Vartman Pravah
Breaking Newsસેલવાસ

સ્‍વદેશ ફાઉન્‍ડેશન દ્વારા દાનહના ખાનવેલ ચૌડા ગ્રાઉન્‍ડને આધુનિકરણ માટે કલેક્‍ટરને આવેદન પત્ર આપ્‍યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.02
સ્‍વદેશ ફાઉન્‍ડેશન દાદરા નગર હવેલી દ્વારા ખાનવેલ ચૌડા ગ્રાઉન્‍ડનેઆધુનિકરણ માટે આવેદનપત્ર આપવામા આવ્‍યુ હતુ જેમા જણાવ્‍યા મુજબ દાનહમા મોટી સંખ્‍યામા યુવાઓ રમત તરફ ધ્‍યાન છે અહીંના યુવાઓ સ્‍પોર્ટ્‍સ ક્ષેત્રમા -દેશનુ નામ રોશન કરી રહ્યા છે.ગ્રામીણ ક્ષેત્રના ખેલાડીઓને દરેક સુવિધાથી સંપન્ન સારા ગ્રાઉન્‍ડની જરૂરત છે જ્‍યા ખેલાડી પોતાની તૈયારી કરી શકે.
ખાનવેલ ચૌડા ગ્રાઉન્‍ડ પર ગ્રામીણ વિસ્‍તારના 10 પંચાયતના ખેલાડી પોતાની પ્રતિભાનું પ્રદર્શન કરતા આવે છે. અહી અંદાજીત સોથી વધુ ખેલાડી વિવિધ પ્રકારના ખેલ જેવા કે ક્રિકેટ, ફૂટબોલ, કબડ્ડી, દોડ જેવી રમતો રમે છે. અહી મહિલા ખેલાડીઓ પણ રમત રમવા આવે છે.
ખાનવેલ ચૌડા ગ્રાઉન્‍ડ પર સુવિધાઓની કમી હોવાને કારણે ખેલાડીઓને ઘણા પ્રકારની તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી સ્‍વદેશ ફાઉન્‍ડેશનના પ્રમુખ શ્રી કિશનસિંહ પરમારે દાનહ કલેક્‍ટરશ્રીને નમ્ર નિવેદન કર્યું છે કે ખાનવેલ ચૌડા ગ્રાઉન્‍ડને આધુનિકરણ કરી અહી પુરુષ અને મહિલાઓ માટે સર્વપ્રથમ ટોયલેટની વ્‍યવસ્‍થા કરવામા આવે, ખેલાડીઓને કપડા બદલવા અને સ્‍પોર્ટ્‍સ સામગ્રી રાખવા માટે પેવેલિયન બનાવવામા આવે, ગ્રાઉન્‍ડ પર નિયમિત ફૂટબોલ પોલ લગાવવામા આવે કે જેનાથી ફૂટબોલના ખેલાડીઓને સુવિધા મળી શકે, વોલીબોલ ખેલાડીઓ માટે નેટની વ્‍યવસ્‍થાહોય, ખેલાડીઓની સુરક્ષા માટે ગ્રાઉન્‍ડની ચારો તરફ બાઉન્‍ડરી વોલ બનાવવામા આવે અને ગ્રાઉન્‍ડને નવીનીકરણ બાદ સિકયુરીટી ગાર્ડની પણ વ્‍યવસ્‍થા કરવામા આવે.

Related posts

સંઘપ્રદેશના પંચાયતી રાજ વિભાગ અને એન.આઈ.આર. ડી.પી.આર. દ્વારા આયોજીત દમણ જિલ્લાના પંચાયત પ્રતિનિધિઓ માટેના ત્રિ-દિવસીય તાલીમ સહ વર્કશોપ શિબિરનું સમાપન

vartmanpravah

ઇજિપ્તની કેરો યુનિવર્સિટીના પ્રસૂતિ અનેસ્ત્રી રોગ વિજ્ઞાનના આંતરરાષ્‍ટ્રીય પ્રોફેસર ડૉ. ઓસામા શૉકી દ્વારા દાનહની નમો તબીબી શિક્ષણઅને સંશોધન સંસ્‍થામાં ‘‘માસ્‍ટરિંગ ધ ટેકનિક ઈન હિસ્‍ટેરોસ્‍કોપી એન્‍ડ લેપ્રોસ્‍કોપી” વિષય પર આંતરરાષ્‍ટ્રીય સ્‍તરની લાઇવ કાર્યશાળા યોજાઈ

vartmanpravah

ચીખલીમાં ભાજપની લાભાર્થી સંપર્ક અભિયાન અંતર્ગત યોજાયેલ બેઠકમાં કાર્યકરોને માર્ગદર્શન આપવામાં આવ્‍યું

vartmanpravah

દાનહ અને દમણમાં કમોસમી વરસાદ પડવાને કારણે ખેડૂતોના પાકને નુકસાન : ઠંડા પવનને કારણે ઠંડીનો અહેસાસ

vartmanpravah

ચીખલી તાલુકામાં પુર આવ્‍યાને દોઢેક માસ જેટલો સમય વિતવા છતાં ખેડૂતોને કેળ સહિતના પાકોમાં નુક્‍શાનીની સહાય ન ચૂકવાતા નારાજગી ફેલાવા પામી છે

vartmanpravah

દમણઃ ‘‘સોનાની થાળીમાં લોઢાની મેખ”

vartmanpravah

Leave a Comment