(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.11
સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ તથા લક્ષદ્વીપના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ સાથે દાદરા નગર હવેલી અને દમણ-દીવ ઉદ્યોગ સંઘના પદાધિકારીઓએ મુલાકાત લીધી હતી અને ઉદ્યોગોમાટે સબસીડી જારી કરવા માટે આભાર માન્યો હતો. આ પ્રસંગે બંને ઉદ્યોગ મંડળોના હોદ્દેદારોએ પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલને આભારપત્ર સોંપી તેમનો આભાર માન્યો હતો.
પ્રશાસકશ્રી સાથેની મુલાકાત દરમિયાન દાનહ ઉદ્યોગ સંઘ તરફથી શ્રી અજીત યાદવ, શ્રી સંજીવ કપૂર, શ્રી ચંદ્રકાંત પારેખ શ્રી અતુલ શાહ, શ્રી રામબિલાસ બિદાદા, ડો રત્નાકર શિલ્કે અને શ્રી નરેન્દ્ર ત્રિવેદી અને દમણ ઉદ્યોગ સંઘ તરફથી ડીઆઈએ પ્રમુખ શ્રી પવન અગ્રવાલ, ડીઆઈએના પૂર્વ પ્રમુખ શ્રી રમેશ કુંદનાની, શ્રી શરદ પુરોહિત, શ્રી રાજકુમાર લોઢા અને શ્રી આર.કે.શુક્લા ઉપસ્થિત રહ્યા હતા.