April 28, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

આજે દાનહના આંબાબારી કૌંચા ખાતે પ્રશાસક પ્રફુલભાઈ પટેલ પંચાયત ઘરોનું ભૂમિપૂજન કરશે

પેટાઃદાનહના મુક્‍તિના 69 વર્ષ બાદ પણ છેવાડેના આદિવાસીઓના ઘર સુધી બુનિયાદી સુવિધા પહોંચી નથી પરંતુ મોદી સરકારના આગમન બાદ બદલાયેલી દશા અને દિશા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.22
આવતી કાલે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ દાદરા નગર હવેલીના આંબાબારી કૌંચા ખાતે પંચાયત ઘરોનું ભૂમિપૂજન તથા વિવિધ યોજનાઓના લાભોની જાણકારી અને વિતરણ કાર્યક્રમનું નેતૃત્‍વ કરશે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ આવતી કાલે દાદરા નગર હવેલી ખાતે નિર્મિત થનારી કેટલીક ગ્રામ પંચાયતોના ઘરોનું ભૂમિપૂજન આંબાબારી કૌંચાથી કરશે.
અત્રે નોંધનીય છે કે, ભારત સરકારની વિવિધ યોજનાઓનો સીધો લાભ દાદરા નગર હવેલીના છેવાડેના આદિવાસી સુધી પહોંચે તે બાબતે પ્રશાસન હંમેશા પ્રયાસરત રહે છે. દાદરા નગર હવેલીની મુક્‍તિના 69 વર્ષ બાદ પણ છેવાડેના આદિવાસીઓના ઘર સુધી બુનિયાદી સુવિધા પહોંચી નથી. મોદી સરકારના આગમન બાદ પહેલી વખત દાદરા નગર હવેલીના ઊંડાણના આદિવાસી પરિવારોની પ્રશાસન દ્વારા કાળજી લેવાઈ રહી છે અને તેમને તંદુરસ્‍ત, શિક્ષિત અને પ્રશિક્ષિત બનાવવા અભિયાન શરૂ કરાયું છે.
આવતી કાલે સવારે 9:30 વાગ્‍યાથી આંબાબારી કૌંચા ખાતે પંચાયત ઘરોનાભૂમિપૂજન અને વિવિધ ઘરોના લાભોની જાણકારી તથા વિતરણ કાર્યક્રમના સમારંભનું આયોજન થશે.

Related posts

વલસાડ જિલ્લામાં બે માસમાં કન્જેક્ટિવાઈટિસના ૧૮૫૬ દર્દીઓની તપાસ કરાઈ

vartmanpravah

દાનહ રેડ ક્રોસ શાખાને મહામહિમ રાષ્‍ટ્રપતિ દ્રોપદી મુર્મૂના હસ્‍તે પ્રતિષ્‍ઠિત એવોર્ડ એનાયત

vartmanpravah

આહવા વઘઈ શિવઘાટના વળાંક પાસે જૂનિયર ક્‍લાર્કના પરીક્ષાર્થીઓને નડયો અકસ્‍માત

vartmanpravah

વાપી કોપરલી ગામે સરકારી વૃક્ષો કાપી નંખાતા પંચાયત સભ્‍ય અને ડીડીઓમાં લેખિત ફરીયાદ કરી

vartmanpravah

ગલોન્‍ડા ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 1/11ના સભ્‍ય પદ માટે અને નરોલી ગ્રામ પંચાયતના સરપંચ પદની પેટા ચૂંટણી માટે ઉમેદવારોએ નોંધાવેલી ઉમેદવારી

vartmanpravah

ચીખલીમાં નવા બસ સ્‍ટેશનના બાંધકામમાં હલકી કક્ષાના માલસામાનનો ઉપયોગ કરાતા કામની ગુણવત્તા સામે ઉભા થયેલ અનેક સવાલો

vartmanpravah

Leave a Comment