(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.09
દાનહમાં એકપણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નથી. પ્રદેશમાં હાલમા 04 સક્રિય કેસ છે,અત્યાર સુધીમા 5904 કેસ રીકવર થઈ ચુકયા છે. અત્યાર સુધીમાં ત્રણ વ્યક્તિનુ મોત થયેલ છે.
પ્રદેશમાં આરટીપીસીઆરના 238 નમૂનાઓ અને રેપિડ એન્ટિજન 321 નમૂના લેવામા આવ્યા હતા.જેમાંથી એકપણ રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો નથી.
દાનહ આરોગ્ય વિભાગ દ્વારા પીએચસી સીએચસી સેન્ટર પર અને સબ સેન્ટરમાં કોવીશીલ્ડ વેક્સીનનુ રસીકરણ કરવામા આવ્યું હતું. જેમા આજે 2413 લોકોને વેક્સીન આપવામા આવ્યા છે. પ્રદેશમાં પ્રથમ ડોઝ 3,69,043 અને બીજો ડોઝ 77,849 વ્યક્તિઓને આપવામા આવતા કુલ 4,46,892લોકોને વેક્સીન આપવામા આવી છે.