October 14, 2025
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશ

દમણ-દીવના પૂર્વ સાંસદ ડાહ્યાભાઈ પટેલની આજે પ્રથમ પુણ્‍ય તિથિ : સત્‍કાર્યોની તાજી થતી યાદો

રાજીવ ગાંધી સેતુનું નિર્માણ અને કોળી પટેલ સમાજને ઓબીસીમાં સમાવવા સાંસદ તરીકે ડાહ્યાભાઈ પટેલે કરેલા પ્રયાસોની આજે પણ નોંધ લેવી પડે છે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.02
દમણ-દીવના પૂર્વ સાંસદ અને ખેડૂત નેતા ડાહ્યાભાઈ પટેલની અણધારી વિદાયને આવતી કાલ તા.03, મેના રોજ એક વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે. સ્‍વ.ડાહ્યાભાઈ પટેલ ભગવાન ભોળાનાથ સોમનાથ દાદાના પરમભક્‍ત હતા. અને તેમનું દેહાવસાન પણ સોમવારે થતા એક કુદરતી સંયોગ સર્જાયો હતો.
દમણ-દીવના સાંસદ તરીકે શ્રી ડાહ્યાભાઈ પટેલે અનેક ઉમદા કામો ભારત સરકાર અને સરકારી મશીનરી મારફત કરાવ્‍યા હતા. જે પૈકી રાજીવ ગાંધી સેતુ અને કોળી સમાજને ઓ.બી.સી.ની શ્રેણીમાં સમાવવા તેમણે કરેલા પ્રયાસો ધન્‍યવાદને પાત્ર છે. ફળિયે-ફળિયે અને સમાજ દીઠ સાંસદનિધિમાંથી ડાહ્યાભાઈ પટેલે કોમ્‍યુનિટી હોલનું નિર્માણ કરી દરેક સમાજને એકતાના તાંતણે બાંધવાની કોશિષ કરી હતી. આજે એક વર્ષ પૂર્ણ થયું છે ત્‍યારે શ્રી ડાહ્યાભાઈ પટેલે કરેલા સત્‍કર્મોની યાદ તાજી બને છે.

Related posts

ધરમપુરમાં તમાકુ નિયંત્રણ સેલ દ્વારા દુકાનોમાં આકસ્‍મિક ચેકિંગ, 26 દદકાનદારો સામે દંડનીય કાર્યવાહી

vartmanpravah

પારડી ભાજપ દ્વારા ડો.બાબા સાહેબ આંબેડકરજીની 132મી જન્‍મજયંતિની ઉજવણી

vartmanpravah

અજાણ્‍યા મૃતકના વાલીવારસો સંપર્ક કરે

vartmanpravah

પારડી બી.આર.જે.પી. સ્‍કૂલમાં જન્‍માષ્ટમીની ઉલ્લાસ-ઉમંગથી કરાયેલી ઉજવણી

vartmanpravah

‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત વાપી નગરપાલિકાએ વિવિધ સંગઠનો, સંસ્થાઓ અને એસોસિએશન સાથે યોજેલી બેઠક

vartmanpravah

કલેક્‍ટર તથા આયોજન અને વિકાસ પ્રાધિકરણના સભ્‍ય સચિવ ભાનુ પ્રભાની સૂચના- દાનહમાં સ્‍થાપિત ગણપતિની મૂર્તિઓનું વિસર્જન કૃત્રિમ કુંડમાં જ કરવામાં આવે

vartmanpravah

Leave a Comment