April 18, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટતંત્રી લેખદમણદીવસેલવાસ

સંઘપ્રદેશના ઔદ્યોગિક સંગઠનોના પદાધિકારીઓએ ઉદ્યોગોને સબસીડી જારી કરવા બદલ પ્રશાસક પ્રફુલભાઈ પટેલને સુપ્રત કરેલો આભાર પત્ર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.11
સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ તથા લક્ષદ્વીપના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ સાથે દાદરા નગર હવેલી અને દમણ-દીવ ઉદ્યોગ સંઘના પદાધિકારીઓએ મુલાકાત લીધી હતી અને ઉદ્યોગોમાટે સબસીડી જારી કરવા માટે આભાર માન્‍યો હતો. આ પ્રસંગે બંને ઉદ્યોગ મંડળોના હોદ્દેદારોએ પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલને આભારપત્ર સોંપી તેમનો આભાર માન્‍યો હતો.
પ્રશાસકશ્રી સાથેની મુલાકાત દરમિયાન દાનહ ઉદ્યોગ સંઘ તરફથી શ્રી અજીત યાદવ, શ્રી સંજીવ કપૂર, શ્રી ચંદ્રકાંત પારેખ શ્રી અતુલ શાહ, શ્રી રામબિલાસ બિદાદા, ડો રત્‍નાકર શિલ્‍કે અને શ્રી નરેન્‍દ્ર ત્રિવેદી અને દમણ ઉદ્યોગ સંઘ તરફથી ડીઆઈએ પ્રમુખ શ્રી પવન અગ્રવાલ, ડીઆઈએના પૂર્વ પ્રમુખ શ્રી રમેશ કુંદનાની, શ્રી શરદ પુરોહિત, શ્રી રાજકુમાર લોઢા અને શ્રી આર.કે.શુક્‍લા ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

બલીઠા રેલવે ફાટક 16 સપ્‍ટેમ્‍બર સુધી બંધ રહેશે

vartmanpravah

વાપી લાયન્સ કલબ દ્વારા ચણોદ સ્કૂલમાં બાળકોને થતાં કેન્સર અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો

vartmanpravah

દમણ ઈન્‍ડ. એસો.ના નવનિયુક્‍ત પ્રમુખ પવન અગ્રવાલનું ઉષ્‍માભર્યું અભિવાદન કરતા સાંસદ લાલુભાઈ પટેલ

vartmanpravah

વાપી સેન્‍ટર ઓફ એક્‍સીલન્‍સમાં ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે સોલાર સિસ્‍ટમનું લોકાર્પણ

vartmanpravah

દમણમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ‘વિદ્યાર્થી હુંકાર’ સંમેલન યોજાયું

vartmanpravah

દાનહ લેબર વિભાગ દ્વારા વિવિધ પંચાયતોમાં રોજગાર મેળાનું કરાયેલું આયોજન

vartmanpravah

Leave a Comment