(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.04 : સેલવાસ પાતળિયા ફળીયા રોડ પર આવેલી પદ્માવતી વિહાર સોસાયટીના ગેટ પાસે આવેલ એક ઘરમાંથી પોલીસે દેહવ્યાપાર કરતા લોકોમાં ત્રણ મહિલા અને એક પુરુષને ઝડપી પાડયા હતા.
પ્રાપ્ત વિગત અનુસાર સેલવાસના પાતળીયા ફળિયા રોડ પર આવેલ પદ્માવતી વિહાર સોસાયટીના ગેટ પાસે દિનેશભાઈ પટેલના ઘરમાં છેલ્લા એક મહિનાથી ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોવાનું સોસાયટીના લોકોના ધ્યાનમાં આવતા અને શનિ-રવિના દિવસોમાં નવી નવી ગાડીઓ અને અજાણ્યા લોકોના આટાફેરા વધતા અને મહિલાઓ પણ અલગ-અલગ આવતી હોવાનું ધ્યાને આવતા સ્થાનિક લોકોએ 112 નંબર પર ફોનકરી ફરિયાદ કરતા સાંજે ચાર વાગ્યાના સુમારે પોલીસની ટીમે રેડ પાડતા આ ઘરમાંથી ત્રણ મહિલા અને એક ભંગારનો ધંધો કરતો પુરુષ મળી આવ્યો હતો. જેઓની ધરપકડ કરવામાં આવી છે અને આગળની તપાસ હાથ ધરી છે. મળેલ માહિતી અનુસાર આ મહિલાઓને બહારથી લાવવામાં આવતી હતી અને ગ્રાહકો પણ વધારે પડતા સેલવાસથી બહારના લોકો આવતા હતા.