નવસારી તા.18 આજરોજ જલાલપોર તાલુકાના છીણમ ખાતે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત અંદાજિત રૂ.૬૦ લાખના ખર્ચે છીણમ મુખ્ય રસ્તાથી નવ વાડા તરફ જતા રસ્તાનું ખાતમુર્હૂત નવસારીના સાંસદશ્રી સી.આર.પાટીલના વરદ્દહસ્તે કરવામાં આવ્યું હતું.
આ રસ્તો ૧૫૦૦ મીટરની લંબાઇનો તૈયાર થશે. જેમાં ૧૧૦૦ મીટરની લંબાઇમાં ૩૭૫ મીટર પહોળો અને ૪૦૦ મીટરની લંબાઇમાં ત્રણ મીટર પહોળો બનશે. સાથે સાથે ૩૦ મીટર લંબાઇમાં પ્રોટેકશન વોલની કામગીરી પણ કરાશે. આ કામ છ મહિનાની મુદતમાં પૂર્ણ કરવામાં આવશે.
આ અવસરે જલાલપોરના ધારાસભ્યશ્રી આર.સી.પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભીખુભાઇ આહિર, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી ભુરાલાલ શાહ, તાલુકા પંચાયત પ્રમુખશ્રી રોશનીબહેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા.