January 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણવલસાડવાપી

મોટી દમણના ઝરી ખાતેના જુના અને જર્જરીત પુલ ઉપર થયેલા બાઈક અકસ્‍માતમાં એકનું મોત

મોતનું આમંત્રણ દ્વાર બની રહેલા ઝરીના જુના પુલને કાયમી રીતે બંધ કરી ડિમોલીશન કરવું આવશ્‍યક : નહિ તો ચોમાસામાં કામદારો માટે મોતનો કુવો સાબિત થવાની સંભાવના 

 

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.19
મોટી દમણના ઝરી ખાતે આવેલા જુના અને જર્જરીત પુલ ઉપર ગઈકાલે થયેલા એક અકસ્‍માતમાં એક બાઈક સવારનું મોત થવાપામ્‍યું છે અને એક ઘાયલ થયો હોવાની માહિતી સાંપડી છે .
પ્રાપ્ત માહિતી પ્રમાણે મોટી દમણ ઝરીથી વાપી તરફ ઝરીના જુના પુલ ઉપરથી પોતાની જ્‍યુપીટર બાઈક નંબર જીજે-1પબી-કયુ-3852 જઈ રહેલા સીટુ(ઉ.વ.રર) (રહે.વાપી ટાંકી ફળિયા) બ્રીજના પોલ સાથે અથડાતા તેને માથાના ભાગે ગંભીર ઈજા થતા મોત થયું હતું. જ્‍યારે તેની પાછળ બેસેલા સુરજ વિશ્વ કર્મા (ઉ.વ.18)ને સાધારણ ઈજા થઈ હોવાની પોલીસ સુત્રોએ જાણકારી આપી હતી.
અત્રે નોંધનીય છે કે, મોટી દમણ ઝરીથી કચીગામને જોડતો જુનો પુલ ખુબ જ જર્જરીત અને ખખડધજ બની ચૂક્‍યો છે. આ પુલ ઉપરથી અવરજવર કે વાહન હંકારવું મોતને આમંત્રણ આપવા જેવું હોવાનું દેખાય છે. ત્‍યારે સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા આ બ્રીજનો કાયમી ધોરણ માટે ઉપયોગ બંધ કરાવી તેનું ડિમોલીશન કરવામાં આવે એવી માંગ પ્રબળ બની છે. કારણ કે અગામી ચોમાસાની ઋતુમાં આ બ્રીજ ઉપરથી પસાર થવાનું જોખમ લેતા ઔદ્યોગિક કામદારો માટે મોતનું આમંત્રણ દ્વાર બનવાની પુરી સંભાવના છે.

Related posts

વલસાડમાં પરિણિતાને ફોનમાં કહેવાયુ કે તારા પતિને લઈ જા નહીં તો મારી નાખુ છું…. અને યુવાનનો જીવ ગયો

vartmanpravah

દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસો.ના પ્રમુખ અને હોદ્દેદારોની ચૂંટણીનું સમય પત્રક જાહેરઃ 4થી ઓગસ્‍ટે યોજાનારી ચૂંટણી

vartmanpravah

સ્‍વાધ્‍યાય મંડળ કિલ્લા પારડી સંચાલિત શ્રી બ્રહ્મર્ષિ સાતવળેકર સંસ્‍કૃત મહાવિદ્યાલયના પ્રથમ વર્ષમાં 27 ઋષિકુમારોના પ્રવેશોત્‍સવ સાથે ગુરુકુળની તેજસ્‍વી પરંપરાને મળેલી ગતિ

vartmanpravah

દમણ જિલ્લા પ્રશાસને ભીમપોર ખાતે એક કિ.મી. લાંબી નહેર ઉપર કરાયેલા ગેરકાયદે બાંધકામોનું કરેલું ડિમોલીશન

vartmanpravah

દાનહમાં હવે ચાલ માલિકોએ ભાડૂઆતોની નોંધણી ઓનલાઈન કરવી પડશે : એક્ષપર્ટ દ્વારા મોબાઈલ એપના ઉપયોગની આપવામાં આવેલી જાણકારી

vartmanpravah

આર.કે.દેસાઈ કોલેજ ઓફ એજ્‍યુકેશન, વાપીમાં વ્‍યાખ્‍યાનમાળા અંતર્ગત મિસ.વિધિ વાઘેલા દ્વારા ‘‘ઇન્‍ટરવ્‍યૂ કેવી રીતે આપી શકાય” તે વિષય પર વ્‍યાખ્‍યાન યોજાયું

vartmanpravah

Leave a Comment