February 4, 2025
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશ

દમણ-દીવના પૂર્વ સાંસદ ડાહ્યાભાઈ પટેલની આજે પ્રથમ પુણ્‍ય તિથિ : સત્‍કાર્યોની તાજી થતી યાદો

રાજીવ ગાંધી સેતુનું નિર્માણ અને કોળી પટેલ સમાજને ઓબીસીમાં સમાવવા સાંસદ તરીકે ડાહ્યાભાઈ પટેલે કરેલા પ્રયાસોની આજે પણ નોંધ લેવી પડે છે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.02
દમણ-દીવના પૂર્વ સાંસદ અને ખેડૂત નેતા ડાહ્યાભાઈ પટેલની અણધારી વિદાયને આવતી કાલ તા.03, મેના રોજ એક વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે. સ્‍વ.ડાહ્યાભાઈ પટેલ ભગવાન ભોળાનાથ સોમનાથ દાદાના પરમભક્‍ત હતા. અને તેમનું દેહાવસાન પણ સોમવારે થતા એક કુદરતી સંયોગ સર્જાયો હતો.
દમણ-દીવના સાંસદ તરીકે શ્રી ડાહ્યાભાઈ પટેલે અનેક ઉમદા કામો ભારત સરકાર અને સરકારી મશીનરી મારફત કરાવ્‍યા હતા. જે પૈકી રાજીવ ગાંધી સેતુ અને કોળી સમાજને ઓ.બી.સી.ની શ્રેણીમાં સમાવવા તેમણે કરેલા પ્રયાસો ધન્‍યવાદને પાત્ર છે. ફળિયે-ફળિયે અને સમાજ દીઠ સાંસદનિધિમાંથી ડાહ્યાભાઈ પટેલે કોમ્‍યુનિટી હોલનું નિર્માણ કરી દરેક સમાજને એકતાના તાંતણે બાંધવાની કોશિષ કરી હતી. આજે એક વર્ષ પૂર્ણ થયું છે ત્‍યારે શ્રી ડાહ્યાભાઈ પટેલે કરેલા સત્‍કર્મોની યાદ તાજી બને છે.

Related posts

ચીખલી પોલીસે દારૂ ભરેલ આઈસર ટેમ્‍પો સાથે એકની કરેલી ધરપકડઃ રૂા. 13.92 લાખનો મુદ્દામાલ કબ્‍જે કર્યો

vartmanpravah

સેલવાસ પાલિકા દ્વારા ‘સ્‍વચ્‍છતા રેંકિંગ’ માટે કરેલું આયોજન

vartmanpravah

દાનહ બાલાજી મંદિર પરિસરમાં ઉત્તરાખંડ સેવા સમિતિ દ્વારા શ્રીમદ્‌ ભાગવત કથાનો શુભારંભ

vartmanpravah

વલસાડ જિલ્લા પંચાયતમાં સત્તા સ્‍થાને પ્રથમવાર વાપી તાલુકાને સ્‍થાન મળ્‍યું

vartmanpravah

ગુજરાત ઓબીસી મોરચા પ્રદેશ પ્રભારી વિશાલભાઈ ટંડેલની અધ્‍યક્ષતામાં ગીર-સોમનાથ જિલ્લા મથક વેરાવળ ટાવર ચોક ખાતે પ્રધાનમંત્રીશ્રી વિરૂદ્ધ કરેલી ટિપ્‍પણી મુદ્દે ‘રાહુલ ગાંધી માફી માંગો’ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

પારડી બાર એસોસિએશન દ્વારા વકીલ મંડળોની રચના

vartmanpravah

Leave a Comment