Vartman Pravah
Breaking Newsગુજરાતવાપી

ભિલાડ હાઈવે ઉપર ટેમ્‍પો અને કન્‍ટેનર વચ્‍ચે થયેલા ટ્રીપલ અકસ્‍માતમાં ત્રણના મોત, ચાર ઘાયલ

  • ઉમરગામ તાલુકા પંચાયતના સભ્‍ય મુકેશભાઈ ધોડી તેમની પત્‍ની અને અન્‍ય એકના કરૂણ મોતઃ પંથકમાં ગમગીની છવાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.12
નેશનલ હાઈવે ભિલાડ ફાટકપાસે આજે શુક્રવારે સવારે વાપી તરફથી આવતા ટેમ્‍પો અને કન્‍ટેનર તથા અન્‍ય એક વાહન મળી ત્રણ વાહનો ધડાકાભેર ભટકાતા ગમખ્‍વાર અકસ્‍માત સર્જાયો હતો. અકસ્‍માતમાં ઉમરગામ તાલુકા પંચાયતના સભ્‍ય શ્રી મુકેશભાઈ ધોડી તેમની પત્‍ની અને અન્‍ય એક મળી ત્રણના ગોઝારા અકસ્‍માતમાં મોત નિપજ્‍યા હતા. જ્‍યારે અન્‍ય ચાર ઘાયલ થયા હતા. અકસ્‍માતની વાત વાયુ વેગે ઉમરગામ વિસ્‍તારમાં ફરી વળતા ઠેર ઠેર ગમગીની સાથે અરેરાટી પથરાઈ હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર ઉમરગામ કનાડુ ગામે રહેતા ઉમરગામ તાલુકા પંચાયતના સભ્‍ય શ્રી મુકેશભાઈ ધોડી, તેમની પત્‍ની અને અન્‍યો સાથે ટેમ્‍પોમાં આજે પરોઢે વાપી તરફથી આવી રહ્યા હતા. તે દરમિયાન ભિલાડ ફાટક પાસે પુર ઝડપે આવી રહેલ કન્‍ટેનરે ટેમ્‍પા સાથે જોરદાર ટક્કર મારતા ટેમ્‍પો ડિવાઈડર કુદીને ફંગોળાઈ જતા ગોઝારો અકસ્‍માત સર્જાયો હતો. જેમાં મુકેશભાઈ, તેમની પત્‍ની સહિત અન્‍ય એક મળી ત્રણના ઘટના સ્‍થળે મોત નિપજ્‍યા હતા. જ્‍યારે અન્‍ય ચાર ઘાયલોને સારવાર માટે ખસેડાયા હતા. અકસ્‍માત સર્જીને કન્‍ટેનર ચાલક ફરાર થઈ ગયો હતો. કન્‍ટેનર અન્‍ય એક વાહનને પણ ભટકાયું હતું.
અકસ્‍માતની જાણ થતા ભિલાડ પોલીસનો કાફલો ઘટના સ્‍થળે ધસી જઈને મામલો સંભાળી લીધો હતો. મુકેશભાઈ ધોડી રાજકીય અગ્રણી હોવાથી સમગ્ર પંથકમાં અકસ્‍માતની જાણ થતાગમગીનીનું વાતાવરણ છવાઈ જવા પામ્‍યું હતું. વ્‍યવસાયે તેવો ઓરેકેસ્‍ટ્રા ચલાવતા હોવાતી તેમનો વિશાળ જનસંપર્ક પણ ઉમરગામ વિસ્‍તારમાં હતો.

Related posts

પાર, તાપી, નર્મદા રિવર લિંક પ્રોજેક્‍ટ પડતો મુકાયો : કેન્‍દ્ર સરકારની જાહેરાત

vartmanpravah

‘બટેંગે તો કટેંગે’ના સૂત્રનો છેદ ઉડાડતી ટુકવાડા અવધ યુટોપિયાની ઉચ્‍ચ વર્ણની ભારતી શાહ

vartmanpravah

અંત્‍યોદય યોજના અંતર્ગત આપવામાં આવતા મફત રાશનનો લાભ ડીબીટી યોજનાના લાભાર્થીઓને પણ આપવા સેલવાસ ન.પા. કાઉન્‍સિલર સુમનભાઈ પટેલની પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીને રજૂઆત

vartmanpravah

આર.કે. દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસ, વાપી અને ઈન્‍ડિયન પ્‍લેનેટરી સોસાયટી મુંબઈના ઉપક્રમે વાપીમાં નાણા મંત્રી કનુભાઈ દેસાઈના અધ્‍યક્ષસ્‍થાને ‘સોહનરાજ શાહ એવોર્ડ’ સમારોહ અને ‘વિજ્ઞાન’ વાર્તાલાપ યોજાયો

vartmanpravah

આજે દમણવાડા ગ્રામ પંચાયત અને મહર્ષિ દયાનંદ ફાઉન્‍ડેશનના ઉપક્રમે મોટી દમણના આદિવાસી સંસ્‍કૃતિ ભવન ખાતે કારકિર્દી માર્ગદર્શન શિબિર યોજાશે

vartmanpravah

ચીખલી તાલુકામાં પ્રાથમિક શિક્ષકો અને આરોગ્‍ય કર્મચારીઓને અડધો એપ્રિલ વિતવા છતાં માર્ચ મહિનાનો પગાર ન થતાં કર્મચારીઓમાં ફેલાયેલી નારાજગી

vartmanpravah

Leave a Comment