અને સ્‍કીન અને આંખને કોઈ નુકસાન થશે નહિ,આને પુરી રીતે પ્રાકળતિક ચીજોથી બનાવવામા આવેલ છે. આવનાર સમયમાં આ સ્‍કિલ વિદ્યાર્થીઓ માટે શાનદાર કેરિયરમા સહાયક સિદ્ધ થશે. જેનાથી વિદ્યાર્થી પોતે રોજગાર રૂપે પણ અપનાવી શકશે.
આ પ્રોડક્‍ટ લોન્‍ચ કરવાનો ઉદેશ્‍ય લોકામાં પ્રાકૃતિક હોળીનો રંગ આસાનીથી મળી શકે. આ રંગથી પર્યાવરણને કોઈ નુકસાન નહિ પહોંચશે કોલેજનાવનસ્‍પતિ વિજ્ઞાનની સ્‍નાતક શાખાના એનું નિર્માણ કર્યું છે. બે દિવસ લાયન્‍સ એજ્‍યુકેશન કેમ્‍પસ અને ધ એડીફિસ મોલમા હર્બલ હોળી કલરનો સ્‍ટોલ લગાવવામા આવ્‍યો હતો.
લાયન્‍સ ક્‍લબ ઓફ સિલ્‍વાસા ચેરીટેબલ ટ્રસ્‍ટના ચેરમેન શ્રી ફતેહસિંહજી ચૌહાણ અને દરેક સભ્‍ય હંમેશા એવા કાર્યો માટે વિદ્યાર્થીઓને પ્રોત્‍સાહિત કરતા રહે છે. એમની આ પ્રેરણાથી વિદ્યાર્થીઓનું મનોબળ વધે છે.

Related posts

વલસાડ જિલ્લાના યાત્રાધામો અને ધાર્મિક સ્‍થળોને હરિયાળા બનાવવા માટે વૃક્ષારોપણ અભિયાન હાથ ધરાશે

vartmanpravah

હાઈવે ધરમપુર ચોકડી પરથી ફિલ્‍મી ઢબે પીછો કરી પોલીસે 100 કિ.ગ્રા. ગાંજાનો જથ્‍થો ભરેલી કાર ઝડપી

vartmanpravah

ભાજપા સંગઠનમાં પ્રમુખ બનવાની વય મર્યાદા માટે નિર્ણય લેવાતા ઉમરગામ તાલુકામાં ઘણા કાર્યકર્તાઓના અરમાન પર ફરી વળેલુ પાણી

vartmanpravah

ખાખી વર્દી હવે ‘લોકમિત્ર’ બનવા તરફ મોટી દમણ કોસ્‍ટલ પોલીસ સ્‍ટેશનનો નવતર અભિગમઃ લોકોની વચ્‍ચે જઈ લોકો સાથે સંવાદ કરી ગુનાની રોકથામ અને જાગૃતિ કેળવવા શરૂ કરેલું અભિયાન

vartmanpravah

વાપી ગોલ્‍ડ કોઈન સર્કલથી ઝંડાચોકનો રોડ વરસાદમાં ચન્‍દ્રલોકની ધરતી જેવો બની ગયો

vartmanpravah

દાનહ જિ.પં.ના પૂર્વ પ્રમુખ અને આજીવન કોંગ્રેસી રહેલા આદિવાસીનેતા કેશુભાઈ પટેલનું આકસ્‍મિક નિધન

vartmanpravah

Leave a Comment