Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણવલસાડવાપી

મોટી દમણના ઝરી ખાતેના જુના અને જર્જરીત પુલ ઉપર થયેલા બાઈક અકસ્‍માતમાં એકનું મોત

મોતનું આમંત્રણ દ્વાર બની રહેલા ઝરીના જુના પુલને કાયમી રીતે બંધ કરી ડિમોલીશન કરવું આવશ્‍યક : નહિ તો ચોમાસામાં કામદારો માટે મોતનો કુવો સાબિત થવાની સંભાવના 

 

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.19
મોટી દમણના ઝરી ખાતે આવેલા જુના અને જર્જરીત પુલ ઉપર ગઈકાલે થયેલા એક અકસ્‍માતમાં એક બાઈક સવારનું મોત થવાપામ્‍યું છે અને એક ઘાયલ થયો હોવાની માહિતી સાંપડી છે .
પ્રાપ્ત માહિતી પ્રમાણે મોટી દમણ ઝરીથી વાપી તરફ ઝરીના જુના પુલ ઉપરથી પોતાની જ્‍યુપીટર બાઈક નંબર જીજે-1પબી-કયુ-3852 જઈ રહેલા સીટુ(ઉ.વ.રર) (રહે.વાપી ટાંકી ફળિયા) બ્રીજના પોલ સાથે અથડાતા તેને માથાના ભાગે ગંભીર ઈજા થતા મોત થયું હતું. જ્‍યારે તેની પાછળ બેસેલા સુરજ વિશ્વ કર્મા (ઉ.વ.18)ને સાધારણ ઈજા થઈ હોવાની પોલીસ સુત્રોએ જાણકારી આપી હતી.
અત્રે નોંધનીય છે કે, મોટી દમણ ઝરીથી કચીગામને જોડતો જુનો પુલ ખુબ જ જર્જરીત અને ખખડધજ બની ચૂક્‍યો છે. આ પુલ ઉપરથી અવરજવર કે વાહન હંકારવું મોતને આમંત્રણ આપવા જેવું હોવાનું દેખાય છે. ત્‍યારે સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા આ બ્રીજનો કાયમી ધોરણ માટે ઉપયોગ બંધ કરાવી તેનું ડિમોલીશન કરવામાં આવે એવી માંગ પ્રબળ બની છે. કારણ કે અગામી ચોમાસાની ઋતુમાં આ બ્રીજ ઉપરથી પસાર થવાનું જોખમ લેતા ઔદ્યોગિક કામદારો માટે મોતનું આમંત્રણ દ્વાર બનવાની પુરી સંભાવના છે.

Related posts

વલસાડ જિલ્લામાં સૌ પ્રથમવાર કકવાડી હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરને NQAS પ્રમાણપત્ર એનાયત

vartmanpravah

ઉમરગામ જેટીની હાથ ધરાયેલી સર્વેની કામગીરી

vartmanpravah

કપરાડા માંડવાના ઘાટ ઉપર કન્‍ટેનર પલટી જતા બાઈક ચાલક કચડાઈ જતા મોત નિપજ્‍યું

vartmanpravah

દાનહના મૂકસેવાભાવી કાંતિભાઈ એમ. પટેલનું ટૂંકી માંદગી બાદ આકસ્‍મિક નિધન

vartmanpravah

વલસાડ જિલ્લાનાં હોમ આઇસોલેટેડ દર્દીઓ માટે મેડિકલ હેલ્‍પલાઇનને સુંદર પ્રતિસાદ

vartmanpravah

વિધાનસભા બેઠકના પ્રવાસી વિસ્‍તારક મુંબઈના કૃષ્‍ણા આબેકરએ વાપી ભાજપ સાથે મીટિંગ યોજી

vartmanpravah

Leave a Comment