Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતવલસાડવાપી

ટૂકવાડા ગામે ખેતરમાં કામે જવા નિકળેલી મહિલાનો મૃતદેહ કુવામાંથી મળ્‍યો

મંગળવારે મનિષાબેન પટેલ સાંજ સુધી ઘરે પાછા નહિ ફરતા પરિવારજનો શોધખોળ કરતા હતા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.18
વાપી પાસે આવેલ ટૂકવાડા ગામે ઘરેથી ખેતરે કામ કરવા નિકળેલ પરણિતાની કુવામાંથી લાશ મળતા ચકચાર મચી જવા પામી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ ટુકવાડા ગામે રહેતા દિલીપભાઈ ઉત્તમભાઈ પટેલની પત્‍ની મનિષાબેન ગતરોજ ઘરેથી ખેતરે કામ કરવા માટે ઘરેથી નિકળ્‍યા હતા. પરંત સાંજ સુધી મનિષાબેન ઘરે પરત ફર્યા નહોતા. તેથી પરિવારજનોએ ચારે તરફ શોધખોળ આરંભી દીધી હતી. આજે બુધવારે બપોરે દિલીપભાઈનો ભત્રીજો સરોઘી ગામ તરફ જતા રસ્‍તેથી પસાર થયો હતો. ત્‍યારે કિશોરભાઈ પટેલની વાડીનો ઝાંપો ખુલ્લો જોયેલો તેથી ભત્રીજાની વાડીમાં ગયો અને જોયું તો કુવા પાસે ચંપલ પડેલા નજરે પડયા હતા. તુરંત જ કાકા દિલીપભાઈને જાણ કરી તો કુટુંબીઓ અને પડોશીઓ વાડીમાં દોડીઆવ્‍યા હતા અને જોયું તો મનિષાબેન કુવામાં ડુબેલી હાલતમાં દેખાઈ હતી.
ઘટના અંગે પોલીસને જાણ કરાતા પોલીસે કુવામાંથી બહાર કઢાયેલ લાશને ઓરવાડ પ્રા.આરોગ્‍ય કેન્‍દ્રમાં પી.એમ.માટે મોકલી આપી હતી તેમજ એફએસએલની ટીમ પણ તમાસ માટે બોલાવી હતી. મનિષાબેનનું મોત શંકાસ્‍પદ છે કે કેમ? તે દિશામાં પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.

Related posts

જિલ્લા બાળ સુરક્ષા એકમ, દીવ દ્વારા ‘‘નન્‍હે હાથ કલમ કે સાથ” અંતર્ગતશાળાઓમાં અભ્‍યાસ કરતા કાળજી અને રક્ષણની જરૂરિયાત ધરાવતા બાળકો માટે શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્‍યો

vartmanpravah

ચીખલી તાલુકાના ચીમલા ફાટક નેશનલ હાઈવે પર જીવના જોખમે હાઈવે ક્રોસ કરતા વાહન ચાલકોની લાંબા સમયની સમસ્‍યાનો અંત ક્‍યારે આવશે?

vartmanpravah

આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત સરકારી આયુર્વેદ હોસ્પિટલ દ્વારા વિવિધ કેમ્પમાં મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો

vartmanpravah

દિપાવલીના પાવન પર્વ પર નિરાધાર પરિવારોને માઁ વિશ્વંભરી ધામ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા અનાજ કીટ વિતરણ કાર્યક્રમ

vartmanpravah

અખિલ ભારતીય ઉપભોક્‍તા ઉત્‍થાન સંગઠન વલસાડ જિલ્લા દ્વારા ખાણીપીણીમાં ભેળસેળ તથા સ્‍વાસ્‍થ્‍યની સાથે થતાં ચેડાં બાબતે મુખ્‍યમંત્રીને આવેદનપત્ર આપી કાર્યવાહીની કરેલી માંગ

vartmanpravah

ઘેલવાડ ગ્રામ પંચાયતમાં મહિલાઓ માટે મફત મેડિકલ ચેકઅપ કેમ્પનું કરાયેલું આયોજન

vartmanpravah

Leave a Comment