Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વાપીમાં નવા રેલવે ઓવરબ્રિજ બનાવવા હેતુ જમીન સંપાદન અને દબાણો હટાવવાની નોટિસો અપાઈ

નવિન બ્રિજ બનાવવાનું ખાતમુહૂર્ત મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્ર પટેલ અને નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે 30 ઓક્‍ટો. 2021માં થઈ ચૂક્‍યુ હતું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.19: વાપીનો અતિ મહત્‍વાકાંક્ષી લેખાવાતા નવો રેલવે ફલાય ઓવરબ્રિજ બનવાના ચક્રો એક પછી એક ગતિમાન થઈ ચૂક્‍યા છે. જુના બ્રિજને પાડી નાખી નવો બ્રિજ રૂા.141 કરોડના ખર્ચે ઈમરાનનગરથી ગોલ્‍ડકોઈન સર્કલ સુધી બનશે. રેલવે કોરીડોર માટે બ્રિજની હાઈટ ઓછી હોવાથી જુનો બ્રિજ પાડી નવો બ્રિજ બનાવવાનો સૈધ્‍ધાંતિક નિર્ણય લેવાઈ ચૂક્‍યો છે અને ટૂંક સમયમાં હવે તેની કામગીરી હાથ ધરાવવી શરૂ થઈ ચૂકી છે. નવિન પુલની જમીન સંપાદન કરવા હેતુ નડતર રૂપ 200 જેટલા દબાણ કર્તાઓને નોટિસો અપાઈ ચૂકી છે. ભવિષ્‍યની ટ્રાફિક સમસ્‍યા સંપૂર્ણ હલ કરવા હેતુ નવિન બ્રિજ ફોર લાઈન બનવાનો છે.
વાપીનો નવા રેલવે ફલાય ઓવરબ્રિજ 141 કરોડને ખર્ચે બનનાર છે તે માટે ગત તા.30 ઓક્‍ટોબર 2021ના રોજ મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્ર પટેલ અને નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે વિધિવત ખાતમુહૂર્ત સંપન્ન થઈ ચૂક્‍યું છે. પરંતુ અતિ જટીલ ગણાતીઆ કામગીરી વચ્‍ચે અવરોધ બનતા પરિબળોને હલ કરવામાં સમય વ્‍યતિત થઈ ચૂક્‍યો છે. જેમાં રેલવેની મંજુરી, પુલ તુટયા પછી ટ્રાફિકની અવરજવર કારણ કે વાપી-પૂર્વ પヘમિને જોડતો આ એકમાત્ર પુલ તૂટી જાય તો વૈકલ્‍પિક વ્‍યવસ્‍થા કરવી પણ જરૂરી હતી. તે માટે જુના રેલવે ફાટકનું નવિનિકરણ કરી દેવાયું છે અને જેવી પુલ તોડવાની કામગીરી શરૂ થશે કે તુરંત જ ફાટક કાર્યરત થઈ જશે. એસ.ટી. ડેપો વાપીનું સ્‍થળાંતર પણ મોટો પ્રશ્ન હતો તે હલ થઈ ચૂક્‍યો છે. બલીઠા હાઈવે ઉપર કામચલાઉ ડેપો કાર્યરત કરાશે. ટૂંકમાં અનેક અડચણ રૂપ કે જરૂરી તમામ કાર્યવાહીઓ પૂર્ણ થઈ ચુકી છે કે થવાના આરે છે તેથી ટૂંક સમયમાં નવિન રેલવે પુલ બનાવવાની કામગીરી જોરશોરથી આરંભાઈ જશે.

Related posts

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના 73મા જન્‍મદિવસના ઉપલક્ષમાં વાપી નગરપાલિકા ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના અને પીએમજેએવાય યોજના અંતર્ગત લાભાર્થીઓને નાણાંમંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે આવાસની પ્રતીકાત્‍મક ચાવી અને આયુષ્‍માન કાર્ડનું કરાયેલું વિતરણ

vartmanpravah

પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલમાં ‘કૃષ્‍ણ જન્‍માષ્‍ટમી’ની રંગેચંગે ઉજવણી થઈ

vartmanpravah

તા.૨૯મીએ વલસાડ જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક મળશે

vartmanpravah

પ્રાથમિક મરાઠી કેન્‍દ્ર શાળા સેલવાસમાં ‘સ્‍પેલિંગ-બી’ સ્‍પર્ધા યોજાઈ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.22 પ્રાથમિક શિક્ષણ વિભાગ દાનહની પાલિકા સંચાલિત મરાઠી કેન્‍દ્ર શાળા સેલવાસ ખાતે ધોરણ1થી 8ના વિદ્યાર્થીઓ માટે ‘સ્‍પેલિંગ-બી’ સ્‍પર્ધાનું આયોજન કરવામા આવ્‍યું હતું. જેમાં વિદ્યાર્થીઓના અંગ્રેજીના શબ્‍દોની ચકાસણી કરવામાં આવી હતી. આ સ્‍પર્ધામાં ધોરણ 1થી 5મા અરૂંધતી રોય ગ્રુપ અને ધોરણ 6થી 8વિલ્‍યમ શેક્‍સપિયર ગ્રુપે પ્રથમ સ્‍થાન પ્રાપ્ત કર્યું હતુ કાર્યક્રમમાં મુખ્‍ય અતિથિ તરીકે હિન્‍દી મીડીયમ શાળાના આચાર્ય બ્રજભૂષણ ઝા અને ગુજરાતી મીડીયમના આચાર્ય કળષ્‍ણાબેન માત્રોજા ઉપસ્‍થિત રહ્યા હતા.

vartmanpravah

ચીખલીના સાદકપોરમાં ક્રિકેટ ટૂર્નામેન્‍ટમાં વિવાદ બાદ પોલીસે બીજા પક્ષની ફરિયાદ લઈપિતા-પુત્ર સહિત ત્રણ સામે ગુનો નોંધ્‍યો

vartmanpravah

વાપી નોટિફાઈડ બોર્ડની મિટિંગ યોજાઈઃ ટ્રાફિક નિયંત્રિત કરવા માટે પે એન્‍ડ પાર્ક કાર્યરત કરાશે

vartmanpravah

Leave a Comment