(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.25: મહુવા તાલુકાના કાછલ ગામમાં આવેલી સરકારી વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાન કૉલેજમાં વિશ્વ ગુજરાતી ભાષા દિવસે કવિ શ્રી નર્મદ વ્યાખ્યાનમાળા યોજાઈ હતી. જેમાં વલસાડના કપરાડા તાલુકાની મોટાપોંઢા કોલેજના પ્રા. ડૉ. આશા ગોહિલે ગુજરાતી સાહિત્યને પોતાના સાહિત્ય સર્જનથી રળિયાત કરનાર ‘કુન્દનિકા કાપડીઆની વાર્તાઓ’ના વકતવ્યમાં વીર નર્મદની વાતો વણી લઈ વિદ્યાર્થીઓને રસપ્રદ વક્તવ્ય પૂરું પાડયું હતું.
કવિશ્રી નર્મદ વ્યાખ્યાનમાળાનો મણકો 1 અંતર્ગત કોલેજના આચાર્યડૉ. હેતલબેન, ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડૉ. ધનસુખભાઈ પટેલ અને પ્રા.આશાબેન ઠાકોર દ્વારા આ કાર્યક્રમ આયોજિત થયો હતો. વિશ્વ ગુજરાતી ભાષા દિવસની ઉજવણી નિમિત્તે વીર નર્મદના જીવન અને સાહિત્યસર્જન વિશે વિદ્યાર્થીઓએ વાતો રજૂ કરતા કાર્યક્રમ દીપી ઊઠ્યો હતો.