Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીનવસારીવલસાડ

સુરખાઈ ખાતે સમસ્‍ત ઢોડિયા સમાજ યુવક-યુવતીઓનો જીવનસાથી પસંદગી મેળો યોજાયો

150 જેટલા યુવક-યુવતીઓ દ્વારા જીવનસાથીની પસંદગી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.28: સમસ્‍ત ધોડિયા સમાજ જીવનસાથી ગ્રુપ દ્વારા સુરખાઈ જ્ઞાનકિરણ ધોડિયા સમાજ ભવન ખાતે સમસ્‍ત ઢોડિયા સમાજ જીવનસાથી પસંદગી મેળો યોજાયો હતો. પસંદગી મેળામાં ઓનલાઇન ડિજીટલ પ્‍લેટફોર્મ પૂરું પાડી રજીસ્‍ટ્રેશન કરવામાં આવ્‍યું હતું. જેમાં રજીસ્‍ટ્રેશન થયેલા 450 જેટલા યુવક-યુવતીઓ પૈકી 150 જેટલા યુવક-યુવતીઓ દ્વારા જીવનસાથીની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી. આદિવાસી ઢોડિયા જ્ઞાતિના લગ્નને લાયક યુવક અને યુવતીઓ, વિધવા-વિધુર, ત્‍યકતા કે છૂટાછેડા વાળા સમાજના જીવન સાથીની શોધ કરતા ઉમેદવારો એક જ મંચ ઉપર પસંદગી મેળવી શકે તે મુખ્‍ય આશય હતો.
આ અવસરે સમસ્‍ત ઢોડિયા સમાજ જીવનસાથી ગ્રૂપના અધ્‍યક્ષ સેલવાસના અશોકભાઈ સી. પટેલે આજના પ્રવર્તમાન સમયમાં દીકરીઓની સમસ્‍યાના કારણે ઉદભવેલી પરિસ્‍થિતિનો ચિતાર આપ્‍યોહતો.
આ કાર્યક્રમમાં ઉપસ્‍થિત મહેમાનો ડૉ. પ્રદીપભાઈ ગરાસિયા પ્રમુખ, સમસ્‍ત આદિવાસી સમાજ ગુજરાત દ્વારા કાર્યક્રમના સફળ આયોજન બદલ શુભકામના પાઠવી સમાજના ઉત્‍કર્ષ માટે કાર્ય કરવા સૌને અનુરોધ કર્યો હતો. ઢોડિયા સમાજના આગેવાનોએ જીવનસાથી મેળામાં પસંદગી પામેલા યુવક-યુવતીઓને શુભેચ્‍છાઓ આપી હતી.
આ મંચનો હેતુ સમાજના યુવા વર્ગ ઉપરાંત 50 કે 60 વર્ષની વયે પહોંચેલા વયસ્‍કોને કે જેઓએ તેમના જીવનસાથી ગુમાવ્‍યો છે અને એકલવાયું જીવન જીવે છે તેવા ઉમેદવારોને પણ જીવનસાથીની શોધમાં મદદરૂપ થવાનો શુભ આશય રહેલો છે, એમ અશોકભાઈ પટેલ દ્વારા જણાવાયું હતું.
સમસ્‍ત ઢોડિયા સમાજ પસંદગી ગ્રૂપ દ્વારા પસંદગી મેળાને સફળ બનાવવા ઠાકોરભાઈ પટેલ, રવિન્‍દ્રભાઈ પટેલ, નરેન્‍દ્રભાઇ પટેલ, મનહરભાઈ જે. પટેલ, સુનિલભાઈ વી. પટેલ, લાલજીભાઇ જે. પટેલે કાર્યક્રમને સફળ બનાવવા મહેનત કરી હતી.

Related posts

રાંધામાં વારલી સમાજ દ્વારા આયોજીત ક્રિકેટ ટુર્નામેન્‍ટમાં ‘વારલી કિંગ બીજોરીપાડા’ ચેમ્‍પિયન

vartmanpravah

ભીલાડની બ્રાઈટ ફયુચર ઈંગ્‍લિશ મિડિયમ સ્‍કૂલમાં વર્ષ 2022-2023નો વાર્ષિક મહોત્‍સવ ‘‘સ્‍ટેજિસ ઓફ લાઈફ” ઉજવાયો

vartmanpravah

વાપી ડુંગરા સાર્વજનિક હાઈસ્‍કૂલમાં વિદ્યાર્થી સન્‍માન અને ધો.10, 12 ના વિદ્યાર્થીઓનો વિદાય કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દમણ ન.પા.માં પ્રશાસકશ્રીના સલાહકાર ગૌરવ સિંહ રાજાવતનો સપાટોઃ સ્‍વચ્‍છતા પ્રત્‍યે ઉદાસિનતા રાખતા પાંચ કર્મીઓ સસ્‍પેન્‍ડ

vartmanpravah

ભ્રમણા જાળમાં ફસાયેલી ભારત સરકાર અને સંઘપ્રદેશ પ્રશાસન- દાનહ અને દમણ-દીવના વિદ્યુત વિભાગ/નિગમના ગ્રાહકોની રૂા.1000 કરોડ કરતા વધુની ડિપોઝીટ, રૂા.પ000 કરોડની માર્કેટ વેલ્‍યુ છતાં ટોરેન્‍ટ પાવર સાથે રૂા.પપપ કરોડનો સોદો !!

vartmanpravah

ઉમરસાડીમાં કિરાણાની દુકાનમાં આગ લાગતા લાખોનું નુકશાન

vartmanpravah

Leave a Comment