Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં એસ.એસ.સી. બોર્ડની પરીક્ષામાં 13053 વિદ્યાર્થીઓ હાજર અને 579 ગેરહાજર

  • એચ.એસ.સી. વિજ્ઞાન પ્રવાહમાં 6016 હાજર અને 148 ગેરહાજર

  • એચ.એસ.સી. સામાન્‍ય પ્રવાહમાં 5890 હાજર અને 96 ગેરહાજર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.28: વલસાડ જિલ્લામાં ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આજથી શરૂ થયેલી ધોરણ 10 (એસ.એસ.સી.) અને ધોરણ 12 (એચ.એસ.સી.) ની જાહેર પરીક્ષાઓનો વલસાડ જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો હતો.જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, વલસાડના કંટ્રોલરૂમ તરફથી પ્રાપ્‍ત થયેલી માહિતી મુજબ આજે લેવાયેલી પરીક્ષાઓ પૈકી એસ.એસ.સી.ની આજની પરીક્ષા માટે નોંધાયેલા 13632 વિદ્યાર્થીઓ પૈકી 13053 વિદ્યાર્થીઓ હાજર અને 579 વિદ્યાર્થીઓ ગેરહાજર રહયા હતા. જે પૈકી ગુજરાતી માધ્‍યમમાં 11306, અંગ્રેજીમાં 1669, હિન્‍દીમાં 74, મરાઠીમાં 1 અને ઉર્દૂમાં 3 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.
આજની પરીક્ષા માટે એચ.એસ.સી. બોર્ડ વિજ્ઞાન પ્રવાહની ભૌતિક વિજ્ઞાનની પરીક્ષામાં નોંધાયેલા 6164 વિદ્યાર્થીઓ પૈકી 6016 વિદ્યાર્થીઓ હાજર અને 148 વિદ્યાર્થીઓ ગેરહાજર રહયા હતા. આજના હાજર વિદ્યાર્થીઓમાં ગુજરાતી માધ્‍યમના 3817, અંગ્રેજી માધ્‍યમના 2127, હિન્‍દીના 70 અને મરાઠીના 2 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.
જ્‍યારે એચ.એસ.સી. બોર્ડ સામાન્‍ય પ્રવાહની નામાંના મૂળતત્ત્વો વિષયની પરીક્ષામાં નોંધાયેલા 5986 વિદ્યાર્થીઓ પૈકી 5890 વિદ્યાર્થીઓ હાજર અને 96 વિદ્યાર્થીઓ ગેરહાજર રહયા હતા. આજના હાજર વિદ્યાર્થીઓમાં ગુજરાતી માધ્‍યમના 2838, અંગ્રેજી માધ્‍યમના 2723, હિન્‍દીના 324 અને ઉર્દૂના 2 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.
આજે યોજાયેલી પરીક્ષામાં ગેરરીતિનો એકપણ કેસ નોંધાયો ન હોવાનું જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા જણાવાયું છે.

Related posts

રોડ અકસ્‍માતમાં લોકોના જીવ બચાવનાર સેવાભાવી વ્‍યક્‍તિ અને પોલીસકર્મીઓનું વલસાડ જિલ્લા કલેક્‍ટર ક્ષિપ્રા આગ્રેએ સન્‍માન કર્યું

vartmanpravah

ધરમપુરમાં નવી વિભાગીય વીજ કચેરીનું રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે કેન્‍દ્રીય આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ મંત્રી સાથે પ્રદેશના વિવિધ મહત્‍વના મુદ્દાઓની કરેલી ચર્ચા-વિચારણાં

vartmanpravah

સેલવાસ નગરપાલિકાના સીઓ તરીકે દાનિકસ અધિકારી મનોજકુમાર પાંડેને જવાબદારી સોપાઈ

vartmanpravah

વલસાડ ખાતે રાષ્‍ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત ક્રેડિટ કેમ્‍પ યોજાયો

vartmanpravah

સેલવાસ સબજેલમાં કેદીઓના લાભાર્થે ભજન-કિર્તન તથા યોગ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment