April 23, 2024
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની પહેલથી મોટી દમણમાં યોજાનારો ઈન્‍ડસ્‍ટ્રીયલ એક્‍સપો : લોકોને 25 ટકા છુટથી ઘરવખરી-જીવન જરૂરીયાતની ચીજવસ્‍તુઓ ખરીદવા મળનારી તક

કેન્‍દ્રના ઉદ્યોગ અને વાણિજ્‍ય મંત્રી પિયુષ ગોયલની પણ રહેનારી ઉપસ્‍થિતિ
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.02
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની પહેલથી અગામી તા.8મી મેથી મોટી દમણના લાઈટ હાઉસ નજીક ઈન્‍ડસ્‍ટ્રીયલ એક્‍સપોનું આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં કેન્‍દ્રના ઉદ્યોગ અને વાણિજ્‍ય મંત્રી શ્રી પિયુષ ગોયલ પણ ઉપસ્‍થિત રહેશે.
અત્રે નોંધનીય છે કે, દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં કાર્યરત ઉદ્યોગો દ્વારા માનવ જીવન માટે જરૂરીયાતની તમામ વસ્‍તુઓનું ઉત્‍પાદન કરવામાં આવે છે. જે પૈકીની ઘણી ચીજવસ્‍તુઓની વિદેશની માર્કેટોમાં સીધી નિકાસ તથા દેશમાં તેમના ડિસ્‍ટ્રીબ્‍યુટરો મારફત વેચાણ થતું હોવાથી પ્રદેશના ગ્રાહકોને સ્‍થાનિક સ્‍તરે ઉત્‍પાદિત થતી ચીજવસ્‍તુઓ સીધી રીતે ખરીદવાની તક મળતી નથી. સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે લગભગ 9 દિવસ સુધી ચાલનારા ઔદ્યોગિક પ્રદર્શન સહ વેચાણના એક્‍સપોમાં લગભગ 25 ટકા સુધીના ડિસ્‍કાઉન્‍ટ સાથે ગ્રાહકોને ચીજવસ્‍તુઓ મળે તેવીવ્‍યવસ્‍થા પોતાના પ્રશાસન મારફત કરાવી છે. જેનો સીધો લાભ દમણ-દીવ અને દાદરા નગર હવેલી સહિત આજુબાજુના રહેવાસીઓ તથા પ્રવાસીઓને પણ મળશે.

Related posts

દાદરા નગર હવેલીમાં ડેંગ્‍યુના પ્રકોપને કારણે રક્‍ત અને પ્‍લેટલેટ્‍સની માંગમાં વધારો

vartmanpravah

ચેકીંગમાં ગયેલ વીજ કર્મચારીઓ પર ચાકુથી હુમલો કરનારા ત્રણને ઝડપતી પારડી પોલીસ

vartmanpravah

દાનહના દમણગંગા સર્કિટ હાઉસ ખાતે સરકારની યોજના અંતર્ગત એફસીઆઈ દ્વારા કેવી રીતે અને કયાંથી અનાજ લાવી અલગ અલગ રાજ્‍યમાં લોકોને અનાજનું વિતરણ કરવામા આવે તે સંદર્ભે જાણકારી અપાઈ

vartmanpravah

ચીખલીના સમરોલી-કેસલી માર્ગ ઉપર નમી ગયેલા વીજપોલ અને વીજતારો જોખમી

vartmanpravah

સેલવાસ રંગ અવધૂત પરિવાર દ્વારા સ્‍વામી સમર્થની જન્‍મજયંતિની કરાયેલી ઉજવણી

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની કૃપાદૃષ્‍ટિ અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલની રચનાત્‍મક પરિવર્તનલક્ષી દીર્ઘદૃષ્‍ટિનું પરિણામ : સેલવાસના જૂના સચિવાલય બિલ્‍ડીંગ ખાતે ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી કેમ્‍પસનો આરંભ

vartmanpravah

Leave a Comment