June 13, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં એસ.એસ.સી. બોર્ડની પરીક્ષામાં 13053 વિદ્યાર્થીઓ હાજર અને 579 ગેરહાજર

  • એચ.એસ.સી. વિજ્ઞાન પ્રવાહમાં 6016 હાજર અને 148 ગેરહાજર

  • એચ.એસ.સી. સામાન્‍ય પ્રવાહમાં 5890 હાજર અને 96 ગેરહાજર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.28: વલસાડ જિલ્લામાં ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આજથી શરૂ થયેલી ધોરણ 10 (એસ.એસ.સી.) અને ધોરણ 12 (એચ.એસ.સી.) ની જાહેર પરીક્ષાઓનો વલસાડ જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો હતો.જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, વલસાડના કંટ્રોલરૂમ તરફથી પ્રાપ્‍ત થયેલી માહિતી મુજબ આજે લેવાયેલી પરીક્ષાઓ પૈકી એસ.એસ.સી.ની આજની પરીક્ષા માટે નોંધાયેલા 13632 વિદ્યાર્થીઓ પૈકી 13053 વિદ્યાર્થીઓ હાજર અને 579 વિદ્યાર્થીઓ ગેરહાજર રહયા હતા. જે પૈકી ગુજરાતી માધ્‍યમમાં 11306, અંગ્રેજીમાં 1669, હિન્‍દીમાં 74, મરાઠીમાં 1 અને ઉર્દૂમાં 3 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.
આજની પરીક્ષા માટે એચ.એસ.સી. બોર્ડ વિજ્ઞાન પ્રવાહની ભૌતિક વિજ્ઞાનની પરીક્ષામાં નોંધાયેલા 6164 વિદ્યાર્થીઓ પૈકી 6016 વિદ્યાર્થીઓ હાજર અને 148 વિદ્યાર્થીઓ ગેરહાજર રહયા હતા. આજના હાજર વિદ્યાર્થીઓમાં ગુજરાતી માધ્‍યમના 3817, અંગ્રેજી માધ્‍યમના 2127, હિન્‍દીના 70 અને મરાઠીના 2 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.
જ્‍યારે એચ.એસ.સી. બોર્ડ સામાન્‍ય પ્રવાહની નામાંના મૂળતત્ત્વો વિષયની પરીક્ષામાં નોંધાયેલા 5986 વિદ્યાર્થીઓ પૈકી 5890 વિદ્યાર્થીઓ હાજર અને 96 વિદ્યાર્થીઓ ગેરહાજર રહયા હતા. આજના હાજર વિદ્યાર્થીઓમાં ગુજરાતી માધ્‍યમના 2838, અંગ્રેજી માધ્‍યમના 2723, હિન્‍દીના 324 અને ઉર્દૂના 2 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.
આજે યોજાયેલી પરીક્ષામાં ગેરરીતિનો એકપણ કેસ નોંધાયો ન હોવાનું જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા જણાવાયું છે.

Related posts

દાદરા નગર હવેલીમાં ચાર ઇંચથી વધુ વરસાદ વરસ્‍યોઃ નદીનાળા છલકાયા

vartmanpravah

ચીખલી તાલુકાના કૂકેરી ગામે ઘરની દીવાલ ધસી પડતાં શ્રમજીવી પરિવારના દંપતિનું મોત

vartmanpravah

સરીગામની મેક્‍લોઈડ ફાર્માસ્‍યુટિકલ કંપનીમાં ‘રાષ્‍ટ્રીય સુરક્ષા સપ્તાહ’ની કરાયેલી ઉજવણી

vartmanpravah

પ્રાકૃતિક ખેતી કરનાર વલસાડ જિલ્લાના 3 ખેડૂતોનું રાજ્‍યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્‍તે સન્‍માન કરાયું

vartmanpravah

દાનહઃ મસાટની એક કંપનીમાં કામ કરતા યુવાને રખોલી પુલ પરથી કુદી આત્‍મહત્‍યાનો કરેલો પ્રયાસઃ બ્રિજ ઉપર બંને બાજુ લોખંડની જાળી લગાવવાની માંગ તંત્રના કાને સંભળાતી નથી

vartmanpravah

કેન્‍દ્રિય મંત્રી નારાયણ રાણેની દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશન સાથેની બેઠકમાં સંઘપ્રદેશમાં એમએસએમઈ અને અન્‍ય ઉદ્યોગોના વિકાસ માટે નિર્ધારિત સમયમાં યોગ્‍ય વ્‍યવસ્‍થા કરવાનો આપેલો ભરોસો

vartmanpravah

Leave a Comment