March 3, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણવલસાડવાપી

મોટી દમણના ઝરી ખાતેના જુના અને જર્જરીત પુલ ઉપર થયેલા બાઈક અકસ્‍માતમાં એકનું મોત

મોતનું આમંત્રણ દ્વાર બની રહેલા ઝરીના જુના પુલને કાયમી રીતે બંધ કરી ડિમોલીશન કરવું આવશ્‍યક : નહિ તો ચોમાસામાં કામદારો માટે મોતનો કુવો સાબિત થવાની સંભાવના 

 

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.19
મોટી દમણના ઝરી ખાતે આવેલા જુના અને જર્જરીત પુલ ઉપર ગઈકાલે થયેલા એક અકસ્‍માતમાં એક બાઈક સવારનું મોત થવાપામ્‍યું છે અને એક ઘાયલ થયો હોવાની માહિતી સાંપડી છે .
પ્રાપ્ત માહિતી પ્રમાણે મોટી દમણ ઝરીથી વાપી તરફ ઝરીના જુના પુલ ઉપરથી પોતાની જ્‍યુપીટર બાઈક નંબર જીજે-1પબી-કયુ-3852 જઈ રહેલા સીટુ(ઉ.વ.રર) (રહે.વાપી ટાંકી ફળિયા) બ્રીજના પોલ સાથે અથડાતા તેને માથાના ભાગે ગંભીર ઈજા થતા મોત થયું હતું. જ્‍યારે તેની પાછળ બેસેલા સુરજ વિશ્વ કર્મા (ઉ.વ.18)ને સાધારણ ઈજા થઈ હોવાની પોલીસ સુત્રોએ જાણકારી આપી હતી.
અત્રે નોંધનીય છે કે, મોટી દમણ ઝરીથી કચીગામને જોડતો જુનો પુલ ખુબ જ જર્જરીત અને ખખડધજ બની ચૂક્‍યો છે. આ પુલ ઉપરથી અવરજવર કે વાહન હંકારવું મોતને આમંત્રણ આપવા જેવું હોવાનું દેખાય છે. ત્‍યારે સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા આ બ્રીજનો કાયમી ધોરણ માટે ઉપયોગ બંધ કરાવી તેનું ડિમોલીશન કરવામાં આવે એવી માંગ પ્રબળ બની છે. કારણ કે અગામી ચોમાસાની ઋતુમાં આ બ્રીજ ઉપરથી પસાર થવાનું જોખમ લેતા ઔદ્યોગિક કામદારો માટે મોતનું આમંત્રણ દ્વાર બનવાની પુરી સંભાવના છે.

Related posts

છેલ્લા 80 દિવસથી સોમનાથ ગ્રા.પં.ના વોર્ડ નંબર પાંચમાં આવેલ શૌચાલયની ગંદકી છુપાવવા સરપંચ પતિએ કપડું નાંખી વપરાશ બંધ કરાવેલ હોવાનો ગ્રામસભામાં આરોપ

vartmanpravah

ભ્રમણા જાળમાં ફસાયેલી ભારત સરકાર અને સંઘપ્રદેશ પ્રશાસન- દાનહ અને દમણ-દીવના વિદ્યુત વિભાગ/નિગમના ગ્રાહકોની રૂા.1000 કરોડ કરતા વધુની ડિપોઝીટ, રૂા.પ000 કરોડની માર્કેટ વેલ્‍યુ છતાં ટોરેન્‍ટ પાવર સાથે રૂા.પપપ કરોડનો સોદો !!

vartmanpravah

ચીખલીના મજીગામમાં પરિવાર મુંબઈ જતા તસ્‍કરોએ રાત્રે ઘરમાં ઘૂસી રોકડ તથા દાગીના મળી રૂા.1.10 લાખની મત્તા ચોરી ફરાર

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના કુશળ નેતૃત્‍વ અને માર્ગદર્શન હેઠળ સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવની ઔર એક સિદ્ધિઃ ટી.બી.ઉન્‍મૂલનની દિશામાં કરેલી મહત્‍વપૂર્ણ પ્રગતિ સર્વશ્રેષ્‍ઠ કાર્યો માટે તમામ કેન્‍દ્ર શાસિત પ્રદેશોમાં પ્રથમ

vartmanpravah

સુરત જિલ્લાના કર્મવીર કેપ્‍ટન (ડૉ.) એ.ડી.માણેકે સર્જ્‍યો વિશ્વ વિક્રમ ‘‘વર્લ્‍ડ બુક ઓફ રેકોર્ડ્‍સ” લંડન-યુ.કે.માં કેપ્‍ટન ડૉ. એ.ડી.માણેક દ્વારા સ્‍થપાયેલ ધ સ્‍કાયલાઈન એવીએશન ક્‍લબને મળેલું સ્‍થાન

vartmanpravah

શ્રાવણ માસમાં માઁ વિશ્વંભરી તીર્થયાત્રા ધામે દર્શનાર્થીઓની ભીડ ઉમટી

vartmanpravah

Leave a Comment