October 14, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતવાપી

ભિલાડ હાઈવે ઉપર ટેમ્‍પો અને કન્‍ટેનર વચ્‍ચે થયેલા ટ્રીપલ અકસ્‍માતમાં ત્રણના મોત, ચાર ઘાયલ

  • ઉમરગામ તાલુકા પંચાયતના સભ્‍ય મુકેશભાઈ ધોડી તેમની પત્‍ની અને અન્‍ય એકના કરૂણ મોતઃ પંથકમાં ગમગીની છવાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.12
નેશનલ હાઈવે ભિલાડ ફાટકપાસે આજે શુક્રવારે સવારે વાપી તરફથી આવતા ટેમ્‍પો અને કન્‍ટેનર તથા અન્‍ય એક વાહન મળી ત્રણ વાહનો ધડાકાભેર ભટકાતા ગમખ્‍વાર અકસ્‍માત સર્જાયો હતો. અકસ્‍માતમાં ઉમરગામ તાલુકા પંચાયતના સભ્‍ય શ્રી મુકેશભાઈ ધોડી તેમની પત્‍ની અને અન્‍ય એક મળી ત્રણના ગોઝારા અકસ્‍માતમાં મોત નિપજ્‍યા હતા. જ્‍યારે અન્‍ય ચાર ઘાયલ થયા હતા. અકસ્‍માતની વાત વાયુ વેગે ઉમરગામ વિસ્‍તારમાં ફરી વળતા ઠેર ઠેર ગમગીની સાથે અરેરાટી પથરાઈ હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર ઉમરગામ કનાડુ ગામે રહેતા ઉમરગામ તાલુકા પંચાયતના સભ્‍ય શ્રી મુકેશભાઈ ધોડી, તેમની પત્‍ની અને અન્‍યો સાથે ટેમ્‍પોમાં આજે પરોઢે વાપી તરફથી આવી રહ્યા હતા. તે દરમિયાન ભિલાડ ફાટક પાસે પુર ઝડપે આવી રહેલ કન્‍ટેનરે ટેમ્‍પા સાથે જોરદાર ટક્કર મારતા ટેમ્‍પો ડિવાઈડર કુદીને ફંગોળાઈ જતા ગોઝારો અકસ્‍માત સર્જાયો હતો. જેમાં મુકેશભાઈ, તેમની પત્‍ની સહિત અન્‍ય એક મળી ત્રણના ઘટના સ્‍થળે મોત નિપજ્‍યા હતા. જ્‍યારે અન્‍ય ચાર ઘાયલોને સારવાર માટે ખસેડાયા હતા. અકસ્‍માત સર્જીને કન્‍ટેનર ચાલક ફરાર થઈ ગયો હતો. કન્‍ટેનર અન્‍ય એક વાહનને પણ ભટકાયું હતું.
અકસ્‍માતની જાણ થતા ભિલાડ પોલીસનો કાફલો ઘટના સ્‍થળે ધસી જઈને મામલો સંભાળી લીધો હતો. મુકેશભાઈ ધોડી રાજકીય અગ્રણી હોવાથી સમગ્ર પંથકમાં અકસ્‍માતની જાણ થતાગમગીનીનું વાતાવરણ છવાઈ જવા પામ્‍યું હતું. વ્‍યવસાયે તેવો ઓરેકેસ્‍ટ્રા ચલાવતા હોવાતી તેમનો વિશાળ જનસંપર્ક પણ ઉમરગામ વિસ્‍તારમાં હતો.

Related posts

‘સ્‍વચ્‍છ સાગર, સુરક્ષિત સાગર’નો સંદેશ આપવા માટે આમલોકોની ભાગીદારી આવશ્‍યકઃ રમેશ કુંદનાની-પોલીકેબ ઈન્‍ડસ્‍ટ્રીઝના પ્રેસિડેન્‍ટ

vartmanpravah

ચીખલીના વંકાલમાં માટી ખનનના ઈરાદે તળાવની પાળ તોડી નાંખતા પૂર્વ સરપંચે ટીડીઓ સહિત કલેક્‍ટરને આવેદન આપી તપાસની કરેલી માંગ

vartmanpravah

વાપી જીઆઈડીસીની કેમિકલ કંપનીમાં ભિષણ આગ લાગતા 10 ફાયર ફાયટરો આગ બુઝાવી

vartmanpravah

વાપી બલીઠા હાઈવે ઉપર કાર ચાલકે કાબુ ગુમાવતા ટ્રક સાથે ભટકાતા ગંભીર અકસ્‍માત સર્જાયો : ચાલકનો બચાવ

vartmanpravah

‘વેલસ્‍પન ફાઉન્‍ડેશને’ વલસાડ જિલ્લાના 20થી વધુ ગામડાંઓની આજીવિકા મજબૂત કરવા માટે હાથ ધરેલો પ્રોજેક્‍ટ

vartmanpravah

વિશ્વ હિન્દુ પરિષદ દક્ષિણ ગુજરાત દ્વારા પારસી સમુદાયના ધર્મગુરુ વડા દસ્તુરજીને અયોધ્યા શ્રી રામજીની પ્રાણ પ્રતિષ્ઠામાં ઉપસ્થિત રહેવા પાઠવેલું આમંત્રણ

vartmanpravah

Leave a Comment