October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતવલસાડવાપી

ટૂકવાડા ગામે ખેતરમાં કામે જવા નિકળેલી મહિલાનો મૃતદેહ કુવામાંથી મળ્‍યો

મંગળવારે મનિષાબેન પટેલ સાંજ સુધી ઘરે પાછા નહિ ફરતા પરિવારજનો શોધખોળ કરતા હતા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.18
વાપી પાસે આવેલ ટૂકવાડા ગામે ઘરેથી ખેતરે કામ કરવા નિકળેલ પરણિતાની કુવામાંથી લાશ મળતા ચકચાર મચી જવા પામી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ ટુકવાડા ગામે રહેતા દિલીપભાઈ ઉત્તમભાઈ પટેલની પત્‍ની મનિષાબેન ગતરોજ ઘરેથી ખેતરે કામ કરવા માટે ઘરેથી નિકળ્‍યા હતા. પરંત સાંજ સુધી મનિષાબેન ઘરે પરત ફર્યા નહોતા. તેથી પરિવારજનોએ ચારે તરફ શોધખોળ આરંભી દીધી હતી. આજે બુધવારે બપોરે દિલીપભાઈનો ભત્રીજો સરોઘી ગામ તરફ જતા રસ્‍તેથી પસાર થયો હતો. ત્‍યારે કિશોરભાઈ પટેલની વાડીનો ઝાંપો ખુલ્લો જોયેલો તેથી ભત્રીજાની વાડીમાં ગયો અને જોયું તો કુવા પાસે ચંપલ પડેલા નજરે પડયા હતા. તુરંત જ કાકા દિલીપભાઈને જાણ કરી તો કુટુંબીઓ અને પડોશીઓ વાડીમાં દોડીઆવ્‍યા હતા અને જોયું તો મનિષાબેન કુવામાં ડુબેલી હાલતમાં દેખાઈ હતી.
ઘટના અંગે પોલીસને જાણ કરાતા પોલીસે કુવામાંથી બહાર કઢાયેલ લાશને ઓરવાડ પ્રા.આરોગ્‍ય કેન્‍દ્રમાં પી.એમ.માટે મોકલી આપી હતી તેમજ એફએસએલની ટીમ પણ તમાસ માટે બોલાવી હતી. મનિષાબેનનું મોત શંકાસ્‍પદ છે કે કેમ? તે દિશામાં પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.

Related posts

દાનહ પ્રદેશ યુવક કોંગ્રેસના પૂર્વ અધ્‍યક્ષ કૌશિલ શાહની આદિવાસીની જમીનના મુદ્દે કરેલી છેતરપીંડીના ગુનામાં ધરપકડ

vartmanpravah

પારડીના પરિવારે દીકરાની વર્ષગાંઠ નિરાધાર અને જરૂરીયાતમંદ બાળકો વચ્‍ચે ઉજવી નવો રાહ ચીંધ્‍યો

vartmanpravah

દમણઃ કચીગામમાં ક્‍લાસીક્‍ ઇન્‍ડસ્‍ટ્રીઝપાસે ચલા વિસ્‍તારમાં રહેતા રિક્ષા ઉપર જીવંત વીજ તાર તૂટી રિક્ષા ચાલક હરીશભાઈ હળપતિનું ઘટના સ્‍થળ પર જ મોત

vartmanpravah

સરીગામ જીઆઈડીસી ખાતે ૮મી જૂને ઔદ્યોગિક દુર્ઘટનાની મોકડ્રીલ યોજાશે

vartmanpravah

દમણ જિલ્લાના આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગ દ્વારા ડેન્‍ગ્‍યુના નિવારણ અને નિયંત્રણ અંગે જાગૃતિ વધારવા માટે સેમિનાર યોજાયો

vartmanpravah

વંદે ભારત એક્‍સપ્રેસ 5મી વખત અકસ્‍માતનો ભોગ બની : ઉદવાડામાં ટ્રેન સાથે ગાય ભટકાઈ

vartmanpravah

Leave a Comment