(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દીવ, તા.08 : કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના વણાકબારા ખાતે સોલંકી પરિવારના કુળદેવી ચામુંડા માતાજીના મંદિરે 17મા પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સવારે વાજતે ગાજતે શોભાયાત્રા નીકળી હતી. જેમાં બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. ત્યારબાદ પાટોત્સવ નિમિત્તે ચામુંડા માતાજીના મંદિરના પ્રાંગણમાં યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. સોલંકી પરિવારના સભ્યો દ્વારા પૂજા-અર્ચના અને ભજન કિર્તનનો ધાર્મિક કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે બપોરે મહાપ્રસાદનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેનો બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ લાભ લીધો હતો.