Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારી

છીણમ મુખ્ય રસ્તાથી નવવાડા તરફ જતા રસ્તાનું ખાતમુર્હૂત કરતાં સાંસદશ્રી સી.આર.પાટીલ

નવસારી તા.18 આજરોજ જલાલપોર તાલુકાના છીણમ ખાતે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત  અંદાજિત રૂ.૬૦ લાખના ખર્ચે છીણમ મુખ્ય રસ્તાથી નવ વાડા તરફ જતા રસ્તાનું ખાતમુર્હૂત નવસારીના સાંસદશ્રી સી.આર.પાટીલના વરદ્દહસ્તે કરવામાં આવ્યું હતું.

આ રસ્તો ૧૫૦૦ મીટરની લંબાઇનો તૈયાર થશે. જેમાં ૧૧૦૦ મીટરની લંબાઇમાં ૩૭૫ મીટર પહોળો અને ૪૦૦ મીટરની લંબાઇમાં ત્રણ મીટર પહોળો બનશે. સાથે સાથે ૩૦ મીટર લંબાઇમાં પ્રોટેકશન વોલની કામગીરી પણ કરાશે. આ કામ છ મહિનાની મુદતમાં પૂર્ણ કરવામાં આવશે.

આ અવસરે જલાલપોરના ધારાસભ્યશ્રી આર.સી.પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભીખુભાઇ આહિર, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી ભુરાલાલ શાહ, તાલુકા પંચાયત પ્રમુખશ્રી રોશનીબહેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

વલસાડના સેવાભાવી અગ્રણી બિલ્‍ડર પિન્‍ટુભાઈ વશીનું હૃદયરોગના હુમલાથી દુઃખદ અવસાન

vartmanpravah

દાનહ જિલા પંચાયત પ્રમુખ નિશા ભવરે રખોલી ગ્રામ પંચાયતની લીધેલી મુલાકાત

vartmanpravah

ઓઝર ગામે ગુજરાત અને સંઘ પ્રદેશને જોડતો માર્ગ ઉપર કંપની દ્વારા ગેરકાયદેસર રીતે કરવામાં આવ્‍યું બાંધકામ

vartmanpravah

સેલવાસની ખાનગી શાળાના સંગીત શિક્ષકે ફાંસો લગાવી કરેલી આત્‍મહત્‍યા

vartmanpravah

સંઘપ્રદેશના સ્‍વચ્‍છ સર્વેક્ષણ જાગરૂકતા અભિયાનમાં ભારત સ્‍કાઉટ ગાઈડની સરાહનીય કામગીરી

vartmanpravah

દાદરા નગર હવેલીમાં ઉત્તર ભારતીયો દ્વારા છઠ્ઠ પૂજાની કરાયેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment