(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.06: ચણોદ સ્થિત કે.બી.એસકોમર્સ અને નટરાજ પ્રોફેશનલ સાયન્સ કોલેજવાપીમાંવિઘાર્થીઓ શિક્ષણની સાથે આજના હરીફાઈ યુગમાં દરેક ક્ષેત્રમાં કેવી રીતે પગભર થઈ શકે , વિવિઘ પરિસ્થિતિમાં નીડર રહીને નિર્ણયો લેવા તથા વક્તિ, સમાજ અને દેશના વિકાસ માટે લીડરશીપ લઈ શકે તે હેતુથી સ્વ. M.R. PAI ની યાદગીરીમાં M.R. PAIફાઉંન્ડેશન અને ફોરમ ફ્રી એન્ટરપ્રાઈઝ, મુંબઈ તથા સદર ફોરમ ફોર હેલ્પ યુનિટના સહયોગથી ત્રણ દિવસની લીડરશીપ તાલીમનાવર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં ૮૬ વિઘાર્થીઓએ ભાગ લીઘો હતો. આ તાલીમમાં શ્રી વિવેક પટકી સાહેબ અને શ્રી સચીનકામથ સાહેબ તાલીમ આપવા હાજર રહ્યા હતા. આ તાલીમમાંવિઘાર્થીઓ ગોલ સેટીંગ અને અચીવીંગ, વાકચતુર્ય, નિર્ણાયક શક્તિ, ટીમવર્ક, આત્મવિશ્વાસ વગેરે વિષયો પર ખુબ જ ઉંડુ સમજણ આપીને પ્રેકટીકલરમતો રમાડીનેવિઘાર્થીઓને તાલીમ આપવામાં આવી હતી. તાલીમ પૂર્ણ થતા વિઘાર્થીઓઆત્મવિશ્વાસથી ભરપૂર થઈને એક સારા લીડર બનશે તેવી ખાતરી આપી હતી. આ વર્કશોપનું આયોજન અને સંચાલન કોલેજના મદદનીશ પ્રાધ્યાપક ડો. યતીન વ્યાસ, ડો. દિપકસાંકી, ડો. ક્રિષ્નારાજપૂત અને કું. રિઆદેસાઈએકર્યુ હતું. આમ મોટી સંખ્યામાં વિઘાર્થીઓતાલીમમાં ભાગ લઈ વર્કશોપને સફળ બનાવતા કોલજના આચાર્ય ડૉ. પૂનમ બી. ચૌહાણેM.R. PAIફાઉંન્ડેશન ના મિત્રો તેમજ સ્ટાફનાસભ્યોનો તેમજ વિઘાર્થીઓનો આભાર વ્યક્ત સારા લીડર બનવા માટે આહવાન આપ્યુ હતું.