August 31, 2026
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશ

દમણ-દીવના પૂર્વ સાંસદ ડાહ્યાભાઈ પટેલની આજે પ્રથમ પુણ્‍ય તિથિ : સત્‍કાર્યોની તાજી થતી યાદો

રાજીવ ગાંધી સેતુનું નિર્માણ અને કોળી પટેલ સમાજને ઓબીસીમાં સમાવવા સાંસદ તરીકે ડાહ્યાભાઈ પટેલે કરેલા પ્રયાસોની આજે પણ નોંધ લેવી પડે છે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.02
દમણ-દીવના પૂર્વ સાંસદ અને ખેડૂત નેતા ડાહ્યાભાઈ પટેલની અણધારી વિદાયને આવતી કાલ તા.03, મેના રોજ એક વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે. સ્‍વ.ડાહ્યાભાઈ પટેલ ભગવાન ભોળાનાથ સોમનાથ દાદાના પરમભક્‍ત હતા. અને તેમનું દેહાવસાન પણ સોમવારે થતા એક કુદરતી સંયોગ સર્જાયો હતો.
દમણ-દીવના સાંસદ તરીકે શ્રી ડાહ્યાભાઈ પટેલે અનેક ઉમદા કામો ભારત સરકાર અને સરકારી મશીનરી મારફત કરાવ્‍યા હતા. જે પૈકી રાજીવ ગાંધી સેતુ અને કોળી સમાજને ઓ.બી.સી.ની શ્રેણીમાં સમાવવા તેમણે કરેલા પ્રયાસો ધન્‍યવાદને પાત્ર છે. ફળિયે-ફળિયે અને સમાજ દીઠ સાંસદનિધિમાંથી ડાહ્યાભાઈ પટેલે કોમ્‍યુનિટી હોલનું નિર્માણ કરી દરેક સમાજને એકતાના તાંતણે બાંધવાની કોશિષ કરી હતી. આજે એક વર્ષ પૂર્ણ થયું છે ત્‍યારે શ્રી ડાહ્યાભાઈ પટેલે કરેલા સત્‍કર્મોની યાદ તાજી બને છે.

Related posts

સંઘપ્રદેશપ્રશાસનનું કડક વલણઃ દલવાડા ગૌશાળામાં પશુઓના કમોતના સંદર્ભમાં બે સામે ફરિયાદ

vartmanpravah

આજે સેલવાસ રીંગરોડ-ઉલટન ખાતે હિન્‍દુસ્‍તાન પેટ્રોલિયમના ક્રિષ્‍ણા પેટ્રોલિયમનું ઉદ્‌ઘાટન

vartmanpravah

ચીખલી-આલીપોર વચ્‍ચે નેશનલ હાઈવેના સર્વિસ રોડની સપાટી ઠેર ઠેર બેસી જતા અકસ્‍માતને નોતરતા મસમોટા ખાડાઓનું સામ્રાજ્‍ય

vartmanpravah

કલા કેન્‍દ્ર સેલવાસ ખાતેથી ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમનો કરાયેલો આરંભ રાષ્‍ટ્રભક્‍તિના અંગારા ઉપર લાગેલી રાખને ‘હર ઘર તિરંગા’ અભિયાનથી ખંખેરવાનું કામઃ રાષ્‍ટ્રભક્‍તિ વધુ પ્રજ્‍વલિત બનશેઃ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ

vartmanpravah

તિથલનો દરિયો બન્‍યો તોફાની : રવિવાર હોવાથી સહેલાણીઓની ઉમટેલી ભીડ બની ભયભીત

vartmanpravah

વાપીમાં સોશિયલ ગ્રુપ દ્વારા પક્ષીઓ માટે ચકલી ઘર અને બાઉલનું વિતરણ કરાયું

vartmanpravah

Leave a Comment